shabd-logo

સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ

7 June 2023

5 જોયું 5


સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ


⁠ધારાળા, પઢિયાર, બારૈયા કે પાટણવાડિયાના નામથી ઓળખાતી કોમ વિષેનું મારું આકર્ષણ જૂનું છે. ગુજરાતની લોકસંખ્યામાં ભિન્ન ભિન્ન કોમોનું પ્રમાણ કેટલું છે એનો અભ્યાસ કરતાં, અને એમાં શ્રમજીવી કેટલાંક છે તેમ જ બેઠાડુ કે ઉજળિયાત કેટલાં છે તેનું પ્રમાણ શોધતાં 'અઢાર અને એંસી'વાળો લેખ મેં લખ્યો હતો. અસહકારની લડત દરમિયાન જ્યારે બોરસદ તરફ હું ફરતો હતો ત્યારે એક વાર એ કોમની એક 'પરિષદ'માં હાજર રહેવાનું સદ્‍ભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. કેટલાક પાટીદાર પટેલોએ જ્યારે પટલાઈ છોડી ત્યારે બારૈયા કોમના લોકોએ એ લીધી હતી. અને એને અંગે કંઈક ઝઘડાઓ પેદા થયા હતા. એક-બે ખૂન પણ થયાં હતાં, એમ મેં જાણ્યું હતું. તેથી એ કોમની નક્કર સેવા કરવી જ જોઈએ એમ નક્કી કરી મેં ગુજરાત વિદ્યાપીઠ વતી બોચાસણમાં એક વિદ્યાલય ખોલ્યું. પ્રથમ એનું નામ 'બારૈયા વિદ્યાલય' રાખવાનો વિચાર કરેલો પણ તેમ કરતાં તેમાં કોમી તત્ત્વો દાખલ થશે, અને આગળ જતાં એ આપણને નડશે, એમ મને લાગવાથી મેં વિચારપૂર્વક એ વિદ્યાલયનું નામ 'વલ્લભ વિદ્યાલય' રાખ્યું.

⁠સન ૧૯૨૩માં જ્યારે પહેલી વાર હું જેલ ગયો ત્યારે ત્યાં કોંગ્રેસના એક કાર્યકર્તા શ્રી શામળભાઈ પટેલનો પરિચય થયો હતો. એમની પાસેથી ખેડા જિલ્લામાં પાટીદારોના અને બારૈયા લોકોના જીવન અને સંબંધ વિષે મેં ઘણું સાંભળ્યું હતું. 'ના-કર'ની લડતમાં શામળભાઈને જ મેં ખેડા જિલ્લામાં કામ કરવા મોકલ્યા હતા. એમની સાથે ચિ. બાળ કાલેલકરને પણ એ જ કામ સોંપ્યું હતું. એ કરતાં ચિ. બાળને પોલીસોને હાથે અનેક વાર પંજરીપાક પણ મળ્યો હતો. એ દિવસોમાં બંને પાસેથી મેં બારૈયા કોમની બહાદુરી વિષે અને એમના સ્વભાવની ખૂબીઓ વિષે ઘણું ઘણું સાંભળ્યું હતું. તેથી જ એ બેને 'વલ્લભ વિદ્યાલય' ચલાવવાનું કામ સોંપ્યું. એ વિદ્યાલય ઉત્તમ રીતે ચાલે એ ઇંતેજારીથી મેં 'વિદ્યાપીઠ'ના વિદ્યાર્થી શ્રી કપિલરાય મહેતા અને કસાયેલા રાષ્ટ્રીય શિક્ષક ડાહ્યાભાઈ પાઠક – એ બેને ત્યાં મોકલ્યા હતા. આ બધાએ મળીને પાટણવાડિયા કોમ વચ્ચે કેળવણીનું અને જાગૃતિનું સરસ કામ કર્યું. ત્યાર પછી મારાં આશ્રમ-ભગિની પૂજ્ય ગંગાબેને બોચાસણમાં જ સેવાનું કાર્ય કરવાનું પસંદ કર્યું, અને શ્રી શિવાભાઈ પટેલે એ 'વલ્લભ વિદ્યાલય' આજે ઘણી યોગ્યતાથી ચલાવ્યું છે.

⁠આનંદની વાત એ છે કે વિદ્યાપીઠના ગ્રામસેવા-દીક્ષિત શ્રી બબલભાઈ મહેતા, જે પોતે ડાકોર તરફથી ઠાકુર કોમમાં બહુ જ સુંદર કામ કરી રહ્યા છે, તેઓ પણ વલ્લભ વિદ્યાલયના કામમાં હવે રસ ધરાવે છે. અને સૌથી સદ્‍ભાગ્યની વસ્તુ એ કે આ ચોપડીના મુખ્ય પાત્ર કે કથાનાયક શ્રી રવિશંકર મહારાજે અમારા વલ્લભ વિદ્યાલયમાં હવે પોતાનો કાયમી વસવાટ કર્યો છે. એમના ચિરંજીવી શ્રી મેઘાવ્રત તો બોચાસણમાં આયુર્વેદની દવા આપવાનું કામ ક્યારના કરતા હતા જ.

⁠ત્રણ વરસની આ વખતની જેલને અંતે બહાર આવતાં જ્યારે મેં જાણ્યું કે રવિશંકર મહારાજે બોચાસણમાં રહેવાનું કબૂલ્યું છે, ત્યારે મેં અસાધારણ ધન્યતા અનુભવી.

⁠કુલનાયક તરીકે ‘વિદ્યાપીઠ’નું સંચાલન હું કરતો હતો તે વખતે બારૈયા કોમ માટે ખેડા, ભરૂચ તેમ જ પંચમહાલ જિલ્લામાં વલ્લભ વિદ્યાલય જેવાં એક પછી એક અનેક વિદ્યાલયો સ્થાપવાનો મારો વિચાર હતો. એને અંગે તે તે પ્રદેશમાં હું ફર્યો પણ હતો. શ્રી રવિશંકર મહારાજ સાથે લાંબા કાળનો – બહાર તથા જેલમાં – પરિચય તો હતો, તેથી ગુજરાતીના સમર્થ લેખક શ્રી ઝવેરચંદ મેઘાણીએ લખેલાં શ્રી રવિશંકર મહારાજ વિષેનાં સ્મરણો શિવની જેલમાં જ અત્યંત રસપૂર્વક હું વાંચતો હતો. બહાર આવ્યા પછી જ્યારે શ્રી ઈશ્વરલાલ દવેએ શ્રી મેઘાણીની આ ચોપડી માટે પ્રસ્તાવના લખવાનું મને સૂચવ્યું ત્યારે મેં ક્ષણનો વિચાર કર્યા વગર તરત હા પાડી.

