shabd-logo

ફેંસલો : સજા : માફી

21 June 2023

1 જોયું 1

ફેંસલો : સજા : માફી: ૨૨ :૩૧ મી ડિસેમ્બર : સોમવાર

અદાલતની બાવીસમી અને છેલ્લી બેઠકની કાર્યવાહીની શરૂઆત કરતાં જજ-એડવોકેટે લશ્કરી વકીલ પાસેથી આરોપીઓના ચારિત્ર્યની અને લશ્કરી નોકરી અંગેની વિગતો માગી. જવાબમાં લશ્કરી વકીલે જણાવ્યું કે કેપ્ટન શાહનવાઝની ઉમ્મર ૩૧ વર્ષ ને ૧૧ માસની છે. ૯ વર્ષ ને ૧૧ માસની એમની લશ્કરી નોકરી દરમિયાન એ અફસરપદે રહ્યા હતા. ૫ વર્ષ અને ૧ માસ સુધી એ કેપ્ટન હતા. આ મુકદ્દમા સિવાય એમનું સામાન્ય ચારિત્ર્ય ઘણું સારું છે. એમને કોઇ માનચાંદ મળ્યાં નથી. કેપ્ટન સેહગલની ઉમર ૨૮ વર્ષ અને ૧૧ માસની છે. પાંચ વર્ષ સુધી એમને કૅપ્ટન તરીકે નોકરી કરી છે. એમનું ચારિત્ર્ય ઘણું સારું છે. કોઇ માનચાંદ એમને મળ્યાં નથી. લેફટેનન્ટ ધિલન ૩૦ વર્ષ ને ૯ માસની ઉમરના છે. પોણાછ વર્ષની એમની નેકરી દરમિયાન સવાચાર વર્ષ સુધી એ લેફટેનન્ટ હતા. એમનું ચારિત્ર્ય ઘણું સારુ છે, કોઇ માનચાંદ એમણે મેળવ્યા નથી.

લશ્કરી અદાલતનો એવા શિરસ્તો છે કે જો આરોપીઓ ઉપરના એક યા વધુ આરોપો સાબિત થયેલા લાગે તો પછી સજા કડક કે હળવી બનાવવામાં આરોપીઓના ચારિત્ર્યની વિગતો ન્યાયાધીશો ધ્યાનમાં લ્યે છે. એટલે આજની અદાલત દરમિયાન ઉપલી વિગતોની માગણી થઈ એની ઉપરથી એવું સૂચન મળી ગયું કે આરોપીઓ એમની ઉપરના એક યા વધુ અરોપ મુજબ ગુનેગાર જણાયા છે.

અદાલતના પ્રમુખ મેજર-જનરલ બ્લેકલેન્ડે તે પછી જાહેર કર્યું કે, 'સજા અંગેની વિચારણા કરવા માટે હવે અદાલત બંધ કરવામાં આવે છે. ફેંસલો અને સજાને મંજૂરી મળ્યા બાદ એ થોડા દિવસોમાં જાહેર કરાશે. ખુલ્લી અદાલતની કાર્યવાહી એ રીતે પૂરી થાય છે.' લશ્કરી અદાલતના નિયમ મુજબ આ મુકદ્દમાની આખી કાર્યવાહી જજ-એડવોકેટ તરફથી હિંદના વડા સર સેનાધિપતિ (સર ક્લૉડ ઑકિનલેક)ના કાયદા અંગેના સલાહકારને મોકલાશે. એ કાર્યવાહી, એનો ફેસલો અને એની સજા બધી રીતે કાયદેસર અને બરાબર છે કે નહિ તેની જાણ આ સલાહકાર સરસેનાધિપતિને કરશે. કાર્યવાહી, ફેંસલો અને સજા દરેક રીતે વાજબી અને ન્યાયી છે કે નહિ તેની વિચારણા કર્યા બાદ સરસેનાધિપતિથી સજામાં કાંઇ વધારો કરી શકાય નહિ, પણ જો એમને યોગ્ય લાગે તે એ સજા ઘટાડી શકે છે અને સમૂળગી રદ બાતલ પણ કરી શકે છે.

