shabd-logo

આંચળ તાણનારા !

14 October 2023

8 જોયું 8

આંચળ તાણનારા !

"હાંકો, હાંકો માલને. ચોંપ રાખેા જુવાનો ! વાંસે. વાર વહી આવે છે."

એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીએાની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધ્રાંગધ્રા તાબાના ગામ નગરાથી ટીકર ગામને કેડે માલ ઘેાળી જાય છે. રણની સપાટ ધરતી ઉપર ભેંસોના પડછાયા છવાઈ ગયા છે. ઝાંઝવાંનાં જળ જામતાં આવે છે. ભેંસો સીધે માર્ગે ચાલતી નથી. પાછી વળવા મથે છે. ઘેરથી પાડરુના સાદ પડતો હોય એવી જાણે બૂમો આવે છે. મા બાળકને બોલાવતી હોય એવી વાંભ સંભળાય છે :

“ બાપ ભગર ! મોળી જીવ સાટાની, ભગર !”

એ સાંભળીને આખા ખાડામાંથી ચાર ભેંસાના કાન મંડાય છે, ચારેનાં પૂછ ઊંચાં થાય છે, ચારેના કંઠમાંથી કરુણાભર્યો રણકાર નીકળે છે, ને ચારે ભેંસો પોતાના ઉપર વરસતી પરોણાની પ્રાછટમાંથી પણ મેાં ઊંચાં કરીને નગરા ગામને માર્ગે મીટ માંડે છે.

“આ વાંસે ચસકા કોના પડે છે ?” જાડેજાએ કાન માંડીને સાંભળી રહ્યા.

“અા વાર નથી, સીમાડે કોઈક બાઈ માણસ ધા દેતું દોડ્યું આવે છે. એકલવાયું લાગે છે.”

લૂંટારાએ તળાવડીની પાળ વળોટે તે પહેલાં તો “ ઊભા રો' બાપ ! મારા વીરાઓ, જરીક ઊભા રો !” એવો અવાજ દેતી ઓરત અાંબી ગઈ, એના હૈયામાં શ્વાસ સમાતો નથી. રાતુચોળ લોહી એના માં ઉપર છેાળો મારી રહ્યું છે. વાળ ​વીખરાઈ ગયા છે. માથે ઓઢેલ ઊનનો ભેળિયો ખભે ઊતરી ગયેા છે. આખો દેહ પરસેવે નાહી રહેલ છે.

ચાર ભેંસો એને દેખીને આકુળવ્યાકુળ થઈ ગઈ. જાડેજાઓની ડાંગો ખાતી પણ એ ચારે આ બાઈની સામે દોડવા લાગી.

“બાપ! મારા પિયર ! તમારું તો જાદવ કુળ : તમે જાડેજા માયલા પણ સાહેબ સાખના બેટડાએ : તમારે ને ધ્રાંગધ્રાને વેર, એમાં મારી ગરીબ ચારણ્યની ભીંસું કાં હાંકી જાવ ? હું તો તમારી બીન વદું. અને મારો ચારણ પરદેશ વર્તવા ગયેા છે. એ પાછો વળશે ત્યારે છાંટો છાશ વન્યા વાળું શેણે કરશે ? આ ભીંસુનાં દૂધ તમે સાહેબ રજપૂતોનાં ગળાં હેઠે શે ઊતરશે ?”

પરદેશ ગયેલો પોતાનો ચારણ સાંભરતાં ચારણીના ભરજુવાન દેહ ઉપર લાલપ છલકી. ગાલ ઉપર આઠ આઠ ચૂમકીઓ ઊપડી. રૂપનો સાગર જાણે પૂનમની સાંજરે હેલે ચડ્યો. બોકાનીએાને મોઢા ઉપરથી જરીક ખેસવીને સાહેબ જાડેજાઓ બેાલ્યા : “આઈ ! ટીકર આવજો. તમારી ભેંસુ હશે તે કાઢી દેશું : અટાણે આખા ખાડામાંથી ક્યાં તારવવા બેસીએ ! અમારી વાંસે વાર વહી આવે છે.”