⁠ભલે એક પ્રસ્તાવક તરીકે પણ શ્રી રવિશંકર મહારાજની જીવનકથા સાથે અને શ્રી ઝવેરચંદ મેઘાણીની સાહિત્યકૃતિ સાથે મારો સંબંધ જો જોડાતો હોય તો હું ના શા માટે પાડું ![૨]

⁠ગયા જમાનાના કાઠિયાવાડી ભડવીરો અને ચારણોની જીવનકથાઓનો અને લોકકાવ્યોનો સંગ્રહ કરી ગુજરાતી ભાષામાં એ રોમાંચક જીવનમૂલ્યોને આબાદ રીતે ચિત્રિત કરનાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ આ પુસ્તકમાં અદ્‍ભુત સંયમ વાપર્યો છે અને શ્રી રવિશંકર મહારાજની જ ભાષા અને શૈલી અહીં વાપરીને મહીકાંઠાના જીવનવીરોનાં જીવનમૂલ્યો કેવાં છે, અને એ મૂલ્યોમાં મૌલિક ફેરફાર કરવા મથનાર સંસ્કૃતિવીર શ્રી રવિશંકર મહારાજે પોતાનું જીવન કેમ નિચોવ્યું છે, એનું જીવતું ચિત્ર આપણને આપ્યું છે. મને તો લાગે છે કે આ ગ્રંથમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની અદ્‍ભુત-રમ્ય સાહિત્યશૈલી, ઉપર કહેલા સંયમના ઓપને કારણે, સોળે કળાએ પ્રગટે છે. આ ઓપડી વાંચતાં મેઘાણીની સંયમસમર્થ શૈલીએ મારા પર જે અસર કરી છે તે બીજી કોઈ પણ ભાષાની ચોપડીએ ભાગ્યે જ કરી હશે. હું આશા રાખું છું કે 'માણસાઈના દીવા'ના અનુવાદો દેશપરદેશની અનેક ભાષાઓમાં થશે અને સંસ્કૃતિવીર રવિશંકરના પુરુષાર્થનો આ દસ્તાવેજ માનવકોટીના સાહિત્યમાં પોતાનું સ્વાભાવિક સ્થાન લેશે.

⁠સમાજ અને સરકાર જેમને ગુનેગાર જાતિ ઠરાવે છે તે જાતિ પાસે પણ કેવા ઊંડા અને ઉમદા જીવનના આદર્શ છે, તે વાત હૃદયની દૃષ્ટિથી તપાસી શક્યા તેથી જ શ્રી રવિશંકર મહારાજ એ લોકોની અંદર આદર્શ-પરિવર્તનનાં તત્ત્વો ઉમેરી અથવા વાવી શક્યા છે.[૩]

⁠જીવનના આદર્શો કોણ ઘડે છે ? ઋષિમુનિઓ, પરમેશ્વરના પયગંબરો, મહાકવિઓ, લોકનેતાઓ. ધર્માચાર્યો, ન્યાયમૂર્તિઓ, જનતાની પંચાયતો, ન્યાતના આગેવાનો, ભાટ અને ચારણો, જૂના જમાનાનું સ્મરણ રાખતી ડોશીઓ અને કઠણ પ્રસંગે પાકટ સલાહ આપનાર ડોસાઓ, જુનવાણી રિવાજો સામે જેહાદ પોકારનારા સુધારક યુવકો અને અસહ્ય અન્યાય સામે શિર સાટેની પણ ઢંગધડા વગરની જેહાદ ચલાવનારા બહારવટિયાઓ – બધાં જ પોતપોતાની ઢબે જીવનના આદર્શો ઘડતાં આવ્યાં છે. દરેક વર્ગ પોતપોતાના જીવનદર્શન પ્રમાણે આ આદર્શો ઘડતો આવ્યો છે.

⁠દરેક જીવનદર્શન સરખું નથી હોતું. બહુ જ થોડા લોકોનું જીવનદર્શન સંપૂર્ણ અથવા સર્વાંગીણ હોય છે. દરેકની અનુભૂતિ જેટલી ઊંડી કે વ્યાપક હોય, એટલી જ એની જીવનસમૃદ્ધિ અને જેટલી જીવનસમૃદ્ધિ, તેટલું જ એનું જીવનદર્શન. ઘણાંખરાંનું જીવનદર્શન એમના સ્વભાવદોષને કારણે વિકૃત પણ હોય છે. એકાંગિતા એ માણસને મોટામાં મોટો શાપ છે. એને કારણે જીવનદૃષ્ટિ વિકૃત થાય છે અને માણસ જીવનસાફલ્ય ખોઈ બેસે છે એટલું જ નહિ પણ એની પ્રવૃત્તિ જીવન માટે શાપરૂપ પણ નીવડે છે.

⁠કોઈની જીવનદૃષ્ટિ સુધારવી એ એની ઉત્તમમાં ઉત્તમ સેવા છે. એવી સેવા જે કરે તે જ નવા અર્થમાં સાચો બ્રાહ્મણ છે.

⁠આ થોડાંક સરખાં રેખાચિત્રો દ્વારા શ્રી રવિશંકર મહારાજે આપણને પાટણવાડિયા જેવી બાહોશ પણ દુર્દેવી કોમના જીવનદર્શનની ઝંખી સમતાપૂર્વક કરાવી છે, અને એનું એ જીવનદર્શન સુધારવા માટે એમણે કેટલી તત્ત્વનિષ્ઠા, ધીરજ અને કુનેહ વાપરી છે, એનું પા અહીં આપણને પવિત્ર દર્શન થાય છે.

⁠ધીરજ અને કુનેહ, એ જેટલાં ડહાપણથી આવે છે તેના કરતાંય વધારે ઉત્કટ પ્રેમને લીધે આવે છે. વિષયીક પ્રેમ અને અહંપ્રેમ ભલે આંધળો હોય, પણ નિર્હેતુક અને શુદ્ધ એવા પ્રેમની દૃષ્ટિ તો લગભગ દિવ્ય હોય છે. કેળવેલા ડહાપણ કરતાં પ્રેમનું ડહાપણ આખરે બધી રીતે શ્રેષ્ઠ અને કલ્યાણકારી નીવડ્યું છે. શુદ્ધ પ્રેમને લીધે થયેલી ભૂલો પણ સમાજને અંતે ઉપર જ ચડાવે છે.