૩જી જાન્યુઆરી : ગુરુવાર

આઝાદ હિંદ ફોજના પહેલા મુકદ્દમાના ત્રણ આરોપી અફસરોને અદાલતે ફરમાવેલી જનમટીપની સજા વડા સરસેનાધિપતિએ માફ કરી છે એવું જણાવતી નીચે મુજબની સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી છે : 'કેપ્ટન શાહનવાઝખાન, કૅપ્ટન સેહગલ, અને લેફ્ટેનન્ટ ધિલન ઉપર લશ્કરી અદાલતમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો છે. રાજા સામે યુદ્ધ ચલાવવાનો આરોપ ત્રણે ય પર છે અને લેફ૦ ધિલન ઉપર ખૂન કરવાનો તથા બીજા બે ઉપર ખૂન કરાવવાનો આરેાપ છે. અદાલતનો ફેંસલો એ છે કે યુદ્ધ ચલાવવાના આરોપસર એ ત્રણેય ગુનેગાર ઠર્યા છે; કૅ૦ શાહનવાઝખાનને ખૂન કરાવવાના આરોપસરની સજા પણ થઇ છે, અને ખૂન કરવાના આરોપમાં લેફ૦ ધિલનને તથા ખૂન કરાવવાના આરોપમાં કૅ૦ સેહગલને બિનગુનેગાર ઠરાવવામાં આવ્યા છે . . . . યુદ્ધ ચલાવવાના ગુનાસર ત્રણે ય આરોપીઓને અદાલતે જનમટીપની, લશ્કરમાંથી છૂટા કરવાની અને એમનાં પગાર-ભથ્થાંની જમા રકમ જપ્ત કરવાની સજા કરી છે . . . . અદાલતનો ફેંસલો દરેક બાબતમાં પુરાવાઓ સાથે સુસંગત છે એની સરસેનાધિપતિને ખાતરી થઈ છે, અને તેથી એમણે એને પોતાની મંજૂરી આપી છે . . . . વર્તમાનપત્રોમાં જણાવવામાં આવ્યું છે તેમ હિંદી સરકારની નીતિ હવેથી માત્ર એવા માણસો ઉપર કામ ચલાવવાની છે કે જેમની ઉપર યુદ્ધ ચલાવવા ઉપરાંત ભયંકર સિતમ ગુજારવાના આરોપો પણ મૂકવામાં આવ્યા હોય. કોઈ પણ મુકદ્દમામાં સજાની પુન:વિચારણા કરનાર અધિકારીએ એ ધ્યાનમાં રાખવાનું છે કે સાબિત થયેલાં કૃત્યો સુધરેલી દુનિયાના વ્યહવાર-નિયમોને કેટલે અંશે ભંગ કરે છે. લેફ૦ ધિલન અને કે૦ સેહગલને ખૂન–કરાવવાના આરોપોમાં નિર્દોષ ઠરાવવામાં આવ્યા છે. જુલમ ગુજારવાનાં બીજાં કૃત્યોના આરોપ એમની ઉપર મૂકવામાં આવ્યા નથી. કે૦ શાહનવાઝ ખાનને ખૂન કરાવવાના આરોપસર ગુનેગાર ઠરાવવામાં આવ્યા છે અને એમની સામે સાબિત થયેલાં કૃત્યો ઘણાં આકરાં છે, છતાં અત્યારના સંજોગોનો ખ્યાલ કરવો જરૂરી મનાયું છે.