“ તમને ખમ્મા, મારા વીર! પણ, મારા બાપ ! મારી ચારે ભગર કાંઈ ગોતવી પડે? જો આ ઊભી મારી હાથણિયું. એક હજાર ભેંસુંમાંય નોખી તરી નીકળે ! મેં ચારેની બહુ ચાકરી કરી છે, મારા બાપ !”

“ ઠીક આઈ, તારવી લ્યો તમારી ચાર ભેંસુ.”

ચારણીએ એની ચારે ભગરીને નામ દઈને બેલાવી. કાન ફફડાવતી ને પૂછડાં ઉલાળતી ચારે ભેસો નેાખી તરી ગઈ. પણ ત્યાં તે રજપૂતોની આંખ ફાટી ગઈ. એ કાળીભમ્મર ​કાયા, ગળામાં હાંસડી આવી જાય એવી સાંકળ,[૧] કપાળમાં ધેાળી ટીલડી, અધમણ દૂધ ભરેલાં આઉ, એવી ભેંસ કેાને ગળેથી છૂટે ?

જાડેજાએાએ એકબીજાની સામે મિચકારા માર્યા. ફાટેલ જુવાનડા હતા તે બોલી ઊઠયા : “એ બાઈ, ઈ ચાર ભેંસુંના આંચળ કેાણ તાણશે, ખબર છે ? જે અમારી પાસે પોતાના આંચળ તણાવતી હશે ઈ; બીજીના હાથ ભોંઠા પડશે, ભેાંઠા.” બોલનારાઓની મેલી નજરો બાઈની છાતી ઉપર રમવા લાગી.

ચારણી થંભી ગઈ એની જબરદસ્ત છાતીમાં જાણે ધમણ ધમવા લાધી. કાળી વાદળીમાંથી વીજળી ઝબૂકે તેમ કાળી કાળી બે આંખેામાંથી ઝાળ ઊઠી. સુકોમળ હાથે કમરમાંથી છરો કાઢીને એણે પોતાના બેય થાનેલા કાપી નાખ્યા. જુવાન રજપૂતોની સામે ફેંકીને કહ્યું : “લ્યો બાપ, તાણ્યા કરજો અને ધરાઈ ને દૂધ પીધા કરજો !”

છાતીએથી ધખ ધખ લોહીની બે ગૌમુખી વછૂટી. રજપૂતો કાંપતાં કાંપતા જોઈ રહ્યા. ચારણી ત્યાંથી ઘેર ભાગી. ઘેર આવી ગાડું જોડાવી એના ભાઈ કેશવદાસ રતનાની પાસે પહેાંચી જઈને કહ્યું : "ભાઈ ! મારાં આંછળ્ તાણવા આજ ટીકરના રજપૂતો આવ્યા'તા, તું ચોટીલે જાજે ને આપા મૂળુ ખાચરને બોનનો ઝાઝા જુવાર કે'જે.”

એટલું કહીને એણે થાનેલા ઉપર બાંધેલું લૂગડું છોડી નાખ્યું. એના પ્રાણ ત્યાં ને ત્યાં નીકળી ગયા.

બહેનના દેહને દેન દઈને કેશવદાસ ચારણ ચોટીલે ચાલ્યો. ચોટીલાના મૂળુ ખાચરને તો આખી પાંચાળ અત્યારે ​ પૂજી રહી છે.લૂંટફાટ અને અત્યાચારના એ જુગમાં મૂળુ ખાચરની તો નાડી ધોઈને પેટપીડવાળી બાઈઓને પવાતી હતી. મૂળુ ખાચર ઘોડે બેસીને માર્ગે ચાલ્યા જતા હોય, ખરો ઉનાળો ખેરના અંગારા વરસાવતો હોય અને એમાં જો કોઈ આવીને કહે કે “બાપુ, મારી ઘરવાળીને આડું આવ્યું છે,” તો એ કાઠી ત્યાં ને ત્યાં થંભી જતો, તે જ જગ્યાચે ઘાસિયા નાખીને હાથમાં સૂરજની માળા લઈ બેસી જતો; અને હોકાની ચલમમાંથી ચપટી રાખ નાખીને એ પાણી આપતો. આવનાર ધણી પોતાને ગામ જઈને એ પાણી પોતાની બાયડીને પિવડાવે, અને પાછા જઈને દરબારને કહે કે “બાપુ, આડું ભાંગી ગયું, ત્યારે મૂળુ ખાચર એ તડકેથી માળા ફેરવવાનું બંધ કરીને પાછા ઘેાડે ચડે, ત્રણ કલાકમાં જે આડું ભાંગ્યાના ખબર ન આવે તે પ્રાણ કાઢી નાખવા માટે તરવાર પણ તૈયાર રાખીને જ બેસતા.

