shabd-logo

એક તેતરને કારણે

12 October 2023

1 જોયું 1

એક તેતરને કારણે

રશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવતાએાએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો. એ અગ્નિકુંડની ઝાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા છાંટયા, તે જ ઘડીએ એક પછી એક ચાર વીરો પ્રગટ થયા.

સોળે કળાએ શેભતો તેજસ્વી નર નીકળ્યો, તે સેાળંકી કહેવાયો. ચારે ભુજામાં હથિયાર ધારણ કરીને હાજર થયો તે ચહુબાણ ( ચૌહાણ ) કહેવાયો. કુંડમાંથી નીકળતાં નીકળતાં પગમાં પોતાનું ચીર ભરાવાથી જે પડી ગયો તેનું પઢિયાર નામ પડયું; એ ત્રણે તો હાથ જોડીને આજ્ઞા માગતા માગતા નીકળ્યા, એટલે દેવતાઓ નિરાશ થયા.

આખરે અગ્નિના ભડકામાંથી 'માર ! માર !'ની ત્રાડ દેતો જે બહાર આવ્યો, આવીને 'પર' કહેતાં રાક્ષસને જેણે સંહાર્યો, તે પરમાર નામે ઓળખાયો. આબુ, ઉજેણી અને ચિતોડ ઉપર એના વંશની આણ વrતી ગઈ ચિતોડગઢનાં તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો. ​ એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઊતરી આવ્યો. એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી. સોઢા પરમારોના હાથનો ઉમરકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપારકરને નાનો તાલુકો રહ્યો. ત્યાંનું બેસણું પણ ગયું, ને થરપારકર રહ્યું. થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ : રાજધણીને રિદ્ધિસિદ્ધિમાં ઢોર સિવાય બીજુ કાંઈ ન હોય. માલધારી રાજા પોતાનો માલ ચારીને ગુજારો કરતા; નેસડામાં રહીને રાજમહેલની મજા લેતા: રોટલો અને દૂધ આરોગીને અમૃતના ઓડકાર ખાતા; રૈયતની સાથેસાથ રહીને તેની જીવ સાટે રક્ષા કરતા. તેથી જ –

અંગ પોરસ, રસણે અમૃત, ભુજ પરચો રજભાર,
સોઢા વણ સૂઝે નહિ, હોય નવડ દાતાર.

સોઢાઓના અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું.

બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ હજુ બેઠાં હતાં. મા જોમબાઈને ચાર દીકરા હતા: આખેાજી, આસેાજી, લખધીરજી ને મૂંજોજી મા અને દીકરા ગોડી પારસનાથજીનાં*[૧] મોટાં ભક્ત હતાં. ​ સંવત ૧૪૭૪ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો. તાવડામાં જેમ ધાણી ફૂટે, તેમ માલધારીઓના ઢોર ટપોટપ મરવા માંડયાં. બે હજાર સોઢાઓ પોતાનાં ઢોર લઈ ને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે ચારે ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે ? માટે આખોજી બોલ્યા : “ભાઈ લખધીર! તું ને મૂંજોજી સાથે જાઓ, હું ને આસો અાંહી રહીશું.” લખધીરજી ને મૂંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણી તૈયાર ઊભા, ત્યારે મા જોમબાઈ બોલ્યાં : “બાપ, આપણી વસ્તીને પરદેશમાં મા કયાંથી મળશે ? માટે હુંય સાથે ચાલીશ.”

માતાજી રથમાં બેઠાં, અને બે હજાર સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાનાં ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા દડમજલ મુકામ કરતા ચાલી નીકળ્યા.

પણ લખધીરજીને તો નીમ હતું કે રોજ ઈષ્ટદેવ ગોડી પારસનાથનાં દર્શન કર્યા પછી જ અન્નપાણી ખપે. આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી. રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડયું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઈ પહોંચે, દેવનાં દર્શન કરે, ત્યાર પછી અનાજ આરોગે. એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો, તેમ તેમ પીલુ પહોંચવામાં મોડું થવા માંડયું. એક પહોર, બે પહોર, ચાર પહોર, ને પછી તે બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા. પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યા ને બોલ્યા : ' બેટા, કાલ પ્રાગડના દોરા ફૂટતાં જ તને ગાયનું એક ઘણ મળશે. એમાંથી એક કુંવારી કાળી ગાય મોખરે ચાલતી હશે. એ ગાય પોતાનો મોયલો પગ ઊંંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે. ખોતરેલી જમીનમાં ખોદશે, તો તને એક ​ પ્રતિમા જડશે એ પ્રતિમાનાં દર્શન કરી રોજ જમજે, રથમાં પધરાવીને સાથે લઈ જજે, ને જ્યાં રથ ઊભો રહી જાય, ચસકે નહિ, ત્યાં તારો મુકામ કરી રહેજે. તારી ફતેહ થશે.'

બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી. પાંચાળ ભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી, ને મૂર્તિ જડી. એ માંડવ-રાજની પ્રતિમાને માતા જોમબાઈ ખેાળામાં લઈને બેઠાં અને સોનાના થાળ સરખી પાંચાળ-ભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતા જોતા અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા. હવે, કેવો છે એ પાંચાળ દેશ ?


કંકુવરણી ભોમકા, સરવો સાલેમાળ,
નર પટાધર નીપજે, ભેાય દેવકો પાંચાળ. (૧)

એ પાંચાળની જમીન રાતી છે, સુંદર સાલેમાર ડુંગર છે, અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે.


ગૂઢે વસ્તરે ગોરિયાં, પગની પિંડીનો તાલ,
પનઘટ ઉપર પરવરે, પડ જોવો પાંચાળ. (૨)

પાંચાળની સ્ત્રીઓમાં વિશેષે કરીને કાઠિયાણીઓ અને ચારણિયાણીઓ હોવાથી એનો પહેરવેશ કાળા રંગનો છે, અને દેહનો વર્ણ ગોરો છે. એ રમણીઓ લચકાતે પગે નદીને તીરે પાણી ભરે છે.



એાદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ,
ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ. (૩)

જેવાં રૂપાળાં એ ગોરીઓનાં ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે તેથીયે વધુ રળિયામણાં એનાં નાક અને નેણ છે માથે લાંબા ચોટલા છે.


નરનારી બન્ને ભલાં, કદી ન અાંગણ કાળ,
અાવેલને અાદર કરે, પડ જોવો પાંચાળ. (૪)

અાછાં પાણી વીરડે, ધરતી લાંપડિયાળ,
સ૨ ભર્યા સારસ લવે, પડ જોવો પાંચાળ. (૫)

જેની ધરતી લાંપડ (કાંટાવાળા) ઊંંચા ઘાસથી ઢંકાયેલી છે, જેની નદીઓના પટમાં વીરડા ગાળીને લોકો તેલ જેવાં નિર્મળ પાણી પીએ છે, જેનાં ભરપૂર સરોવરડાંમાં સારસ પક્ષીઓ કલ્લોલ કરતાં હોય છે, એવી એ દેવભૂમિ પાંચાળ છે.


નદી ખળકે નિઝરણાં મલપતાં પીએ માલ,
ગાળે કસૂંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ. (૬)

જ્યાં નદીઓ અને ઝરણાંઓ ખળખળ વહી રહેલ છે, જ્યાં માલધારીના માલ (ગાયભેંસો) ભરપૂર પાણીમાં મલપતાં મલપતાં નીર પીએ છે, જ્યાં ગોવાળ લોકો અફીણના કસૂંબા ગાળીને ગટગટાવે છે, એવો એ પાંચાળ દેશ છે.


ઠાંગો માંડવ ઠીક છે, કદી ન અાંગણ કાળ
ચારપગાં ચરતાં ફરે, પડ જોવો પાંચાળ. (૭)

જ્યાં ઠાંગો અને માંડવ જેવા વંકા ડુંગરા છે, દુષ્કાળ કદી પડતો નથી, ચોપગાં જાનવરો ફરે છે એવા એ પાંચાળ દેશ છે.


તાતા તોરિંગ મૃગકૂદણા, લીલા પીળા લાલ,
એવા વછેરા ઊછરે, પડ જોવો પાંચાળ. (૮)

જ્યાં હરણ જેવી ફાળ ભરનારા પાણીદાર, રંગરંગના ઘોડા નીપજે છે.


કૂકડકંધા મૃગકૂદણા, શત્રુને હૈયે સાલ,
નવરંગ તોરિંગ નીપજે, પડ જોવો પાંચાળ. (૯)

જયાં કૂકડાના જેવી ઊભી ગરદનવાળા, અને દુશ્મનેાના હૃદયમાં શલ્ય સમ ખટકનારા નવરંગી ઘોડા નીપજે છે, એવો એ પાંચાળ દેશ છે.


કળ ડોળી ફળ લીંબોળી, વનસ્પતિ હરમાળ,
(પણ) નર પટાધર નીપજે, બોંય દેવકો પાંચાળ.(૧૦)

કુળનાં જુએ તે ઘણું ખરું કેાળીના જ કુળ વસે છે.(કોળીની સંખ્યા બહુ મોટી છે ), ફળમાં લીંબોળી બહુ થાય છે, અને વનસ્પતિમાં હરમાળ વધુ નીપજે છે, એમ છતાં ત્યાં મનુષ્યોમાં તો વીર પુરુષે પાકે છે, એ દેવભૂમિ પાંચાળ છે.