⁠પ્રેમ અને તત્ત્વનિષ્ઠા મૂળમાં એક જ વસ્તુ છે. પ્રેમની ભક્તિ સગુણ હોય તો તત્ત્વનિષ્ઠાની ભક્તિ નિર્ગુણ હોય છે – એટલો જ ફેર પણ મૂળમાં બન્ને એક જ છે.

⁠જંગલમાં રહેનારાં પશુઓની અંદર જીવનકલહ અાલે છે. પણ તેમના તે કલહને કારણે કોઈ તેમને ગુનેગાર કહેતાં નથી. જાનવરોને માટે 'ક્રૂર' અથવા 'સૌમ્ય'નાં વિશેષણો આપણે લગાડી શકીએ છીએ પણ તેમને આપણે ગુનેગાર કે પ્રમાણિક કહી શકતા નથી. એવો ભેદ તેમને માટે છે જ નહિ. તેઓ જંગલનો નિયમ પાળે છે.

⁠કેટલાંક પ્રાણીઓમાં સામાજિક વૃત્તિ ઉત્કટપણે દેખાય છે. તેઓ અંદરોઅંદર સામાજિક વૃત્તિ અને સહાયવૃત્તિ, અમુક હદ સુધી, બતાવે છે અને આપણને આશ્ચર્ય પમાડે છે. કેટલાંક પ્રાણીઓ એવી સામાજિક વત્તિ ફક્ત પોતાનાં જીવનસાથી પ્રત્યે અને બચ્ચાંઓ પ્રત્યે જ બતાવી શકે છે બાકીની દુનિયા એમને માટે કાં તો ભક્ષ્ય છે અથવા શત્રુ છે.

⁠માણસમાં સામાજિક વૃત્તિ ક્યારે ખીલી એનો ઇતિહાસ જડતો નથી. માણસ પ્રથમથી જ ઓછેવત્તે અંશે સામાજિક પ્રાણી છે અને તેથી એણે પોતાની પ્રાકૃતિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ પરત્વે જાતજાતના સામાજિક આદર્શો ઘડી કાઢ્યા છે. એ આદર્શો એને વખતોવખત બદલવા પડે છે એ ખરું પણ એક વખત ઘડાયા પછી, અને અમુક કાળ સુધી ટક્યા પછી, તે એવા તો દૃઢમૂળ થયા છે કે અંતે મનુષ્ય-સ્વભાવનું જ રૂપ ધારણ કરે છે.

⁠એ આદર્શો ખીલવાનાં ક્ષેત્રો મુખ્યત્વે ચાર-પાંચ જ છે. કૌટુંબિક જીવન એ એક ક્ષેત્ર છે. એમાં લગ્નસંબંધ અથવા વૈવાહિક જીવનની શુદ્ધિ, મિલકત ઉપરનો કુટુંબીજનોનો સરખો જ સામુદાવિક હક્ક અને પરોણાગતના એટલે કે આથિત્યના ઉદાર આદર્શો – એ ત્રણ આ ક્ષેત્રનાં મુખ્ય તત્ત્વો છે.

⁠કુટુંબ બહાર સામાજિક જીવનનાં તત્ત્વો ઉત્પન્ન થાય છે. એમાં પણ આતિથ્યનો આદર્શ, શરણાગતને રક્ષણ આપવાનો આદર્શ, અપમાન કે અન્યાય કરનાર વ્યક્તિ કે જાતિ પર બદલો લેવાનો આદર્શ, વ્યાજવટું કરવા-ન-કરવાનો આદર્શ, વચનપાલન, સત્યવાદિતા અને ન્યાયનિષ્ઠાનો આદર્શ – એ બધાં આ ક્ષેત્રમાં જ આવે છે. ⁠આવા આદર્શો ઘડવાનું કામ કુટુંબોના કર્તાહર્તા પુરુષોનું, વહુઓ ઉપર રાજ કરનાર સાસુઓનું, અને કુટુંબોને દોરનાર ગોર કે ચારણનું હોય છે.

⁠જ્યારે સમાજો અને રાજ્ય સ્થપાય ત્યારે રાજાઓ અને ન્યાયાધીશો, પંચાયતના પ્રમુખો અને સમાજને દોરનાર કવિઓ તથા પયગંબરો સમાજ માટે આદર્શો ધીરે ધીરે કાઢે છે.

⁠ધર્મપ્રધાન સમાજોમાં ઋષિમુનિઓ, સ્મૃતિકારો અને આચાર્યો સર્વહિતકારી દીર્ઘદૃષ્ટિથી અત્યંત વ્યાપક અને ઉજ્જવળ આદર્શો સમાજ આગળ મૂકે છે અને માનવસંસ્કૃતિને ઊંચે લઈ જાય છે જ્યારે બીજી બાજુએ રાજાઓ અને રાજ્યકર્તાઓ પોતાના સ્વાર્થ અને સમાજની લાગણીઓ, બંનેનો વિચાર કરી, સમાજમાં નભી શકે – અથવા સમાજ પાસેથી નભાવી શકાય – એવા વ્યવહારુ આદર્શો રૂઢ કરે છે.

⁠પ્રસ્તુત દસ્તાવેજમાં આપણને પાટણવાડિયા કોમનો સ્વાભાવિક જીવનઆદર્શ, એમની વચ્ચે રહીને પોતાનું ગુજરાન શોધનારા ગોર લોકોએ ચલાવેલો મધ્યકાલીન હિંદુ આદર્શ, દેશી અને પરદેશી રાજકર્તાઓએ વિચારપૂર્વક ખીલવેલો પણ અણઘડ રીતે અમલમાં આણેલો કાયદાનો આદર્શ અને છેવટે મહાત્મા ગાંધીજીએ દેશ આગળ અને મનુષ્યજાતિ આગળ રજૂ કરેલો માણસાઈભર્યો અને બહાદુરીભર્યો સત્ય-અહિંસાનો કલ્યાણમય આદર્શ - એ બધા આદર્શોના સ્વભાવ-સુંદર આઘાત-પ્રત્યાઘાત જોવાને મળે છે. અને એ દૃષ્ટિએ જ્યારે આપણે આ આખું બયાન વાંચીએ ત્યારે જ નિસ્પૃહ અને પ્રેમાળ, નિરહંકારી અને સેવાપરાયણ સંસ્કૃતિવીર રવિશંકર મહારાજની મૂર્તિની ઊંચાઈની ભવ્યતા આપણે માપી શકીએ.