એક વખત ઉદેપુરના રાણાને કોઢ નીકળ્યો. એણે મેવાડમાં વાત સાંભળી કે કાઠિયાવાડના દરબાર મૂળુ ખાચર પરનારીસિદ્ધ પુરુષ છે. એનું નાહેલું પાણી લાવીને રાણાજી નહાય તો કોઢ ટળે. રાણાના માણસો ચોટીલે પહોંચ્યા. દરબારના માણસો સાથે મતલબ કરી, દરબારનું નાહેલું પાણી એક દિવસ તાવડામાં ઝિલાઈને મેવાડને રસ્તે પડયું. પાછળથી મૂળુ ખાચરને એની ખબર પડી. એના પરિતાપને પાર ન રહ્યો. એણે વિચાર્યું : “ હાય ! હાય ! રાણાનો કોઢ નહિ મટે તો જગતમાં મારે માટે શું કહેવાશે ? એ કરતાં તો મરવું શું ભૂંડું ?” એ ઉદેપુર પહોંચ્યા. છાનામાના જઈને રહ્યા. લેાકેાને મોઢેથી જ્યારે એણે એ પાણી વડે રાણાને કોઢ મટ્યાની વાત જાણી, ત્યારે એને નવો અવતાર આવ્યો. ચોટીલે પાછા વળ્યા.

એવા દેવતાઈ પુરુષને કવિ માનવીની સાથે કેમ કરીને સરખાવે ? ​


મૂળુ માનવીએ, માણો કીં મીંઢાવીએ,
અરસ ઇંદ્ર તણે, તું નરખેવો નાગાઉત !નાગ ખાચરના પુત્ર, મૂળુ ખાચર, આરસની દેવમૂર્તિ હોય તેને

જેમ દેવ સાથે નથી સરખાવાતી, તેમ માનવીને તારી સાથે ન સરખાવાય. અર્થાત્, તારો દેહ માનવીનો છે, પણ તું પોતે તો દેવ છો.[૨]

સિત્તેર વરસના, શ્વેત રૂપેરી દાઢીમૂછે શોભતા મૂળુ ખાચર ગામતરે જતા હતા. ભેળા પંદર-વીસ અસવારો હતા. એમાં સામે રસ્તે આવતા ક્યાડી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી. પૂછયું : “ભાઈ, પાંચાળમાં ઉઘાડે માથે ભમનારો આ કોણ આવે છે ? પાઘડી કે પનિયું કાંઈ કાં નથી બાંધેલ ?”

અસવાર નજીક આવ્યો. એાળખાયેા : “આપા, આ તો કેશવદાસ ગઢવી.”

“ગઢવી, રામ, રામ ! આમ ઉઘાડે માથે કાં ?”

કેશવદાસે રામરામ ન કર્યા. એની આંખોમાં આંસુડાં હતાં. એણે દુહો ગાયો :


જોગાહર, જાચણ તણી, ધાયું કાન ધર્યે,
કાઠી, કટક કર્યે, મૂળવા, ટીકર મારવે.હે જોગા ખાચરના પૌત્ર, મૂળુ ખાચર, યાચકની –ચારણની– ચીસને કાને ધરજે. હે કાઠી, દળકટક લઈને ટીકર ગામને રોળી નાખજે ! પછી જ રામ રામ કરશું. પછી જ હું માથું ઢાંકીશ. આજ હું ક્યા શૂરવીરની લાજે માથું ઢાંકું ! હાય હાય, મૂળુ ખાચર ! પાંચાળમાં કોઈ સૂરજ-પૂતર નથી રહ્યો ત્યારે જ સાહેબ રજપૂતો વગડામાં અંતરિયાળ આપણી બેનદીકરિયુંનાં થાન ઉપર નજર નાખે ને !