ચાલતાં ચાલતાં એક દિવસ એક રૂપાળા પ્રદેશની અંદર, એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો. ઘણા બળદ જોડીને ખેંચ્યો, પણ પૈડાં ચસકયાં નહિ. નાડાં બાંધી-બાંધીને રથ તાણ્યો, પણ નાડાં તૂટી ગયાં. લખધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીટી, પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું : “હે ઠાકર ! તે દિવસ સ્વપ્નામાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું. પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે ? સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું.”

એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો, ત્યાં તે આરસપા'ણની ભેાં હોય તેમ રથ દડવા લાગ્યો. સામે કાંઠે જઈ ઉચાળા છોડયા, નાનાં ઝૂંપડાં ઊભાં કરી દીધાં, અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો, ભેંસો, બકરાં, ઘેટાં ને ઊંટ, બધાં પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતાં ગજવતાં લહેરથી ચરવા લાગ્યાં. જે નેરામાં રથ થંભી ગયેા હતો તે અત્યારે પણ 'નાડાતેાડિયું' નામથી એાળખાય છે.

પારકી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય ? પરમારનો દીકરો – અને વળી પ્રભુનો સેવક – લખધીરજી તપાસ કરવા માંડયા. ખબર પડી કે વઢવાણના રાજા વીસળદેવ વાઘેલાનો મુલક છે. નાના ભાઈ મૂંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા. દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વીસળદેવ ચોપાટ રમે છે, ત્યાં જઈને પરમારે ઘેાડીએથી ઊતરી, ​ઘેાડીના પગમાં લોઢાની તાળાબંધી નેવળ નાખી, બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામરામ કર્યા. કદાવર શરીર, પાણીદાર છતાં ભક્તિભાવભીની બે મોટી આંખો, અને હજુ તે ગઈ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી “માર ! માર!” કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો : જોતાં તે એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમારપુત્ર વીસળદેવજીના હૈયામાં વસી ગયેા. મહેમાન કયાં રહે છે, કેમ આવેલ છે, નામ શું છે, એવું પૂછયા વિના પાધરે રાજાએ સવાલ કર્યો :

“ ચેાપાટે રમશો ?”

“ જેવી મરજી.”

“ ઘેાડી બાંધી દ્યો.”

“ ના, રાજ ! ઘેાડી મારી હેવાઈ છે. બીજે નહિ બંધાય. એક તરણુંયે મોંમાં નહિ લ્યે. હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે.”

હાંસલી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસૂરી માંડીને હણહણાટી દીધી. વીસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો; અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વીસળદેવ મોહ પામી ગયા.

સાંજ પડી એટલે વીસળદેવે એળખાણ પૂછી. લખધીરજીએ બધી વાત કહી સંભળાવી : “દુકાળ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું રજા આપો તો માલ ચારીએ.”

વીસળદેવ બોલ્યા : “ એ ભેાં તો ઉજજડ પડી છે : તમે પચાવી પડયા હોત તોપણ બની શકત, પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોપું છું. સુખેથી ગામ બાંધો. પણ ઊભા રહો, એક શરત છે. રોજરોજ આંહી ચોપાટ રમવા આવવું પડશે.” ​ લખધીરજીએ શરત કબૂલ કરી. હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી, રાંગ વાળી, પોતાના પડાવ તરફ ચડી ગયા. ડાયરો જોઈ રહ્યો : “વાહ રજપૂત ! કાંઈ વંકો રજપૂત છે ! રાજપૂતી આંટો લઈ ગઈ છે !”

ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લેાહી ભર્યું હતું.. પેટમાં પાપ ઊગ્યું હતું.

એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા ફર્યા ત્યારે મૂંજાજીએ એને વાત કહી : “ભાઈ, આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈ ને હસ્યા !”

ચતુર લખધીરજીએ વાત રોળીટોળી નાખી, પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મૂંજાજીને માથે ભાર છે : તે વગર પ્રતિમા હસે નહિ.[૨]

“ માડી ! સાંભળ્યું કે ?”

“શું છે, છોડી ?”

“ આ એાલ્યા રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચેાપાટે રમવા આવે છે, એની ખબર છે ને ?”

“હા, એ રેાયો આવે છે ત્યારથી દરબારે એારડે આવવાનુંય એાછું કરી નાખ્યું છે. કોણ જાણે શું કામણ મેલ્યું છે એ બોથડ સોઢાએ. ”

“મા, તમે તે બહુ ભોળાં છો. સાચી વાત કહું ? એ રજપૂત આવ્યા છે સિંધમાંથી. એને એક જુવાન બે'ન છે. મારા બાપુને વિવા કરવા છે એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે, ને રોજ આંહી ચોપાટ રમવા બોલાવે છે. પોતે પણ ત્યાં જાય-આવે છે.”