⁠‘અલ્યા, તારે કાયદાને રસ્તે જવું હોય તો તે માર્ગ તારે માટે ખુલ્લો છે અને મારે માર્ગે જવું હોય તો તારે માટે મહેનત કરવા તૈયાર છું. મારે માર્ગે જતાં સજા તો થશે જ, પણ એ ઓછામાં ઓછી થાય એને માટે હું પ્રયત્ન કરીશ,’ એમ રવિશંકર મહારાજે એક જણને સમજાવ્યું. પેલાએ વકીલોની સલાહ માની. એ માર્ગે જતાં ગુનેગારને મહારાજ ધારતા હતા એના કરતાંય ઓછી સજા થઈ અને ભલે ગમે તે પ્રકારે પણ ગુનેગાર બચી ગયો એટલાથી જ રવિશંકર મહારાજ રાજી થયા. એ દૃશ્ય એ આ બધા પ્રસંગોનો અને આજની માનવી-સંસ્કૃતિની ‘લેવલ’નો વાસ્તવિક ચિતાર છે.

⁠અને ત્યાં જ અનાસક્ત પ્રેમધર્મી રવિશંકર મહારાજની ભવ્યતા મેં ભાળી છે. આવી અનાસક્ત પ્રેમમૂર્તિ જ સંસ્કૃતિને ઊંચે ચડાવી શકે છે.

⁠શ્રી મેઘાણીએ રજૂ કરેલી મહીકાંઠાની આ જીવનકથામાં સ્નાન કરીને તીર્થસ્નાનની ધન્યતા હું અનુભવું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ જ અનુભવ થશે.

⁠રાનીપરજની તેમ જ દૂબળાં હળપતિની સેવા કરનારા મારા મિત્ર જુગતરામ દવે સાથે એમના ક્ષેત્રમાં – તાપી, મીંઢોળ, પૂર્ણા અને વાલ્મિકી નદીઓને કાંઠે – ફરતાં આ પ્રસ્તાવના કટકે કટકે લખી છે, એ પણ એક આનંદનો વિષય છે.


સન ૧૯૪૫ : શરદ-પૂનમ

કાકા કાલેલકર

 

  • કાકાસાહેબની આ પ્રસ્તાવનાનો મારા નિવેદનમાં ઉલ્લેખ સરખોય નથી એથી વાચકોને નવાઈ લાગશે. એ ઉલ્લેખથી મારું નિવેદન વંચિત રહ્યું છે, કારણ કે ભાઈશ્રી ઈશ્વરલાલ દવેએ કાકાસાહેબ પાસેથી પ્રસ્તાવના માગી છે, અને કાકાસાહેબે સહર્ષ એ લખી આપવાનું સ્વીકાર્યું છે, તેની ખબર મને નિવેદન છપાઈ ગયા પછી પડી. આ પ્રસ્તાવનાને વાઙ્‌મયના ક્ષેત્રમાંના એક માનાર્હ વડીલની મમતા તેમ જ આશીર્વાદની પ્રસાદી માનું છું. ગુજરાતના ભલભલા લેખકો પોતાની કૃતિને માટે જેમનાં અલ્પઆશીર્વચનો મેળવવા પણ તપશ્ચર્યા કરે છે તેવા કાકાસાહેબ મારા પર આપોઆપ મુક્તમેઘધારે વરસ્યા છે, એ કંઈ નાનુંસૂનું સદ્‍ભાગ્ય નથી. પ્રભુ પાસે પ્રાર્થું છું કે આ પ્રશંસાને પાત્ર બનવા મને સદાકાળ પ્રયત્નશીલ રાખે.


બોટાદ : ૨-૧૧-'૪૫ : ધનતેરસ

ઝવેરચંદ મેઘાણી 

56
લેખ
માણસાઈના દીવા
0.0
આ પુસ્તકને ૨૯ ડીસેમ્બર ૧૯૪૬ના દિવસે મહીડા પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. વડોદરાના ડાંડિયા બજારમાં આવેલા વિઠ્ઠલ ક્રીડા ભવનમાં આ સમારંભ યોજયો હતો. આ કાર્યક્રમમાં રમણલાલ દેસાઈ અને માંડવા-ચાણોદ રજવાડાના કુમાર નરેન્દ્રસિંહ મહીડા ઉપસ્થિત હતા. ઝવેરચંદ મેઘાણીએ પારિતોષિકની ઈનામનો અસ્વીકાર કરતા ક્હ્યું હતું કે તેના પર રવિશંકર મહારાજનો અધિકાર છે અને તેમને તે રકમ અર્પણ કરી હતી. તેના જવાબમાં રવિશંકર મહારાજે રકમનો સવિનય અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે, "ઔષધિની કિંમત નથી, વૈદ્યની કિંમત છે. વનવગડામાં પડેલી ઔષધિને વૈદ્ય ખોળી કાઢે અને તેનો ઉપયોગ કરી જાણે છે. ખેડે એની ચીજ કહેવાય. કોઠીમાં દાણો હોય પણ દાટો મારેલો હોય તો તે શા કામનો? કોઈ પરોપકારી માણસ આવે રાંધે અને ખવડાવે એને જ તો ખરી કિંમત કહેવાય.
1

નિવેદન

7 June 2023
3
0
0

નિવેદન [પહેલી આવૃત્તિ] ⁠મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોક્સેવક છે. હું લોકજીવન અને લોક હૃદયનો નમ્ર નિરીક્ષક છું અમારો સમાગમ ફક્ત એકાદ વર્ષ પર થઈ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને અમે

2

સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ

7 June 2023
0
0
0

સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ ⁠ધારાળા, પઢિયાર, બારૈયા કે પાટણવાડિયાના નામથી ઓળખાતી કોમ વિષેનું મારું આકર્ષણ જૂનું છે. ગુજરાતની લોકસંખ્યામાં ભિન્ન ભિન્ન કોમોનું પ્રમાણ કેટલું છે એનો અભ્યાસ કરતાં

3

‘હું આવ્યો છું, બહારવટું શીખવવા’

7 June 2023
0
0
0

‘હું આવ્યો છું, બહારવટું શીખવવા’ ⁠વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ઉજળિયાત વરણનું ડાહ્યું માણસ એ કેડે રાતવરત નીકળવાની મૂર્ખાઈ કરે