“કેશવદાસ, તમે આ શું બોલો છો ?” ​ "આપા મૂળુ ખાચર ! ઝાઝી વાર નથી થઈ. હજી કાલે સવારે જ મારી બોનના થાનેલા કપાણા. મરતી મરતી એ તારું નામ લેતી ગઈ છે.”

કેશવદાસે આખી વાત વર્ણવી. મૂળુ ખાચરની આંખેામાંથી ઊનાં ઊનાં આંસુ દડી પડયાં. એનું કલેજું સડસડ્યું. “અરે હાય હાય હાય ! કાઠી લૂંટઝૂંટ કરે; કાઠી મારપીટમાં પાછું વળીને ન જુએ, કાઠીનાં પાપ તો પાર વગરનાં; પણ કાઠીએ સ્ત્રીની જાતને જોગમાયા કરી સદા પૂજી છે. આજ પાંચાળને પાદર કચ્છી રજપૂતોએ કાળો કામો કર્યો, અમારી દેવભોમ લાજી. સતી પાંચાળીનું આ પિયરિયું શરમાણું. પણ કેશવદાસ ગઢવી ! આ લ્યો, આ કોલ. ત્રણ દીમાં જો હું ટીકરને તાવડીમાંથી રોટલો ઉથલાવે તેમ ન ઉથલાવું તો જાણવું કે મૂળુ ખાચર સૂરજપૂતર નહોતો, - તો એના માવતરમાં ફેર જાણજો !"

“બસ, આપા ! તો હવે કસૂંબા પીએં !”

કસૂંબા લઈને મૂળુ ખાચર ગામતરે ન જતાં પાછા વળ્યા. પણ દેવને કરવું છે તે એ જ રાતથી આપાને માથાનો દુ:ખાવો ઊપડ્યો. તાવ ચડયો. ટીકર તો આઘેરું રહી ગયું. સ્વર્ગાપરના દરવાજા દેખાયા. પણ જીવ કેમેય કરીને જાતો નથી.

દીકરાએ પિતાની પથારી ઉપર બેસીને પૂછયું : “બાપુ ! જીવ કેમ જતો નથી ? પાંચાળમાં સહુ ટોળો કરે છે કે મૂળુ ખાચર સતવાદી મોતથી ડરી ગયો. બાપુ, જીવતરમાં એવડી બધી શી મમતા રહી ગઈ?”

“બેટા !” મરતાં મરતાં બાપે દીકરાને હાથ દાબીને કહ્યું” : “તારો બાપ મોતથી ન ડરે; પણ મારા જીવતરનું એક કામ રહી ગયું, ટીકર મારવી હતી, પાંચાળીનાં થાન તાણવા આવનાર સાહેબ રજપૂતોના પ્રાણ તાણવા હતા. પાંચાળની દીકરિયુંનાં રૂપ એ રજપૂતોથી ન દેખી શકાયા. હવે પાંચાળીએા ​પોતાની દૂધભરી ભાગીરથી જેવી છાતિયું ક્યાં સંતાડશે ?”

દીકરાએ આખી કથા જાણી લીધી. કહ્યું : “બાપુ ! એમાં શી મોટી વાત છે? બાપનાં કરજ તો બેટાઓ ફેડતા જ આવેલ છે. લ્યો, આ પાણી મૂકું છું કે તમારું તેરમું કરીને ચૌદમે જ દા'ડે ટીકર માથે મીઠાનાં હળ જોડાવું.”

“ બસ, બાપ !”

“ ત્યારે કરો સદ્ગતિ.”