ઠાકાર વીસળદેવનાં ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ. લખધીરજીની લાગવગ વીસળ ​દેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે. આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી. લખધીરજીના પગ કાઢવા માટે વાઘેલાએાએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી.

રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ શોક્ય આવશે. એનાં રૂંવાડાં સડસડ બળવા લાગ્યાં. એનું પિયર સાયલે હતું. પિયરિયાં ચભાડ જાતનાં રજપૂત હતાં. પોતાના ભાઈભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂફાડી ઊઠી : “મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છે. રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ આંહીંથી નીકળી જશે. માટે મારા ભાઈએા હો તો જાઓ, એ કાળમુખા રજપૂતોના લબાચા વીંખી નાખે, અને મારી-મારીને પાછા પારકરને રસ્તેા પકડાવો.”


જંગલ તેતર ઊડિયો, આવ્યો રાજદુવાર,
ચભાડ સહુ ઘોડે ચડયા, બાંધી ઊભા બાર.

“તેતર ઘવાણો, બરાબર ઘવાણો !” તીરંદાજોએ ચાસકા કર્યા. 'કિયો ! કિયો ! કિયો !' એવી કિકિયારી કરતું એક નાનું તેતર પક્ષી પાંખો ફફડાવી રહ્યું. પાંખ તૂટી પડવાથી ઊડી શકતું નથી. પગ સાબૂત છે તેથી દોટાદોટ કરવા લાગ્યું. વનનાં બીજા પક્ષીએાએ કળેળાટ મચાવી મૂકયો.

“હા, હવે ધ્યાન રાખજો, ભાઈઓ ! જોજો. તેતર બીજે જાય નહિ. હાંકો આ પરમારેાના ઉચાળામાં, કજિયો જગાવવાનું બરાબર બહાનું જડશે.”

એમ બોલતાં એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ​ઘાયલ થયેલા તેતરને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંકયો.

ચીસો પાડતો તેતર પાદરમાં દોડ્યો ગયો, અને બરાબર માતા જોમબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાતપૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજઠની નીચે લપાઈ ગયો. મા જોમબાઈએ કિકિયાટા સાંભળ્યા ને આંહીં શરણાગત તેતરના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું. પ્રભુજાપની માળા પડતી મૂકીને એમણે બાજઠ હેઠળથી હળવે હાથે તેતરને ઝાલી લીધો. એ લોહીતરબોળ પંખીને. હૈયાસરસું ચાંપીને પંપાળવા માંડયું. માની ગોદમાં છોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો. મા તેતરને પંપાળતાં પંપાળતાં કહેવા લાગ્યાં કે : “બી મા, મારા બાપ ! હવે આંહીં મારે હૈયે ચડયા પછી તને બીક કોની છે ? થરથર મા હવે, આ તો રજપૂતાણીને ખોળો છે, મારા બચ્ચા !”

ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી. ચભાડોનાં ઘેાડાં હમચી ખૂંદતાં હતાં અને ચભાડો ચાસકેચાસકા કરતા હતા : “આંહીં ગયો. એલા, અમારો ચોર કાઢી આપો. કોના છે આ ઉચાળા ?”

સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા. પૂછવા લાગ્યા : “ કોણ છો તમે સહુ, માડુ ? આટલા બધા રીડિયા શીદ કરો છો ? આંહીં બચરવાળેાના ઉચાળા છે. એટલું તો ધ્યાન રાખો, ભાઈઓ !”

“અમારો ચોર કાઢી આપો જલદી. ચેારી ઉપર શિરજોરી કરો મા.” ચભાડોએ તોછડાઈ માંડી.

“કોણ તમારો ચેાર ?”

“અમારો શિકાર : જખમી તેતર.”

સોઢાએામાં હસાહસ ચાલી : “વાહ ! રંગ તમને ! ​એક તેતર સારુ આટલી બહાદુરી ?”

ત્યાં તો ઝાંપે જોમબાઈ દેખાણાં, ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછયું : “શું છે, બાપ?”

“ઈ જ ! ઈ જ અમારો ચોર ! ઈ જ તેતર ! લાવો પાછો.”

“તેતર પાછો અપાય કાંઈ? એ તો મારો શરણાગત ઠર્યો, ભાઈ ! વળી એ તો મારા ઠાકરના બાજઠ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય ?"શરણ ગયો સોંપે નહિ, રજપૂતાંરી રીત,મરે તેાય મેલે નહિ, ખત્રી હોય ખચીત,

“ અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો, બચ્ચાઓ ! ”

“ હા, અમે ચભાડો છીએ.”

“ત્યારે હું તમને શું શીખવું ? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે, એટલુંય શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું, બાપ ?”

