shabd-logo
Shabd Book - Shabd.in

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

Dalapataram

23 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
1 વાચકો
9 November 2023 ના રોજ પૂર્ણ
મફત

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ ⁠નરસિંહ મેંહેતા પછી તુળસી, દેવીદાસ, વિષ્ણુદાસ, શિવાનંદ, શિવદાસ અને નાકરદાસ વગેરે ગુજરાતી ભાષાના કવિયો થયા; તેઓનાં ગામ ઠામ, હયાતીનાં વર્ષ વગેરે ગયા પુસ્તકમાં અમે જણાવેલાં છે. પણ તેઓની વિશેષ હકિકત અમારા જાણવામાં આવી નથી. તેઓએ ભાગવત, મહાભારત, રામાયણ વગેરેનાં મોટાં મોટાં પુસ્તકો રચેલાં છે, પણ તેઓની કવિતા સાધારણ ગણાય છે. તેમાં ઘણો રસ નથી. ફક્ત વ્યાસ લોકો તેઓના ગ્રંથ વાંચે છે. પણ આજ સુધી સઊથી પહેલા નંબરમાં ગણવા લાયકતો વડોદરામાં પ્રેમાનંદભર થયો. તે સંવત ૧૭૩૩માં હયાત હતો. તે ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ નાતે હતો. તે વિષ્ણુ ભક્ત હતો. કાંઈ એક વાત સાંભળે. તેનું વર્ણન ઘણી સારી યુક્તિથી તે કરતો હતો. જેમ કે કુંવરબાઈના મામેરાની વાત અસલ કોઈ પુસ્તકમાં લખેલી જણાતી નથી. પણ લોકોમાં થોડી ઘણી ચાલતી વાત સાંભળીને, પ્રેમાનંદ ભટે વિસ્તારથી વરણવી છે. તેમાં નાગરની નાતમાં સ્ત્રિયોનાં નામ કેવાં હોય છે? અને સીમંતની વખતે વેવાણ કેવી રીતે પોતાનો હક માગે છે? એ સગળા ચાલતા શિરસ્તા પ્રમાણે, એક રમુજી નાટક જેવું એ મામેરાનું પુસ્તક, તેણે કવિતામાં રચેલું છે. તેમજ ઓખાહરણની થોડીક વાત ઊપરથી ગણો વિસ્તાર કરીને, તેણે સરસ પુસ્તક બનાવેલું છે. એ કવિયે સંસ્કૃતમાંથી રસ અલંકારના ગ્રંથ જોયેલા હોય, એવું જણાય છે. કારણ કે મુગ્ધા, મધ્યા વગેરે સ્ત્રિયોના ભાવ તથા સ્વપ્નદર્શન, ચિત્રદર્શન અને ગુરૂલઘુમાન, સંયોગશ્રૃંગાર, વિયોગશ્રૃંગાર, તથા નવરસ વગેરે ઘણી સારી રીતે તેણે વરણવી દેખાડવા છે. ઓખાહરણની રસીકવાત જાણીને, તેના પછી બીજા કેટલાકએક કવિયોને એ જ વિષે કવિતા કરી. પણ પ્રેમાનંદની કવિતા જેવી કોઈથી બની શકી નથી. પ્રેમાનંદની વખત સુધી ગુજરાતીભાષામાં પિંગળના કાયદા પ્રમાણે છંદ રચવાનો ચાલ નહોતો, એવું જણાય છે. તેથી તેણે ગાવાની સેહેલી દેશિયોમાં ગ્રંથો રચેલા છે. પણ તેણે વાણીની મીઠાશની હદ વાળી છે. એવી કવિતા જોડવાની શક્તિ, પરમેશ્વરની બખશીશ આપેલી ગણાય છે; એમ આખી દુનિયાના કવિયો લખી ગયા છે. ગુજરાતીભાષા બોલનારા લાખો માણસો થઈ ગયા, અને હાલમાં પણ છે; અને કવિતાનો અભ્યાસ આખી ઉમ્મર સુધી કરનાર કેટલાએક થઈ ગયા; પણ પ્રેમાનંદને વિસારિયે, એવી કોઈની વાણી સાંભળવામાં આવી નથી. જો મેહેનત કરવાથી એવી કવિતા આવડતી હોત, તો હું પણ પ્રેમાનંદના જેવો કવિ થાત. પણ તેનો જેવો થયાની કોઈ દિવસે મારી આશા નથી; એ હું ખરાદિલથી કહું છું. 