મૂળુ ખાચરને જીવ ચાલ્યો ગયો. એના કારજ ઉપર સોરઠની ત્રણે પરજોના કાઠીએ ભેળા થયા. ડાયરાને જમાડીજુટાડી તેરમાની સાંજે આપા મૂળુના પુત્ર સહુને ટીકરના રજપૂતોનું પાપ જાહેર કર્યું તમામ કાઠીઓએ ત્યાંથી પરબારા જ ટીકર ઉપર ચડવાને ઠરાવ કર્યો.

મોડી રાતે સહુ સૂતા તે વખતે મૂળુ ખાચરના બુઢ્ઢા ચારણે છાનામાના ગઢમાં જઈને જુવાનને કહ્યું :

“બાપ, વાંસેથી જગત વાતું કરશે.”

“શી વાતું, દેવ ?”

“ કે બાપને વચન આપતી વખતે તો એકલો જશ ખાટી ગયો, અને અંતે બાયલો ત્રણ પરજુંની મદદ લઈને ગયો !”

“દેવ, તમારાં વેણ એક લાખ રૂપિયાનાં.” પ્રભાતે ઊઠીને એણે મહેમાનોને કહ્યું : “હમણાં તો સહુ પધારો, પછી ટીકર ભાંગવાનો દિવસ ઠરાવશું.”

ત્રણે પરજ વીંખાઈ ગઈ, દીકરો એકલો પોતાનાં જ ઘેાડાં લઈને ચડ્યો. ટીકર ભાંગ્યું, અને કેશવદાસને ઢાંકણિયું ગામ દીધું. 

  1.  સાંકળ - ગરદન, જે ભેસની ગરદન બહુ ઝીણી હોય તેના શરીર ઉપર લોહી ખૂબ હોય. 
  2.  નાગ ખાચરના પુત્ર, મુળુ ખાચર, તને અન્ય માનવીઓ સાથે શું સરખાવવો ? અમે તો તને સ્વર્ગપતિ ઈન્દ્ર બરાબરીનો – અર્થાત દેવરાજા રૂપ જ જોયો છે.
23
લેખ
સૈરાષ્ટ્રની રસધાર ભાગ ૨ ઝવેરચંદ મેઘાણી
0.0
'સૌરાષ્ટ્રની રસધાર'નો પહલો ભાગ સહુ પ્રથમ ૧૯૨૩માં બહાર પડ્યો હતો, અને પાંચમો ભાગ ૧૯૨૮માં. આમ ૧૯૭૮માં આ પુસ્તકોની સુવર્ણજયંતી હતી. આ સુલભ આવૃત્તિ બહાર પાડવાની અમારી ઈચ્છા કાગળની અછત અને મોંઘવારીને લીધે ત્યારે પાર ન પડી. અાજે, બે વરસ પછી, થોડી અનુકુળતા થઈ છે તેથી આ સસ્તી સુવર્ણજયંતી આવૃત્તિ પ્રગટ કરતાં લેખકનું કુટુંબ આનંદ અનુભવે છે. આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણો વખતે શિથિલ પ્રફવાચનને કારણે ઉત્તરોઉત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠ જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રાહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવતી સરાણે ચડીને પાર ઊતર્યાં અને આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાએ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે 'રસધાર'ના ત્રીજા ભાગને છેડે ( અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે ) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયેાગોના અર્થો આપ્યા છે. આ કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયાગેાના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા; એનો ઉપયોગ કરીને આ અર્થ સારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીને લાભ મળ્યો છે. 'રસધાર' ની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડયા છે, એમાં એમનો 'રસધાર' અને તેના લેખક પ્રત્યેને ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારે આભાર વ્યક્ત કરીએ છીએ.
1

લેખકનું નિવેદન

12 October 2023
2
0
0

લેખકનું નિવેદન [ બીજી આવૃત્તિ ] સાત વર્ષ પર લખાયેલી પહેલી આવૃત્તિમાં ઘણો કૃથો હતો તે કાઢી નાખ્યો છે. લખાવટ બીજી 'રસધારો'ની કક્ષામાં આણી છે. સુધારાવધારા કર્યા છે. પહેલી બે કથાઓનાં ૪૨ પાનાં નવીન ઉ