ચભાડો કોપ્યા : “હવે એ બધી વાત મૂકીને ઝટ અમારો ચોર સોંપી દ્યો.”

“ભાઈ! તમે ઘર ભૂલ્યા.” કહીને મા જોમબાઈએ તેતરને છાતીએ દાબ્યો, તેતરના માથા પર હાથ પંપાળ્યો.

“તો અમે તમારા લબાચા ફેંદી નાખશું. આંહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડાં લાગશો.”

જોમબાઈએ કહ્યું : “શીદ ઠાલા ઝેર વાવો છો ? અમને પરદેશીઓને શા સારુ સંતાપો છો ? કહો તો મારાં ઘેટાં આપું, ગાય-ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી ?” ​ ચભાડોને તે કજિયો જોઈતો હતો. બહાનું જડી ગયું. સમશેરે ખેંચાઈ. એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મૂંજાજીને પડકાર્યો.


મૂંજાને માતા કહે, સુણ સોઢાના શામ,
દળમાં બળ દાખો હવે, કરે ભલેરાં કામ.
મુંજા તેતર માહરો, માગે દૂજણ સાર,'
ગર્વ ભર્યા ગુર્જરધણી, આપે નહિ અણવાર

બેટા, એક ચકલ્યું છે, તોપણ એ આપણું શરણાગત ઠર્યું. આજ આપણે મર્યામાર્યા વગર છૂટકો નથી. ભલે આજ ચભાડો પારકરા પરમારની રજપૂતી જેતા જાય.

“વાહ મારી જનની !” કહી મૂંજોજી તેગ લઈને ઊઠયો : “ હું તો પરમારને પેટ ધાવ્યો છું ના !”


ધ્રુવ ચળે મેરુ ડગે, ગમ મરડે ગિરનાર,
[તોય] મરડે ક્યમ મૂળીધણી, પગ પાછા પરમાર ?

ધ્રુવને તારો ચળે, મેરુ પહાડ ડગમગે, ગિરનાર પોતાનું પડખું ફેરવે, તો પણ પરમાર પાછો પગ કેમ માંડે ?

પછી તો તે દિવસે –


[૨]સંવત ચૌદ ચુમોતરે, સોઢાનો સંગ્રામ,
રણઘેલે રતનાવતો, નવખંડ રાખ્યું નામ.

સંવત ૧૪૭૪માં સોઢાએ સંગ્રામ જમાવ્યો. રણઘેલા રતનજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું.


વાર શનિચર શુદ પખે, ટાઢા પૂરજ ત્રીજ,
રણ બાંધે રતનાવતો, ધારણ મૂંજો ધીજ.

ફાગણ મહિનાના શુકલ પક્ષની ત્રીજ ને શનિવારના રોજ રનજીના પુત્રે રણતોરણ બાંધ્યું. ​ મા જુએ છે ને બેટે ઝૂઝે છે : એવું કારમું ધીંગાણું મંડાઈ ગયું. ચભાડેાનાં તીરભાલાં વરસ્યાં, પરમારોની ખાંગેાએ ખપ્પર ભર્યા, અને દિવસ આથમતે તો –


પડ્યા, ચભાડહ પાંચસેં, સોઢા વીસું સાત,
એક તેતરને કારણે અળ રાખી અખિયાત.

પાંચસે ચભાડો કપાઈ ગયા, સાત વીસું (૧૪૦) સોઢા કામ આવ્યા, એમ એક તેતરને કારણે સોઢા પરમારોએ પૃથ્વી પર પોતાની ઈજ્જત આબાદ રાખી.

લખધીરજી તો તે વખતે વીસળદેવની ડેલીમાં ચોપાટ રમવામાં તલ્લીન હતા. એમને આ દગાની ખબર નહોતી. રાણીએ લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું. સાંજ પડી એટલે વીસળદેવને રાણીએ બેાલાવી લીધા; કહ્યું : “હવે આંહીં બેસો.”

“ પણ મહેમાન એકલા બેઠા છે.”

“મહેમાનને એકલા નહિ રાખું, હમણાં એના ભાઈયુંની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ.”

“ રાણી, શું આ બેાલો છો ?”

“ ઠીક બેાલું છું. એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે, કાં ?”

“ તમે આ શી વાત કરો છો ?”

“હું બધુંય જાણું છું, પણ આજ તો મારા ભાઈએ એ તમામને જમપુરીમાં પહોંચતા કર્યા હશે !”

વીસળદેવ બધો ભેદ સમજ્યો. દોડતો દોડતો ડેલીએ આવ્યો. લખધીરજીને કહે : “ ભાઈ, જલદી ભાગ, તારે માથે આફત છે, ફરી આંહીં આવીશ મા !”

છબ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો, પણુ ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાવતરાબાજો આડા ફર્યા. ​ “ મને કોઈ રીતે જાવા દ્યો ?”