gujraatii bhaassaanaa kviyaono itihaas

0.0(0)

ભાગો

1

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ

8 November 2023
0
0
0

ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ ⁠નરસિંહ મેંહેતા પછી તુળસી, દેવીદાસ, વિષ્ણુદાસ, શિવાનંદ, શિવદાસ અને નાકરદાસ વગેરે ગુજરાતી ભાષાના કવિયો થયા; તેઓનાં ગામ ઠામ, હયાતીનાં વર્ષ વગેરે ગયા પુસ્તકમાં અમે જણાવેલ

2

અખો ભક્ત

8 November 2023
0
0
0

અખો ભક્ત ⁠પ્રેમાનંદભટ પછી કવિયોના ઉત્તમવર્ગમાં ગણવા લાયક અખો કવિ થયો. તે સંવત ૧૭૭૫માં એટલે ઈસ્વી સન ૧૭૧૮માં હયાત હતો. તે નાતે સોની, અને અમદાવાદમાં ખાડિયામાં દેસાઈની પોળમાં રહેતો હતો. પણ હાલ તેના

3

શામળભટ

8 November 2023
0
0
0

શામળભટ ⁠એ કવિ નાતે શ્રી ગોડમાળવી બ્રાહ્મણ હતો. અમદાવાદ પાસે હાલ ગોમતીપુર કહેવાય છે. ત્યાં તે વખતે વેંગણપુર કહેવાતું, ત્યાં તે કવિ રહેતો હતો. તેણે વ્રજભાષાના પિંગળ વગેરે ગ્રંથનો અભ્યાસ કરીને, તે ન

4

દલપત

8 November 2023
0
0
0

દલપત ⁠શામળભટ પછી અમદાવાદમાં દલપત નામે નાગર કવિ થયો. તે દેવીભક્ત હતો. તેણે ગુજરાતી ભાષામાં થોડાક ગરબા રચેલા છે. પણ સંસ્કૃતમાં કવળઆનંદ નામે અલંકારનો ગ્રંથ છે, તે બધો હિદુસ્તાની ભાષાની કવિતામાં તેણે ર

5

વલ્લભભટ

8 November 2023
0
0
0

વલ્લભભટ ⁠એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ હતો. તે પ્રથમ વિષ્ણુભક્ત હતો પણ કહે છે કે, તે શ્રીનાથજીની જાત્રા કરવા ગયો. ત્યાં મંદિરમાં સેહે જ થુંક્યો, તેથી મંદિરના લોકોએ તેનો ઘણો જ ધિક્કાર કર્યો. ત્ય

6

રઘુનાથદાસ

8 November 2023
0
0
0

રઘુનાથદાસ ⁠એ કવિ અમદાવાદ પાસે ગોમતીપુરમાં થઈ ગયો. નાતે લેઊઆ કણબી હતો અને સંવત ૧૮૩૬માં હયાત હતો. તે વિષ્ણુ ભક્ત હતો. તેણે શ્રીમદ્ભાગવત ગુજરાતીમાં રચેલું છે; તથા રામાયણ, ધ્રુવાખ્યાન અને છુટક છપા સવૈય

7

પ્રીતમદાસ

8 November 2023
0
0
0

પ્રીતમદાસ ⁠એ કવિ ચડોતર જીલ્લાના સંધેસર ગામનો ભાટ હતો. તે સંવત ૧૮૩૮માં હયાત હતો. પ્રથમ તે વિષ્ણુ ભક્ત હતો. તેથી તેણે વિષ્ણુની ઉપાસના વિષે ઘણાં પદ કરેલાં છે. પછી તે બ્રહ્મજ્ઞાની એટલે વેદાંતી થયો હોય

8

લજ્જારામ

8 November 2023
0
0
0

લજ્જારામ ⁠અમદાવાદનો ઔદિચ્ચ બ્રાહ્મણ સંવત ૧૮૪૩માં હતો. તેણે ભારતમાંથી કોઠાયુદ્ધ ગુજરાતીમાં કરેલું છે, તથા સગાળશાની વાર્તાની કવિતા કરેલી છે. એની કવિતામાં ઝાઝી મીઠાશ નથી, તેથી તે ઘણી પ્રસિદ્ધ પણ નથી.