4

એક હવાઈએ જલાવેલ જીંદગી

7 June 2023
0
0
0

એક હવાઈએ જલાવેલ જીંદગી ⁠“ઓળખો છો?” પંચાવનેક વર્ષની ઉંમરનો, સુકાઈ ગયેલ એક કેદી-મુકાદમ સાબરમતી જેલમાં એક નવા આવેલ સાઠેક વર્ષના કેદીને ૧૯૪૨ની સાલમાં એક દિવસ આ પ્રશ્ન પૂછતે પૂછતે પગે લાગતો હતો. ⁠“ના,

5

હાજરી

7 June 2023
0
0
0

હાજરી ⁠રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચૉરાની સામે ટોળાબંધ ગામલોકો આવી આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્રીઓ બેઠી : બીજી બાજુ મરદો બેઠા. ⁠સરકારી ચૉરાના ઓટા ઉપર એક ફા

6

હરાયું ઢોર

7 June 2023
0
0
0

હરાયું ઢોર ⁠મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે વડોદરાના સાહેબ આગળ જે કહેલું તે સાચું નીવડ્યું છે. આ પાટણવાડીઆ–ઠાકરડાઓની પાસેથી શું કામ લઈ શકાય તેની કશી સમજ, યોજના કે ગોઠવણ વગર એણે કેવળ એક જ કામ કર્યા કર

7

અમલદારની હિંમત

7 June 2023
0
0
0

અમલદારની હિંમત ⁠તે દિવસ બામણગામની સીમમાં ઊંધિયાની મહેફિલ હતી. દરબાર ગોપાળદાસ પોતાના સાથીઓને લઈ બોરસદ છાવણીમાંથી ઊંધિયું ખાવા બામણે ગયા હતા. મહારાજ પણ મંડળીમાં ભેળા હતા. ⁠ઊંધિયું ખવાય છે. સ્વાદ સ

8

ઇતબાર

7 June 2023
0
0
0

ઇતબાર ⁠પહેલો પહોર પૂરો કરીને રાત વધુ બિહામણો પછેડો પહેરતી હતી. આભના તારા, આફતમાં ઘેરાઈ ગયેલી જિંદગી વચ્ચેય સજ્જનો જેવા, વિશ્વાસે ચમકતા હતા. અંધારું વધુ ઘૂંટાયું તેમ તેમ ચાંદરડાં ચમક આપી રહ્યાં.

9

‘આપણી ન્યાતની ઇજ્જત’

7 June 2023
0
0
0

‘આપણી ન્યાતની ઇજ્જત’ ⁠"યાદ રાખો : સરકારના હાથ લાંબા છે. સરકાર પાસે તોપો અને બંદૂકો છે ..." ⁠ભાષણ પૂરજોશમાં ચાલે છે. ગામડાને ચોરે ઠાકરડાઓની ઠઠ બેઠી છે. કાછડા વાળેલા, માથે ફાળિયાં બાંધેલા, ડાંખરા

10

કોણ ચોર ! કોણ શાહુકાર !

7 June 2023
0
0
0

કોણ ચોર ! કોણ શાહુકાર ! ⁠"મહારાજ !" ⁠"હો." ⁠"કશું જાણ્યું ?" ⁠"શું ?" ⁠"કણભા ગામે ચોરી થઈ : લવાણાના ઘીના ડબા ગયા." પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાં વાર જ એક જણે આવીને આ સમાચાર આપ્યા. એ ખબર જેને આપવ

11

‘મારાં સ્વજનો’

7 June 2023
0
0
0

‘મારાં સ્વજનો’ ⁠મુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં. ⁠જતો તો હતો ધર્મજને સ્ટેશને. સગાંઓ આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી ન

12

નમું નમું તસ્કરના પતિને !

7 June 2023
0
0
0

નમું નમું તસ્કરના પતિને ! ⁠ગામથી બે'ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકાના સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા. ⁠"ચાલ, આમ આવ!" ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આ

13

‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો !’

7 June 2023
0
0
0

‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો !’ ⁠બાબર દેવા વગેરેની લૂંટફાટ અંગે એ લૂંટારાઓને આશરો આપનાર ખેડા જિલ્લાનાં લોકો જ છે, એવો આક્ષેપ કરીને સરકારે જે 'પ્યૂનિટિવ ટેક્સ' આખા જિલ્લાની તમામ વસ્તી પર નાખ્યો હતો.

14

‘રોટલો તૈયાર રાખજે !’

7 June 2023
0
0
0

‘રોટલો તૈયાર રાખજે !’ ⁠જોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઊઠત. બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો. ખેતર ખેડી ખાતો. પણ એની બૈરીનો પ્રેમ બીજા બારૈયા પર ઢળ્યો. એ બીજો બારૈયો જોશીકૂવાનો રાવણિયો(સ

15

બાબરિયાનો બાપ

7 June 2023
0
0
0

બાબરિયાનો બાપ ⁠ચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહી-પાર સાંપરા ગામમાં રહેતાં હતાં. તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યોઃ "મહારાજ અમારે ત્યાં ના આવે ? “ ⁠“ના શા માટે આવે ?” એમ કહેવરાવીને ચરોતર

16

શનિયાનો છોકરો

7 June 2023
0
0
0

શનિયાનો છોકરો ⁠મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહારાજને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાં સૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઈ ઊઠ્યો છે. ⁠મહારાજ શનિયાને ઘેર જઈ જુએ તો

17

‘બ....હુ....ઉ લાંબું દેખું છું’

7 June 2023
0
0
0

‘બ....હુ....ઉ લાંબું દેખું છું’ ⁠નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે: ⁠પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી. ⁠વ્યારા ગામથી દસ-બાર માઈલ

18

જી’બા

7 June 2023
0
0
0

જી’બા ⁠જીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છ

19

બાબર દેવા

7 June 2023
0
0
0

બાબર દેવા ⁠એ જુવાનને લોકો 'ભગત' કહીને બોલાવતા. 'ભગત'ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઈ મળવું. ભજનો થતાં હોય ત્યાં 'ભગત' અચૂકપણે પહોંચી જાય. ⁠એક દિવસ એવો આવ્યો કે 'ભગત'ને મળવા માટે ભજનમંડળીએ નહ