“હા, તારી હાંસલી દેતો જા.”

“ ખુશીથી, પણ દરવાજે. આંહી બજારમાં હું ગરાસિયો ઊઠીને ભેાંય ચાલીશ તે મારી આબરૂ જાશે.”

દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઊડીને એક નાડાવા જઈ ઊભી. લખધીરજી બોલ્યો કે : “ લ્યો બા, રામરામ ! રજપૂતનાં ઘેાડાં ને ડોકાં, બેય એકસાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહિ."

હાંસલીને જાણે પાંખો આવી; ઘણુંય દોડવા જાય, પણ શું કરે ? પગમાંથી લોઢાની નેવળ કાઢતાં લખધીરજી ભૂલી ગયેલો હતો, પાછળ વઢવાણની વાર હતી એટલે ઊતરીને નેવળ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણગણું તે હવામાં ઊડવા લાગી. એમ કરતાં રસ્તામાં એક ૧૮-૨૦ હાથનો વોંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ. [૩]

રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જુએ, તો મા મૂંજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠાં હતાં. એક તેતરને કારણે મૂંજો મરે, એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેંત ઊંચી ચડી. માને કહે કે “ મા, આજ રોવાનું ન હોય, આજ તો ધેાળમંગળ ગાવાનો દિવસ છે, આજ તમારી કૂખ દીપાવીને મૂંજો સ્વર્ગે ગયો. જુઓ મા, જોયું મૂંજારા મોં ? હમણાં ઉઠીને તમને ઠપકો દેશે ! આવું મોત તો તમારા ચારે દીકરાને માટે માગજો, માડી !” ​ “બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સિધાવ્યા તે દી આ મૂંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથે જવાણું નહિ. આજ તારા બાપની ને મારી વચ્ચે વીસ વીસ વરસનું છેટું પડી ગયું. હવે તો મૂંજાને સથવારે જ મને રાજી થઈને જાવા દે.”

ચેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયાં. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળિયો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે એવી લોકવાયકા છે.

મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શેાકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું, મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું.[૪] એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.


  1.  * 'રાસમાળા' ( પાનું ૩૯૮) માં જણાવેલ છે કે ' માર્તંડરાય અથવા માંડવરાય, જે સૂર્ય દેવની મૂર્તિ કહેવાય છે ( કેમ કે મૃતંડનો વંશજ સૂર્ય છે તેથી તેનું નામ માર્તંડ કહેવાય છે.) તેના ઉપાસક બન્ને નાયક હતા.' પણ માંડવરાય નામ તો સોરઠમાં પરમારોના આગમન પછી 'માંડવ ડુંગર' પરથી પડ્યું લાગે છે, મતલબ કે ' માંડવરાય ' શબ્દ 'માર્તંડરાય' નો અપભ્રંશહોવા સંભવતો નથી. પરિણામે, સોઢા પરમારોની ઉપાસના સૂર્યની હતી કે ગોડી પાર્શ્વનાથની, તે નિર્ણયને અન્ય કશાક આધારની જરૂર છે.
  2.  “રાસમાળા'નો પાઠ : 'સંવત સાત પનોતરે.” પણ સાતસો પંદર
    અતિ વહેલું છે.
  3.  ત્યારથી એ વોંકળાનું નામ આજ પણ 'ઘેાડાપટ' કહેવાય છે. 
  4.  કોઈ કહે છે કે એ મૂળી ઢેઢ હતી.
23
લેખ
સૈરાષ્ટ્રની રસધાર ભાગ ૨ ઝવેરચંદ મેઘાણી
0.0
'સૌરાષ્ટ્રની રસધાર'નો પહલો ભાગ સહુ પ્રથમ ૧૯૨૩માં બહાર પડ્યો હતો, અને પાંચમો ભાગ ૧૯૨૮માં. આમ ૧૯૭૮માં આ પુસ્તકોની સુવર્ણજયંતી હતી. આ સુલભ આવૃત્તિ બહાર પાડવાની અમારી ઈચ્છા કાગળની અછત અને મોંઘવારીને લીધે ત્યારે પાર ન પડી. અાજે, બે વરસ પછી, થોડી અનુકુળતા થઈ છે તેથી આ સસ્તી સુવર્ણજયંતી આવૃત્તિ પ્રગટ કરતાં લેખકનું કુટુંબ આનંદ અનુભવે છે. આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણો વખતે શિથિલ પ્રફવાચનને કારણે ઉત્તરોઉત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠ જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રાહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવતી સરાણે ચડીને પાર ઊતર્યાં અને આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાએ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે 'રસધાર'ના ત્રીજા ભાગને છેડે ( અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે ) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયેાગોના અર્થો આપ્યા છે. આ કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયાગેાના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા; એનો ઉપયોગ કરીને આ અર્થ સારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીને લાભ મળ્યો છે. 'રસધાર' ની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડયા છે, એમાં એમનો 'રસધાર' અને તેના લેખક પ્રત્યેને ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારે આભાર વ્યક્ત કરીએ છીએ.
1