2

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

12 October 2023
0
0
0

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ "તેદુ'ની વાતું હાલી આવે છે, ભાઈ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું ! કોણ જાણે છે શી બાબત હશે !" એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર

3

રા' નવઘણ

12 October 2023
0
0
0

રા' નવઘણ "લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર." એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયેા અને અક્કેક થાનેલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છા

4

એક તેતરને કારણે

12 October 2023
0
0
0

એક તેતરને કારણે પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવત

5

એક અબળાને કારણે

12 October 2023
0
0
0

એક અબળાને કારણે સિંધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી જેવી કન્યા છે. કા

6

સિંહનું દાન

12 October 2023
0
0
0

સિંહનું દાન મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબ

7

વર્ણવો પરમાર

13 October 2023
1
0
0

વર્ણવો પરમાર સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાં

8

આલમભાઈ પરમાર

13 October 2023
0
0
0

આલમભાઈ પરમાર રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના

9

દીકરો !

13 October 2023
0
0
0

દીકરો ! "આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શેાભે.” એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ

10

ઢેઢ કન્યાની દુવા

13 October 2023
0
0
0

ઢેઢ કન્યાની દુવા શિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપદીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઈ ભાલે ને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે, અને બુઢ્ઢા બાપુ અખેરાજજી એનું

11

આઈ જાસલ

13 October 2023
0
0
0

આઈ જાસલ "આ તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” (આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશિયા પાણી નાખીશ, બહેન?) “ભલેં, નાખાંસ, ભાઈ !” તેજણની તરસ છીપી ત્યાં લગી પનિયારીએ સીંચી

12

કામળીનો કોલ"

13 October 2023
0
0
0

કામળીનો કોલ"  આ ગામનું નામ શું ભાઈ?” “નાગડચાળું. કયાં રે'વાં ?” “રે'વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ?” “ હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે આંહી

13

આંચળ તાણનારા !

14 October 2023
0
0
0

આંચળ તાણનારા ! "હાંકો, હાંકો માલને. ચોંપ રાખેા જુવાનો ! વાંસે. વાર વહી આવે છે." એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીએાની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધ્ર

14

મોત સાથે પ્રીતડી

14 October 2023
0
0
0

મોત સાથે પ્રીતડી આ શરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, 'મને મરવા દે

15

કરપડાની શૌર્યકથાઓ

14 October 2023
0
0
0

૧૪ કરપડાની શૌર્યકથાઓ ૧. 'સમે માથે સુદામડા ?' પહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ,પિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ. જુવાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો

16

ફકીરો કરપડો

14 October 2023
0
0
0

 ર. ફકીરો કરપડો સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું એને વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખા ખાચર હતેા એમ બેાલાય છે.

17

વિસામણ કરપડો

14 October 2023
0
0
0

૩. વિસામણ કરપડો ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પ

18

કાળો મરમલ

14 October 2023
0
0
0

કાળો મરમલ "હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું ; એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં; એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ સતી બહેન સારુ પોતપોતાન

19

કાંધલજી મેર

14 October 2023
0
0
0

કાંધલજી મેર ચારસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલીનગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી. રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતેા. કાંઈક કારણથી કાંધલજીનું મન

20

કાળુજી મેર

14 October 2023
0
0
0

કાળુજી મેર કીધી તેં જે કાળવા, લાખા વાળી લી, સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી. મેરની દીકરીઓને તે દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી

21

મૂળુ મેર

14 October 2023
0
0
0

મૂળુ મેર ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી”[૧]પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જો

22

ચારણની ખોળાધરી

14 October 2023
1
0
0

ચારણની ખોળાધરી વિક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતે : “ મારો રાણો કયાં ?”

23

પરણેતર

14 October 2023
0
0
0

પરણેતર સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. “રાણાવાવ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડયું હતું. એક વખત ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં હતાં. માના થાનેલા ઉપર ચડીને જે

---

એક પુસ્તક વાંચો