20

પહેલી હવા

8 June 2023
0
0
0

આગલાં પાનાંમાં જે લખ્યું છે તે તો મહારાજના શ્રીમુખેથી સાંભળ્યું તે પરથી આલેખ્યું. માનવપાત્રો અમુક પ્રકારના કલ્પી લીધાં. એ ભોમકા, એ ગામડાં, એ ખેતરાં, નહેરાં ને કોતરો, પણ કલ્પનાસૃષ્ટિમાંથી ઉતાર્યા. ⁠'અ

21

1.કાળજું બળે છે

8 June 2023
0
0
0

કાળજું બળે છે ⁠બોચાસણના આશ્રમમાં મને બહારવટિયા બાબર દેવાના ભાઈનો મહારાજે ભેટો કરાવ્યો, અને જાણ્યું કે એની મા હેતા હજુ જીવતી છે. કહે કે, "એ રહી—ઢોરાં ચારે." આ રામા દેવા આજે ખેડૂત છે. બાબરના બહારવટા ટા

22

2.કરડા સેવક નથી

8 June 2023
0
0
0

કરડા સેવક નથી ⁠જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ઝડપે ચાલી આવતી 'ગુજરાત યુનિવર્સિટી'ના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લી પદવી આપતાં પહેલાં એક શરત મૂકજો : ગુજરાતના ચ

23

3.‘નિર્મૂલી’ અને સરકાર

8 June 2023
0
0
0

‘નિર્મૂલી’ અને સરકાર ⁠ઊપડ્યા ત્યારથી છેક અમદાવાદ સ્ટેશને જુદા પડી ચાલી નીકળ્યા ત્યાં સુધી એમણે મારા માટેનો જંગમ અધ્યાપનવર્ગ ચાલુ રાખ્યો હતો. પહેલું ગામડું હજુ આવવાનું હતું. પણ વૃક્ષો તો માર્ગે ઊભાં જ

24

4.પગને આંખો હોય છે

8 June 2023
0
0
0

પગને આંખો હોય છે ⁠ઉપમા કેટલી સંપૂર્ણપણે બંધબેસતી છે. એનો વિચાર કરી લઉં તે પૂર્વે તો ગામ આવ્યું. કહે કે, "આ ઝારોળા—બહારવટિયા બાબર દેવાની બહેનનું ગામ : જે બહેન એની સાથે લૂંટમાં જોડાતી ને જેને બાબરે શ

25

5.લક્ષ્મી સ્વપ્નામાં આવી

8 June 2023
0
0
0

લક્ષ્મી સ્વપ્નામાં આવી ⁠ત્યાં તો ગુજરાતની ચળકતી આંખ સરીખું ગામ રાસ આવ્યું . ગામની બહાર ગાંધી–આશ્રમ છે. સ્વચ્છ દવાખાનું છે, જગ્યા છે, ખેતર છે. યંત્રથી કૂવાના પાણી ખેંચાય છે; ખેતરો પીએ છે. નવી જમીન સ

26

6.મોતી ડોસા

8 June 2023
0
0
0

મોતી ડોસા ⁠"અમારે અહીં એક મોતીભાઈ ડોસા હતા. મરી ગયા '૩૦ની લડતમાં બીજા ઘણાને પકડાયા, પણ એમને રાખી દીધા. એક દિવસ એ પત્રિકા વાંચતા પકડાયા. પોલીસ–વડાને એની વૃદ્ધાવસ્થા દેખી દયા આવી. એના પરનો ખટલો રોળીટ

27

(અંદર પડેલું તત્ત્વ)

8 June 2023
0
0
0

અંદર પડેલું તત્ત્વ ⁠સામું ગામ આવતાં આવતાં દમ નીકળી જાય એવા કાઠિયાવાડના ગાઉઓથી ઊલટા આ ચરોતર-મહીકાંઠાના ગુજરાતી ગાઉઓ છે. દોઢ-દોઢ માઈલનો ગાઉ અને નજીક નજીક વનરાઈની ઓથે ઊભેલાં ગામડાં. ઠેકાણે ઠેકાણે 'કૂક

28

1.‘કોણ ચોર ! કોણ શાહુકાર !’ની લીલાભૂમિ’

8 June 2023
0
0
0

‘કોણ ચોર ! કોણ શાહુકાર !’ની લીલાભૂમિ’ ⁠રાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણભા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફ આંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, "આ એ ખેતર, કે જ્યાંથ

29

2.દાજી મુસલમાન

8 June 2023
0
0
0

દાજી મુસલમાન ⁠એવા એ લાક્ષણિક પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેયને નિહાળવા હતા : 'થતાં સું થઈ ગયું; પણ તમે આટલે સુધી જશો એવું ન'તું જાણ્યું, મહારાજ !' એમ કહીને ચોરી કબૂલનાર ગોકળને; ૫૦–૬૦ રૂપિયાનો

30

3.ઇચ્છાબા

8 June 2023
0
0
0

ઇચ્છાબા ⁠"ઓ ભૈ !" ⁠"શું કહો છો, ઇચ્છાબા !" ⁠"આવું તે કંઈ હોય, ભૈ ! ખીચડી જ કરવાનું કહી મેલ્યું, ભૈ, આમ તે જીવને સારું લાગતું હશે, ભૈ !" ⁠'ભૈ ! ઓ ભૈ !' એ લહેકો હજુયે કાનમાંથી વિરમતો નથી. કણભાથી આગળ

31

4.ગાંધીજીની સભ્યતા

8 June 2023
0
0
0

ગાંધીજીની સભ્યતા ⁠તે દિવસથી ઇચ્છાબા સવાર પડે કે મારો રેંટિયો બરાબર તૈયાર કરીને પૂણીઓ સહિત મારી કને માંડી દે ને કહે કે, 'તમે તમારે કાંતો, ભઈ !' પછી જમવા ટાણે જ બોલાવે : 'ઊઠો; ખઈ લ્યો, ભઈ !' ખવરાવવામાં

32

5.માણસાઈની કરુણતા

8 June 2023
0
0
0

માણસાઈની કરુણતા ⁠એ વિચાર કરું છું ત્યાં તો આ લોકોના બોથાલા વેશપોશાકની અંદર ઢંકાયેલ પડેલી એક કરુણતાભરી માણસાઈનો પરિચય આપતો એક કિસ્સો મહારાજે કહ્યો : ⁠“આંહીં હું રહેતો હતો ત્યારની એક મોડી રાતે, આ નજીક

33

(કદરૂપી અને કુભારજા)

8 June 2023
0
0
0

કદરૂપી અને કુભારજા ⁠"દરિયા ! ઓ દરિયા !" ⁠"શું છે, મહી ?" ⁠"મારી જોડે પરણ." ⁠"નહીં પરણું." ⁠"કેમ નહીં ?" ⁠"તું કાળી છે તેથી." ⁠"જોઈ લેજે ત્યારે !" ⁠એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા.