'તેથી સરસેનાધિપતિએ સજાની બાબતમાં ત્રણેય આરોપીઓ સાથે એકધારું વર્તન રાખવાનો અને એમને થયેલી જનમટીપની સજા માફ કરવાનો નિર્ણય કર્યો છે. પણ એમને લશ્કરમાંથી રદ કરવાની અને તેમનાં પગાર-ભથ્થાં જપત કરવાની સજા એમણે મંજૂર રાખી છે, કારણ કે પોતાની વફાદારી ફગાવી દઈને રાજ્યસત્તા સામે યુદ્ધ ચલાવવું એ એક સિપાહી માટે ગમે તેવા સંજોગોમાં પણ , એક અતિ ગંભીર ગુનો છે. આ એક એવો સિદ્ધાંત છે કે કાયદેસર રીતે સ્થાપિત થયેલી ભૂતકાળની કે ભવિષ્યની કોઈપણ સરકારના હિત ખાતર એની જાળવણી થવી જરૂરી છે.'♦સબ સુખ ચૈનકી બરખા બરસ, ભારત ભાગ હૈ જાગા,પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા,ચંચલ સાગર બિંધ હિમાલા, નીલા જમના ગંગા.તેરે નીત ગુન ગાએ,તુઝસે જીવન પાએસબ તન પાએ અાશાસૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગાજય હો, જય હો, જય હો, જય જય જય જય હો !સબકે દિલમેં પ્રીત બસાએ તેરી મીઠી બાની.હર સૂબેકે રહનેવાલે હર મઝહબકે પ્રાની.સબ ભેદ-ઓ'- ફરક મિટાકે,સબ ગોદ મેં તેરી આકે,ગૂંથે પ્રેમકી માલા;સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગાજય હો, જય હો, જય હો, જય જય જય જય હો !સુબહ સવેરે પાંખ પખેરૂ તેરી હી ગુન ગાએ,બાસ ભરી ભરપૂર હવાએં જીવનમં રટલાએં.સબ મિલ કર હિંદ પુકારે,જય આઝાદ હિંદ કે નારે.પ્યારા દેશ હમારા,સૂરજ બન કર જગ પર ચમકે ભારત નામ સુભાગા,જય હો, જય હો, જય હો, જય જય જય જય હો !ભારત નામ સુભાગા ! 

14
લેખ
લાલ કિલ્લાનો મૂકદમો
4.0
આઝાદ હિંદ ફોજની શૌર્યકથાઓ જ્યારે આરાકાનના પહાડોમાં અને મણિપુરના મેદાનોમાં સાચેસાચ ભજવાઈ રહી હતી ત્યારે વિધાતાની કોઈ ક્રૂર કરામતને લીધે આ દેશની પ્રજા એની સાથે તાલ મિલાવી શકેલી નહિ એટલું જ નહિ પણ ઊછળતી છાતીએ એને નીરખતી રહીને એમાં પારસ રેડવાનું પણ એનાથી બની શક્યું નહોતું, ઈરાવદીને પેલે પારથી જ્યારે વતનનો સાદ સાંભળીને 'ચલો દિલ્હી'ના નાદ ગજવતા આઝાદ ફોજના સિપાહીઓ દિલ્હીની વાટને લેહીભીની બનાવતા દોડ્યા આવતા હતા, હિંદી-હિંદીના લોહીનાસંગમ વચ્ચે માત્ર થોડી ટેકરીઓ અને થોડાં મેદાનો જ જ્યારે બાકી રહ્યાં હતાં, ત્યારે વતનનું લોહી તો થીજેલું જ પડ્યું હતું. આ દેશના પ્રજાજનો એ સિપાહીઓને મુક્તકંઠે આવકારી પણ શકે તેમ નહોતા. એમને મોઢે જેમ ડૂચો દેવાયેલો હતો તેમ એમની આંખે એ પાટા બાંધેલા હતા. અને હવે, આઝાદ ફોજ ગુલાબી એક સ્વપ્નામાંથી ઊડીને એમાંજ જાણે પાછી સમાઈ ગઈ હોય તેવું લાગે છે ત્યારે પ્રજાના અંતરમાં એને માટે પ્રેમનાં લાખ-લાખ ઝરણાં ફૂટ્યાં છે. પોતે જેને ખરે ટાણે સન્માની શકી નહોતી તેને આજે તે એ પૂજવાની હદે પહોંચી ગઈ છે. આઝાદ ફોજ વિશે જેટલું મળે તેટલું જાણીને પોતાનું અંતર એનાથી છલકાવી દેવાનો તનમનાટ પ્રજામાં જાગ્યો છે.
1

