જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક કેવી રીતે બનાવી શકાય? આધુનિક જીવનની એક મર્યાદા એ છે કે ભૌતિક સફળતાની મેરેથોન દોડમાં આપણે વર્તમાનના સુખ અને સૌંદર્યને ચૂકી જઈએ છીએ. આપણે કહીએ છીએ કે માણસે ક્ષણમાં જીવવું જોઈએ. પણ, કેવી રીતે? તેનો જવાબ જાપાનમાં જીવન જીવવાની કળા માટેનાં ત્રણ મહાન વિચારોમાં છે. મજાની વાત એ છે કે તેનું જ પ્રતિબિંબ સદીઓ જૂની ભારતીય સંસ્કૃતિમાં પણ છે. ઇચિગો ઇચી એટલે સત્યમ્ જીવનની દરેક ક્ષણ અનોખી છે, તેને અચૂક માણો. કાઈઝન એટલે શિવમ્ રોજેરોજના કામોમાં કંઈક ઇમ્પ્રુવ કરો. વાબી-સાબી એટલે સુન્દરમ્ જે જેવું છે તેવો તેનો સ્વીકાર કરો. તમારા વર્તમાન જીવનને ઉત્સાહપૂર્વક Celebrate કરવા અને ભવિષ્યને Magically બદલી નાંખવા માટે આ પુસ્તકમાં સમાવેલાં ત્રણ વિચારો મદદગાર સાબિત થશે. ઓરિજિનલ ગુજરાતી બેસ્ટસેલર ઇકિગાઈના લેખક રાજ ગોસ્વામી લિખિત આ પુસ્તક જીવનની દરેક પળને સુખી, સંતોષી અને સાર્થક બનાવવાની શાશ્વત કળા શીખવે છે. Read more