34

1.રસાતાળ ધરતીનો નાશ

8 June 2023
0
0
0

રસાતાળ ધરતીનો નાશ ⁠બદલપુરથી લઈને અમારી મુસાફરી પાંચ-સાત ગાઉ સુધી કાંઠે કાંઠે જ ચાલી. મહીસાગરનાં તટવાસી ગામોની અને મહીની વચ્ચે માઈલ દોઢ-દોઢ માઈલ સુધીની ધરતી ખોદાઈ ગઈ છે, પૃથ્વીની સપાટીથી પાંચેક માથોડા

35

2.‘મર્માળાં માનવી’ ક્યાં !

8 June 2023
0
0
0

‘મર્માળાં માનવી’ ક્યાં ! ⁠ને મહી વધુ ભયંકર લાગી કારણ કે એને કાંઠે મેં હરિયાળી કલ્પી હતી. ઝળૂંબતી વનરાજીનું માનસચિત્ર આંકી મૂક્યું હતું. એથી ઊલટી જ આ કાંઠાની સ્થિતિ છે. મહીકાંઠો સૂનકાર છે. ઊંડાં કોતરો

36

3.મહીના શયનમંદિરમાં’

8 June 2023
0
0
0

મહીના શયનમંદિરમાં’ ⁠મહીના શયનમંદિરમાં સાગર રોજ પ્રવેશે છે. એ દરિયાઈ ભરતીને 'ઘોડો' કહે છે, ઘોડાનું રૂપક જેને સૂઝ્યું હોય તેને ધન્ય છે ! નદીમાં આવતો સાગરનો જુવાળ ઘોડાનો જ ઘાટ રજુ કરે છે : કેશવાળી-શી

37

4.ઘી-ગોળનાં હાડ !

8 June 2023
0
0
0

ઘી-ગોળનાં હાડ ! ⁠એ દેખાવમાં કલ્પનામાં છે ત્યાં સુધી સુંદર છે. પણ મહારાજે મને એવા એક મહી-ઉતરાણનો કિસ્સો કહ્યો હતો. તેણે મનને ઉદાસીથી ભરી મૂક્યું છે. પોતે વડોદરેથી આવતા હતા. સાથે એક ભંગી ને એની દીકરી

38

5.ક્ષુદ્રની સંગતે મહાનનું મોત

8 June 2023
0
0
0

ક્ષુદ્રની સંગતે મહાનનું મોત ⁠ગમગીન અને નિર્જન મહી-આરા પર મળી ગયેલો એક ખારવો તડાકાબંધ વાતો કરતો કરતો બેએક માસ પર મહીસાગરમાં ઘસડાઈ આવેલા મચ્છની વાત કહી ગયો : પચાસ-સાઠ હાથ લાંબો, મોં ફાડે તો મહીં આપણે

39

(દધીચના દીકરા)

8 June 2023
0
0
0

દધીચના દીકરા ⁠મહીસાગરની આ ભયંકર ભેખડો એક દિવસ રૂપાળી બની હતી. ખાવા ધાતી એની નિર્જનતા એક રાત્રીએ લજવાઈ ગઈ હતી. જનશૂન્ય એના બિહામણા આરા - બદલપુરનો આરો, દહેવાણનો આરો : દૂર અને નજીકના આરા - રળિયામણા

40

1.નાવિક રગનાથજી

8 June 2023
0
0
0

નાવિક રગનાથજી ⁠મહી ઉતરવાને માટે હોડી જોઈતી હતી. હોડી કોણ આપે ? દહેવાણના ઠાકોરની હાક વાગતી હતી. ગરીબ માછીઓ પાસેથી હોડી માગતાં તેમનાં હાંડલાં રઝળે. સરકાર સામે દેશવ્યાપી બહારવટું સળગાવતા દાંડીમાર્ગે જ

41

2.નવજવાનનું પાણી ઉતાર્યું

8 June 2023
0
0
0

નવજવાનનું પાણી ઉતાર્યું ⁠એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજીની મોટર આવી મહીકાંઠે ઊભી રહી. રાતના બાર વાગ્યા હશે. બાપુને મળવા અધીરું એ મત્ત યૌવન, મહીના કાદવનો ખ્યાલ અપાયા પછી પણ બોલી ઊઠ્યું : 'હમ તો

42

3.નાક કપાય

8 June 2023
0
0
0

નાક કપાય ⁠બદલપરમાં અમે દધીચ બ્રાહ્મણ ખેડૂત શ્રી ફુલાશંકરભાઈને ઘેર ઊતર્યા હતા. આ પંથકમાં દધીચોની જ વસ્તી છે. દધીચ બ્રાહ્મણો ખેડુ છે. ખેડુની પ્રકૃતિમાં જે ઓછાબોલાપણું, જે બાહ્ય વિવેકનો અભાવ, જે આંતરિક

43

4.મર્દ જીવરામ

8 June 2023
0
0
0

મર્દ જીવરામ ⁠સરકારના કલેક્ટરો હૈડિયા વેરો ઉઘરાવવા - ને ન આપે તેનાં ઘરબાર ઢોરઢાંખરની જપ્તીઓ કરવા - નીકળ્યા અને આ કાંઠાના કેટલાક ઠાકોરો, કે જેઓ મોટા બિનહકૂમતી તાલુકદારો છે, તેમને પોતપોતાની વસ્તીમાંથી હ

44

5.બદૂકની સામે બ્રાહ્મણ

8 June 2023
0
0
0

બદૂકની સામે બ્રાહ્મણ ⁠ઠાકોર નારસંગજી પણ ગુજરી ગયા છે, નહીંતર એમને મળવાનુંયે મન હતું, કારણ કે એમની સાથે મહારાજને પોતાને પડેલી એક વસમા પ્રસંગની વાત મારા દિલમાં રમતી હતી. હૈડિયા વેરાના મામલામાં મહારાજ