લેખકનું નિવેદન

12 October 2023
2
0
0

લેખકનું નિવેદન [ બીજી આવૃત્તિ ] સાત વર્ષ પર લખાયેલી પહેલી આવૃત્તિમાં ઘણો કૃથો હતો તે કાઢી નાખ્યો છે. લખાવટ બીજી 'રસધારો'ની કક્ષામાં આણી છે. સુધારાવધારા કર્યા છે. પહેલી બે કથાઓનાં ૪૨ પાનાં નવીન ઉ

2

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ

12 October 2023
0
0
0

ધૂંધળીનાથ અને સિદ્ધનાથ "તેદુ'ની વાતું હાલી આવે છે, ભાઈ ! અરધી સાચી ને અરધી ખોટી. હજાર વરસની જૂનિયું વાતું ! કોણ જાણે છે શી બાબત હશે !" એટલું બોલીને એ બુઢ્ઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. એક હજાર

3

રા' નવઘણ

12 October 2023
0
0
0

રા' નવઘણ "લે આયરાણી, તારી છાતીને માથે બે ધાવે છે એમાં આ ત્રીજાનો મારગ કર." એમ બોલતો આલિદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયેા અને અક્કેક થાનેલે અક્કેક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છા

4

એક તેતરને કારણે

12 October 2023
0
0
0

એક તેતરને કારણે પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી. પણ એ વિનામહેનતે મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શકયા. અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા. પછી દેવત

5

એક અબળાને કારણે

12 October 2023
0
0
0

એક અબળાને કારણે સિંધમાં તે સમયે એક સૂમરો રાજા રાજ કરતો હતો. સૂમરાના દરબારમાં હેબતખાન નામના એક જતની નોકરી હતી. સૂમરાના કાનમાં કોઈએ મોહિની રેડી કે હેબતખાનના ઘરમાં સૂમરી નામની પદ્મણી જેવી કન્યા છે. કા

6

સિંહનું દાન

12 October 2023
0
0
0

સિંહનું દાન મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબ

7

વર્ણવો પરમાર

13 October 2023
1
0
0

વર્ણવો પરમાર સૌરાષ્ટ્રને ઓતરાદે કિનારે ટીકર નામનું, છસો વરસનું જૂનું ગામ છે. એ ગામનીયે ઉત્તરે મરડક નામની એક ધાર, બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે. એ ધારથી ત્રણ ગાઉ આઘે, ઉત્તરમાં, ઝાળ નામનાં પાં

8

આલમભાઈ પરમાર

13 October 2023
0
0
0

આલમભાઈ પરમાર રાણપુરને ટીંબે આશરે બસો વરસ પૂર્વે સાહેબજી નામે હાલાજીનાં વંશજ હતા. સાહેબજી ખુદાના બંદા હતા. આ દુનિયાની મારામારીને એમને મોહ નહોતો. તેથી જ એમના પિતરાઈ રહીમજી, સાહેબજીના ઊભા મોલમાં પોતાના

9

દીકરો !

13 October 2023
0
0
0

દીકરો ! "આપા દેવાત ! આ તમ સારુ થઈને હોકાની બજરનું પડતલું આણ્યું છે. ભારી મીઠી બજર હાથ પડી, તે મનમાં થયું કે આ બજરનો ધુંવાડો તો આપા દેવાતની ઘૂંટમાં જ શેાભે.” એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી, વચ્ચોવચ

10

ઢેઢ કન્યાની દુવા

13 October 2023
0
0
0

ઢેઢ કન્યાની દુવા શિહોર ગામના દરબારગઢની ડેલીએ તે દિવસે બાપદીકરા વચ્ચે રકઝક થઈ રહી છે. સોળ વરસનો રાજબાળ આતોભાઈ ભાલે ને તલવારે તૈયાર થઈ ઘોડીના પાગડામાં પગ નાખી ચડવા જાય છે, અને બુઢ્ઢા બાપુ અખેરાજજી એનું

11

આઈ જાસલ

13 October 2023
0
0
0

આઈ જાસલ "આ તેજણ તરસે તરસે તલવલાંસ, થાળામાં બે કળહા પાણી નાખાંસ બીન ?” (આ તેજણ ઘોડી તરસે ટળવળે છે થાળામાં બે કળશિયા પાણી નાખીશ, બહેન?) “ભલેં, નાખાંસ, ભાઈ !” તેજણની તરસ છીપી ત્યાં લગી પનિયારીએ સીંચી

12

કામળીનો કોલ"

13 October 2023
0
0
0

કામળીનો કોલ"  આ ગામનું નામ શું ભાઈ?” “નાગડચાળું. કયાં રે'વાં ?” “રે'વું તો મારવાડમાં. હિંગળાજની જાત્રાએ નીકળેલ છું, બાપા ! ” “ચારણ છો ?” “ હાં, આંહીં રાતવાસો રેવું છે. કોઈ રજપૂતનું ખોરડું છે આંહી

13

આંચળ તાણનારા !