9

હેમો

8 November 2023
0
0
0

હેમો ⁠તોરણાં ગામનો બ્રાહ્મણ હતો. સંવત ૧૮૬૪માં હયાત હતો. તેણે કર્મકથા એટલે કેવાં કર્મ કરે તે કેવો અવતાર પામે તે વિષે કવિતા કરેલી છે. તથા પદ, ગરબિયો કરેલી છે. પોતાની મરણતિથિનું પદ તેના નામનું છે. એ ઊપર

10

રેવાશંકર

8 November 2023
0
0
0

રેવાશંકર ⁠એ કવિ જુનાગઢનો વડનગરો નાગર હતો. અને સંવત ૧૮૭૫માં હયાત હતો. તેણે ચંદ્રાવળાછંદમાં ઘણી કવિતા રચેલી છે; અને તે વખાણવા લાયક છે. સગળા કવિયો કરતાં એની કવિતામાં ઝડ ઝમકની રચના ઘણી જ સારી છે; અને વ

11

નિષ્કુળાનંદ

8 November 2023
0
0
0

નિષ્કુળાનંદ ⁠એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. તેણે ભક્તચિંતામણી નામનો ગ્રંથ સંવત ૧૮૭૭માં કાઠીયાવાડ પ્રાંતના ગઢડામાં રહીને તેણે પુરો કરેલો છે. એ ગ્રંથ તુલસીદાસની રામકથા જેવડો છે. તેમાં ઘણું કરીને ત્રણ

12

રણછોડજી દીવાન

8 November 2023
0
0
0

રણછોડજી દીવાન ⁠એ કવિ જુનાગઢના નવાબનો દિવાન. જાતે વડનગરો નાગર સંવત ૧૮૭૮માં હયાત હતો. તેણે ચંડીપાઠના ઊપર સારા છંદ બાંધેલા છે. તથા ઉરદુભાષામાં પણ તેણે ગ્રંથ રચેલા છે. અને રેખતા, ઠુમરી વગેરે ગાવાની કવિતા

13

મુક્તાનંદ

9 November 2023
0
0
0

મુક્તાનંદ ⁠એ કવિ કાઠીઆવાડના ગઢડાનો સાધુ સંવત ૧૮૮૦માં હયાત હતો. અસલથી તે રામાનંદી સંપ્રદાયનો ઘરબારી વૈરાગી હતો. અને સ્વામિનારાયણના ગુરૂ રામાનંદસ્વામી હતા. તેનો શિષ્ય હતો. પછી તેણે સ્ત્રીનો ત્યાગ કર્

14

ધીરોભક્ત

9 November 2023
0
0
0

ધીરોભક્ત ⁠એ કવિ વડોદરા જીલ્લામાં સાવલી ગામ છે, કે જે આજે સાવલી ગોઠડા એવાં બે પાસે આવેલાં ગામોથી ઓળખાય છે. ત્યાંનો રહેનાર નાતે ભાટ હતો. તેણે પોતાની કવિતામાં વર્ષ લખ્યું હોય એવું મારા વાંચવામાં આવ્યુ

15

બ્રહ્માનંદ

9 November 2023
0
0
0

બ્રહ્માનંદ ⁠એ કવિ નાતે ચારણ હતો. અને ડુંગરપર પરગણાના ખાણ નામના ગામમાં રહેતો હતો. અશલ તેનું નામ લાડુબારોટ હતું. તેનું સગપણ કરેલું હતું પણ પરણ્યો નહોતો તેની ઊમર વર્ષ ૨૦ ને આશરે થતાં, તેણે સાંભળ્યું ક