નિવેદન

21 June 2023
0
0
0

આઝાદ ફોજ વિશે થોકબંધ સાહિત્ય બહાર પડવાની તૈયારીઓ થઈ રહી છે. એની સત્યકથામાં જ બલિદાન અને મરણિયાપણાના એવા રાતા-કેસરિયા રંગો પડ્યા છે કે શબ્દચાતુરીની ગમે તેવી રંગપુરણી પણ કદાચ એની આગળ ફિકકી જ દેખાશે. એટલ

2

ઊઘડતી અદાલતે

21 June 2023
0
0
0

ઊ ઘ ડ તી અ દા લ તે: ૧ :૫ મી નવેંબર : સોમવાર બ્રિટિશ હિંદના ઇતિહાસમાં અજોડ એવો એક ખટલો દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાંની એક લશ્કરી 'બેરેક' – ઈમારતને બીજે માળે આજે શરૂ થયો. ન્યાયકચેરીમાં દાખલ થવા માટેન

3

તહોમતનામું'

21 June 2023
0
0
0

રાજા સામેના યુદ્ધનું અને ખૂનોનું ત હો મ ત ના મું'  આરોપીઓ હિંદી લશ્કરી અફસરો છે અને તેથી હિંદી લશ્કરી કાનૂનને તેએા આધીન છે. કૅપ્ટન શાહનવાઝખાનનો જન્મ રાવલપીંડીમાં ૧૯૧૪ની ૨૪મી જાન્યુઆરીએ થયો હતો. દેહ

4

આઝાદ ફોજનો કાનૂન ઘડનારા

21 June 2023
0
0
0

આઝાદ ફોજનો કાનૂન ઘડનારાલેફ૦ નાગની જુબાની બે વાગે અદાલત ફરી મળી ત્યારે ફરિયાદપક્ષે કેટલાક દસ્તાવેજો રજુ કર્યા હતા. એમાંથી બતાવાયું કે ત્રણે ય આરોપીઓ અગાઉ હિંદી લશ્કરમાં અફસરો હતા અને દુશ્મનના હાથમાં ય

5

કામચલાઉ સરકારનું જાહેરનામું

21 June 2023
0
0
0

આઝાદ હિંદુસ્તાનનીકામચલાઉ સરકારનું જાહેરનામું '૧૭૭૫ માં બંગાળમાં અંગ્રેજોને હાથે પહેલીવાર પરાજય પામ્યા પછી, હિંદુસ્તાનની પ્રજા એકસો વર્ષના ગાળા દરમિયાન આકરી અને ઘોર લડાઈએાની એક પરંપરા લડી હતી. આ કાળનો

6

'આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની !

21 June 2023
0
0
0

'આપણે જાપાનીઓની તાબેદારી નથી કરવાની !' જાહેરનામુ વંચાઈ રહ્યા બાદ શ્રી ભુલાભાઈએ આગળ ચલાવેલી ઊલટતપાસ દરમિયાન સાક્ષીએ જણાવ્યું કે :- '૧૯૪૪ના એપ્રિલમાં હું રંગુન ગયો ત્યારે આઝાદ હિંદ બેન્કની મને જાણ થઈ.

7

“ તો આપણે જાપાનીઓ સામે પણ લડશું !”

21 June 2023
0
0
0

“ તો આપણે જાપાનીઓ સામે પણ લડશું !” ફરિયાદપક્ષના છઠ્ઠા સાક્ષી લાન્સ–નાયક ગંગારામ નેવારે કહ્યું:- ૧૯૩૩માં હું હિંદી લશ્કરમાં જોડાયો અને ૧૯૪૨ના ફેબ્રુઆરી માં મલાયામાં યુદ્ધકેદી બન્યો. એક છાવણીમાં ક

8

પઢાવાયેલા સાક્ષીઓ ?