14 October 2023
0
0
0

આંચળ તાણનારા ! "હાંકો, હાંકો માલને. ચોંપ રાખેા જુવાનો ! વાંસે. વાર વહી આવે છે." એવા રીડિયા કરતા એકસો બોકાનીદાર જાડેજા જુવાનો ભેંસોનાં ખાડાં ઉપર લાકડીએાની ફડાફડી બોલાવતા ચારે બાજુથી તગડી રહેલ છે. ધ્ર

14

મોત સાથે પ્રીતડી

14 October 2023
0
0
0

મોત સાથે પ્રીતડી આ શરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, 'મને મરવા દે

15

કરપડાની શૌર્યકથાઓ

14 October 2023
0
0
0

૧૪ કરપડાની શૌર્યકથાઓ ૧. 'સમે માથે સુદામડા ?' પહેલો પોરોપેરે રેનરો, દીવડા ઝાકમઝાળ,પિયુ કંટાળે કેવડે, ધણ કંકુની લેળ. જુવાન કાઠી જુગલની મિલન-રાતને એવો પહેલો પહોર હતો. દીવડો ઝાકમઝોળ બળે છે. બાવીસ વરસનો

16

ફકીરો કરપડો

14 October 2023
0
0
0

 ર. ફકીરો કરપડો સુદામડાવાળા કનૈયા કુંવર જેવા મામૈયા ભાઈનું ખૂન થયું. તેવી જ રીતે ઉબરડાવાળા ભાઈ કલા ખાચરને પણ દારૂમાં કોઈએ ઝેર દીધું એને વંશ ગયો. આ બીજા ભાઈને મારનાર પણ લાખા ખાચર હતેા એમ બેાલાય છે.

17

વિસામણ કરપડો

14 October 2023
0
0
0

૩. વિસામણ કરપડો ધણીની ધરતી સાચવતો ફકીરો કરપડો મચ્છુને કાંઠે મર્યો, પણ પોતાની ખાનદાનીનું લોહી પોતાના વંશને વારસામાં દેતો ગયો. ફકીરાની ત્રીજી પેઢીએ ઉબરડામાં વિસામણ કરપડો થયો, અને વેળા ખાચરની ત્રીજી પ

18

કાળો મરમલ

14 October 2023
0
0
0

કાળો મરમલ "હમીરજીએ સોમનાથ સાટું શીશ કપાવ્યું, ચાંપરાજે પોતાના ગામ જેતપુર સાટુ મોત મીઠું કર્યું ; એભલના દીકરા અણાએ સતીને કાજે લોહી દીધાં; એમ કોઈ ધરમ સારુ, કોઈ ધેન સારુ, તો કોઈ સતી બહેન સારુ પોતપોતાન

19

કાંધલજી મેર

14 October 2023
0
0
0

કાંધલજી મેર ચારસો વરસની જૂની એક વાત છે, તે વખતે હજુ ઢાંક અને ઘૂમલીનગરની દેવભોમકા જેઠવા રાણાઓના હાથમાં હતી. રાણાના દરબારમાં કાંધલજી નામે બરડાના ગામ ઓડદરનો એક મેર અમીર હતેા. કાંઈક કારણથી કાંધલજીનું મન

20

કાળુજી મેર

14 October 2023
0
0
0

કાળુજી મેર કીધી તેં જે કાળવા, લાખા વાળી લી, સૂબે નવસરડું તણો, દંડિયો ધોળે દી. મેરની દીકરીઓને તે દીનોનાથ નવરો હોય તે ટાણે જ ઘડતો હશે. ઈશ્વરે આપેલા રૂપને ઘૂમટામાં સંતાડી રાખવાનું મેરની દીકરીઓ શીખી

21

મૂળુ મેર

14 October 2023
0
0
0

મૂળુ મેર ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી”[૧]પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જો

22

ચારણની ખોળાધરી

14 October 2023
1
0
0

ચારણની ખોળાધરી વિક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતે : “ મારો રાણો કયાં ?”

23

પરણેતર

14 October 2023
0
0
0

પરણેતર સોરઠને આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે. “રાણાવાવ” નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડયું હતું. એક વખત ત્યાં હળવાં ફૂલ જેવાં, ખેડૂતોનાં ખોરડાં હતાં. માના થાનેલા ઉપર ચડીને જે

---

એક પુસ્તક વાંચો