રવીન્દ્રનાથ ટાગોર એક એવું વ્યક્તિત્વ છે જેનું શબ્દોમાં વર્ણન કરવું ખૂબ જ મુશ્કેલ છે. રવીન્દ્રનાથ ટાગોર વિશે કંઈપણ લખવા કે કહેવા માટે શબ્દો ઓછા પડશે. તેઓ એવી અદ્ભુત પ્રતિભાથી સમૃદ્ધ હતા, જેમના સમગ્ર જીવનમાંથી કોઈ પ્રેરણા કે બોધપાઠ લઈ શકાય. તેઓ એવા દુર્લભ લેખકોમાંના એક છે જે સરળતાથી મળતા નથી. આવા મહાપુરુષો ઘણા યુગો પછી આ પૃથ્વી પર જન્મે છે અને પૃથ્વીને ઘન્યશાળી બનાવે છે. તેઓ એક એવુ વ્યકિતત્વ છે કે, જેમના જીવનની ભારતવર્ષ ૫ર ખૂબ પ્રભાવશાળી અસર ૫ડી હતી. તેમના જીવનની દરેક ક્ષણ લોકો જીવન૫ર અમીટ છા૫ છોડી ગઇ જેમાંથી આજે ૫ણ આ૫ણે બોઘપાઠ લઇએ છીએ.