16

કૃષ્ણારામ

9 November 2023
0
0
0

કૃષ્ણારામ ⁠એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ સંવત ૧૮૯૫માં હયાત હતો. તેણે રૂકમણી હરણ તથા જુદા જુદા રાગનાં પદ ગરબીઓ વગેરે રચેલાં છે. તેની કવિતા જોતાં તે બીજાં વર્ગમાં ગણવા લાયક છે. તેણે અમદાવાદમાં મં

17

અલખબુલાખી

9 November 2023
0
0
0

અલખબુલાખી ⁠એ કવિ અમદાવાદનો સાઠોદરો નાગર હતો. તે વેદાંતી હતો. સંવત ૧૯૦૫માં હયાત હતો. તેને ગુલાબ ભારતી નામના ગોસાંઈનો ઉપદેશ લાગ્યો હતો. તે શેહેર બહાર એક જગા બાંધીને રહ્યો હતો. ગાંજો પીતો હતો. તેની કવિત

18

ડુંગરબારોટ

9 November 2023
0
0
0

ડુંગરબારોટ ⁠એ કવિ વિજાપુરનો ભાટ હતો. સંવત ૧૮૯૫માં હયાત હતો. તેના ભાઈઓ હાલ વિજાપુરમાં છે. તેણે ગુજરાતી ભાષામાં જુદા જુદા રાગનાં પદ સારાં કરેલાં છે. તોપણ તે બીજા વર્ગમાં ગણવા લાયક છે. તે કવિ રામનો ઉપાસ

19

દયારામ

9 November 2023
0
0
0

દયારામ એ કવિ સાઠોદરો નાગર ઘણું કરીને ડભોઈમાં રહેતો હતો. તે સંવત ૧૯૦૧માં  ​હયાત હતો. ગોંસાઈજીનો શિષ્ય હતો. તેણે વ્રજભાષામાં, હિંદુસ્તાનીમાં, ઉરદુમાં અને મરાઠીભાષામાં પણ પદ રચેલાં છે. લોકો કહે છે કે તે

20

નરભેરામ

9 November 2023
0
0
0

નરભેરામ ⁠એ કવિ ચાતુરવેદી મોટબ્રાહ્મણ, પેટલાદ પરગણાના પીજગામનો હતો. અમદાવાદ પાસે ગોમતીપુરમાં આવીને રહ્યો હતો. તેનો દીકરો હજી ગોમતીપુરમાં છે. નરભેરામ છોટાલાલજી મહારાજનો શિષ્ય હતો. તેણે કેટલીએક કવિતામાં

21

પ્રેમાનંદ સ્વામી

9 November 2023
0
0
0

પ્રેમાનંદ સ્વામી ⁠એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. લોકો કહે છે કે, તે પૂર્વાશ્રમે ગાંધર્વ હતો. તે ગાન કળામાં ઘણો હુંશિયાર, તે મતના સગળા સાધુઓમાં ગણાતો હતો. તેથી ઘણી જાતનાં વાજાં બાજાવી જાણતો હતો. પ્રેમ

22

નાહાનો ભક્ત

9 November 2023
1
0
0

નાહાનો ભક્ત એ કવિ અમદાવાદનો લેંઉઓ કણબી ગયા સૈકડામાં હતો એવું અહિના લોકો કેહે છે. તેની ગરબિયો તથા પદ ગણાં પ્રસિદ્ધ છે. પણ તેની વિશેષ હકિકત પણ માલમ પડતી નથી.

23

ઉદેરત્ન

9 November 2023
0
0
0

ઉદેરત્ન ⁠એ કવિ ખેડાનો જૈનમત્તનો હતો, તેણે જૈનમત્તની તથા સાધારાણ બાબતોની પણ કવિતા કરેલી તે ગુજરાતીમાં તથા હિંદુસ્તાની ભાષામાં પણ છે. ⁠તેના વિષે એક એવી વાત ચાલે છે કે, એક વાણિયાને મંદવાડ હતો તેની સ્

---

એક પુસ્તક વાંચો