21 June 2023
0
0
0

પઢાવાયેલા સાક્ષીઓ ?વીસમા સાક્ષી તોપચી બહાલસીંધ ૧૯૪૪ના ફેબ્રુઆરીમાં આ૦ હિં૦ ફો૦મા જોડાયા ત્યાં સુધી મલાયાની જુદી જુદી નજરકેદ છાવણીમાં હતા. બરમામાં પોપા ટેકરીને મોરચે ગયેલી આ૦ હિં૦ ફો૦ની ટુકડીએામાં એ પણ

9

' હિંદુસ્તાનની સાચી તસ્વીર અમે ભાળી ?'

21 June 2023
0
0
0

' હિંદુસ્તાનની સાચી તસ્વીર અમે ભાળી ?' ફરિયાદીનો પક્ષ પૂરો થયો તે પછી ત્રણેય આરોપીઓએ અદાલત સમક્ષ પોતાનાં જુદાં જુદાં નિવેદનો કર્યો. ચાલીસ મિનિટ સુધી ચાલેલું કૅ. શાહનવાઝખાનનું નિવેદન આ રહ્યું: 'જંજ

10

પાંચ જાપાનીસ સાક્ષીઓની જુબાની

21 June 2023
0
0
0

પાંચ જાપાનીસ સાક્ષીઓની જુબાની: ૧૩ :૮ મી ડિસેમ્બર : શનિવાર જાપાનીસ પરદેશખાતાના એક અમલદાર શ્રી એાહ્‌ટાએ આજે બચાવ પક્ષના સૌ પહેલા સાક્ષી તરીકે શુદ્ધ અંગ્રેજીમાં જુબાની આપી. એમની સોગંદવિધિ વેળા એમના હાથમ

11

બે પ્રધાનોની જુબાની

21 June 2023
0
0
0

આઝાદ હિંદ સરકારનાબે પ્રધાનોની જુબાની: ૧૫ :૧૧મી ડિસેંબર : મંગળવાર બચાવ પક્ષના છઠ્ઠા સાક્ષી હતા આઝાદ હિંદની કામચલાઉ સરકારના એક પ્રધાન શ્રી અય્યર એમણે જુબાની આપી કે – “૧૯૪૧ની ૧૦મી ડિસેંબરે જાપાનીઓએ લડા

12

આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો

21 June 2023
0
0
0

આઝાદ સરકારના વહીવટની વધુ વિગતો તે પછીના સાક્ષી આઝાદ હિંદ બેંકર ડીરેક્ટરોમાંના એક શ્રી દીનાનાથે જણાવ્યું કે - રંગુનમાં હું દસ વરસ રહ્યો છું, ઈમારતી લાકડાંનો વેપાર કરુ છું અને ઇજનેરી કોંટ્રાક્ટો લઉં

13

મુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર'

21 June 2023
0
0
0

'નૈતિક ને આંતરરાષ્ટ્રીય કાનૂનોએ માન્ય રાખેલોમુક્તિયુદ્ધ ખેલવાનો ગુલામોનો અધિકાર' : ૧૮ :૧૭ મી ડિસેમ્બર : સોમવાર બચાવપક્ષની દલીલોની શરૂઆત શ્રી ભુલાભાઈએ કરી: “આ અદાલત સમક્ષ આજે જેનો ઇન્સાફ તોળાઈ રહ્

14

ફેંસલો : સજા : માફી

21 June 2023
0
0
0

ફેંસલો : સજા : માફી: ૨૨ :૩૧ મી ડિસેમ્બર : સોમવાર અદાલતની બાવીસમી અને છેલ્લી બેઠકની કાર્યવાહીની શરૂઆત કરતાં જજ-એડવોકેટે લશ્કરી વકીલ પાસેથી આરોપીઓના ચારિત્ર્યની અને લશ્કરી નોકરી અંગેની વિગતો માગી. જવાબ

---

એક પુસ્તક વાંચો