45

6.ગોળીઓના ટોચા

8 June 2023
0
0
0

ગોળીઓના ટોચા ⁠દહેવાણથી સાંજે ગોળવા ગયા. ત્યાં પણ દધીચ બ્રાહ્મણ ખેડુ બાપુલાલભાઈને ઘેર ઊતર્યા. એ ઘરનાં મૂલ માલિક નાથીબા ગુજરી ગયાં છે. ૧૯૩૦ના એપ્રિલમાં એ ડોસી અઠ્ઠાણું વર્ષની વયનાં હતાં ત્યારે એણે કાનપ

46

(હૈડિયા વેરાનાં સ્મરણો)

9 June 2023
0
0
0

હૈડિયા વેરાનાં સ્મરણો ⁠ગાજણાના તે વખતના ઠાકોર એક તો સરકારી સંબંધને કારણે હૈડિયા વેરાની ચળવળના વિરોધી હતા તદુપરાંત પોતાના દરબારગઢમાં પ્રભુનું મંદિર રાખનાર ચુસ્ત સ્વાતીપંથી હતા એ કારણે આભડછેટ ન રાખ

47

1.ધર્મી ઠાકોર

9 June 2023
0
0
0

ધર્મી ઠાકોર ⁠બેઠકમાં દાખલ થઈ ઠાકોરને નમસ્કાર કર્યા પણ ઠાકોરે કશો આવકાર ન દીધો. મહારાજ ભોંય પર બેસી ગયા. થોડી વારે એક મુસલમાન પોલીસ-અમલદાર આવ્યો તેને ઠાકોરે ચાકળાનું આસન આપી માન દીધું. પછી ઠાકોરે મહાર

48

2.‘ક્ષત્રિય છું’

9 June 2023
0
0
0

‘ક્ષત્રિય છું’ ⁠થોડી વારે એક આદમી દેખાયો. પાસે આવ્યો. પૂછ્યું : "ક્યાંથી આવો છો ? અહીં કેમ એકલા બેઠા છો ?” ⁠મહારાજ : "તમે મારી કને શીદ આવ્યા છો ? તમે જતા રહો, નહીંતર ઠાકોર તમારું નામ સરકારને પોં'ચ

49

3.સ્વયંસેવકની શી જરૂર છે ?

9 June 2023
0
0
0

સ્વયંસેવકની શી જરૂર છે ? ⁠મહારાજનો કાયમી મુકામ કઠાણામાં ઇચ્છાબાની તળિયે ઘી સંતાડેલી ખીચડી ખાતા ને સતત કાંતતા મહારાજના કાર્યસાથી એક 'બોડકા મા'રાજ' હતા. મૂળ નામ તો ગણપતિશંકર પણ લોકોએ હુલાવ્યા 'બોડકા મા

50

4.ઘંટી તો દીધી સરકારને

9 June 2023
0
0
0

ઘંટી તો દીધી સરકારને  ⁠લોકો જે બોલ્યાં તે પાળી બતાવ્યું. લોકોને એક જ વાતની ચોટ લાગી ગઈ કે જો હૈડિયાવેરા ભરીએ તો તો આપણે લૂંટારુઓને આશરો આપ્યો છે એ વાત સાચી બને, એ કલંક આપણે શિરે ચડે. ક્યાંય તેઓએ જપ્ત

51

(તીવ્ર પ્રેમ)

9 June 2023
0
0
0

તીવ્ર પ્રેમ ⁠હૈડિયા વેરાની લડત પૂરી થયે મહારાજે પોતાની થેલી ઉપાડી, અને કાળુ ગામનાં લોકોને કહ્યું : "જ‌ઉં છું." ⁠"કંઈ જશો ?" ⁠"મારા મુલકમાં." ⁠"નહીં જવા દઈએ." લોકો ઉમળકે છલકાતાં હતાં. ⁠"મારાથી ન

52

1.કામળિયા તેલ

9 June 2023
0
0
0

કામળિયા તેલ ⁠ચોરી ન કરવી અને દારૂ ન પીવો એવો સામૂહિક નિશ્ચય કરવા માટે એક દિવસ નક્કી થયો. લોકો મળ્યાં. ચોરી કોઈએ કરવી નહીં અને છતાં જો ચોરી થાય તો તેની સરકારમાં કોઈએ ફરિયાદ કરવી નહીં. મહારાજ અને ગામ

53

2.‘જંજીરો પીઓ !’

9 June 2023
0
0
0

‘જંજીરો પીઓ !’ ⁠એક આ 'કામળિયા તેલ'નો પ્રસંગ તેવો જ બીજો પ્રસંગ 'જંજીરો' પિવરાવવાનો મહારાજને વારંવાર સ્મરણે ચડે છે : ⁠ભાદરણથી ત્રણ ગાઉ દૂર આવેલા જોશીકૂવા ગામનાં ઘરો '૨૭ના રેલસંકટમાં તણાઈ ગયાં. એ 'નરવ

54

3.પાડો પીનારી ચારણી !

9 June 2023
0
0
0

પાડો પીનારી ચારણી ! ⁠મહી-સાગરને વેગળાં મૂકીને પાછા ચાલ્યા. વાલવોડ ગામે આવ્યા. વાલવોડ એ મહારાજના પ્રિય પાતણવાડિયાઓનું મોટું મથક, તદુપરાંત ચારણોનું એ જાણીતું ધામ. મહેડુ અને દેથા શાખના દેવીપુત્રોની અહીં

55

4.તોડી નાખો પુલ !

9 June 2023
0
0
0

તોડી નાખો પુલ ! ⁠સને ૧૯૨૭ના ગુજરાત પર ઊતરેલા રેલસંકટની આ વાત છે. પેટલાદ તાબે સુંદરણા ગામમાં પોતે પાટણવાડિયાઓની હાજરી કઢાવવા ગયેલા. એક પાટણવાડિયાને ઘેર ઉતારો કર્યો. અનરાધાર વરસાદ રાતે શરૂ થયો. ઘરની પછ

56

*ઝવેરચંદ મેઘાણીસાહિત્યજીવન*

9 June 2023
0
0
0

ઝવેરચંદ મેઘાણીસાહિત્યજીવન 1896જન્મઃ 28 ઑગસ્ટ, ચોટીલા (જિ. સુરેન્દ્રનગર).1912અમરેલીમાં શાળાશિક્ષણ પૂરું કર્યું. ત્યાં સુધીમાં સ્વદેશી ચળવળ, આર્યસમાજ અને થિયોસોફીનાં સંસ્કારબીજ વવાયાં. 1917કૉલેજમાં 19

---

એક પુસ્તક વાંચો