shabd-logo

ક્રુરચંદ અને સુરચંદ નો સંવાદ

14 June 2023

12 જોયું 12


क्रूरचंद, सुरचंद विषे. १.

⁠પંજાબનો રહેવાશી ક્રૂરચંદ, અને ગુજરાતનો સુરચંદ, એ બંને રોજગાર વાસ્તે પરદેશ જતાં રસ્તામાં એકઠા થયા. તેઓ ચાલ્યા જતા હતા તે માર્ગને એક પડખે સુકા તળાવમાં વગર બાંધેલો કૂવો હતો, તેમાંથી કોઈ એક માણસે બૂમ પાડીને કહ્યું કે "અરે મને આમાંથી કોઈ કાઢો" તે સાંભળીને ક્રૂરચંદે તો મનમાં કંઈ ધાર્યું નહીં, પણ સુરચંદે જોયું તો, પાણી પીવા ઉતરતાં ખશી પડેલો. અને ગભરાયેલો આદમી તે કુવામાં દીઠો. પછી તેણે ક્રૂરચંદને બોલાવ્યો. તેણે પણ આવીને જોયું.

⁠સુરચંદ—આપણે બંને જણ મળીને તતબીરથી આને બહાર કાઢીએ. ⁠ક્રૂરચંદ—મારે એની કે એના બાપની ગરજ નથી. એની મેળે ઘણોયે નીકળશે. આપણે શા વાસ્તે ખોટી થવું જોઈએ ?

⁠સુરચંદ—ત્યારે તમારે જવું હોય તો જાઓ, પણ હું તો એને બહાર કાઢ્યા વિના આવીશ નહિ.

⁠પછી તો ક્રૂરચંદને પણ રોકાવું પડ્યું. કારણ કે, રસ્તામાં એકલા જતાં તેને ચોર વગેરેની બીક લાગી. પછી બંને જણાયે પ્રયત્ન કરીને, પેલાને બહાર કાઢ્યો. એટલે તે બંનેનો તેણે ઉપકાર માન્યો. અને ઘણા સ્નેહથી ભેટીને બીજે રસ્તે જવું હતું ત્યાં ચાલ્યો ગયો.

⁠સુરચંદે વધારે મહેનત કરી માટે તેના ઉપર તેણે વધારે પ્યાર જણાવ્યો, તેથી ક્રૂરચંદે જાણ્યું કે, આ માણસ સુરચંદનો ઓળખીતો છે; માટે તેણે આટલી બધી મહેનત લીધી. પછી બંને જણા રસ્તે ચાલતાં વાતો કરવા લાગ્યા.

⁠ક્રૂરચંદ—એ માણસ તમારો ઓળખીતો જણાય છે ?

⁠સુરચંદ—હા, ભાઈ, ઓળખીતો તો ખરો.

⁠ક્રૂરચંદ—એ તમારા શેઠનું માણસ છે ? કે તમારા રાજાનું છે ?

⁠સુરચંદ—અમારા રાજાનું માણસ છે.

⁠ક્રૂરચંદ—એ કાંઈ રાજાનો વધારે માનીતો છે ?

⁠સુરચંદ—હાજી, ઘણો વધારે માનીતો છે.

⁠ક્રૂરચંદ—ત્યારે તો તમે તેને વાસ્તે આટલી મહેનત કરો તેમાં શી નવાઈ ? અને મેં પણ જાણ્યું હતું કે કાંઈ ગરજ વિના આટલી મેહેનત કોઈ કરે નહિ.

⁠સુરચંદ—હા, ગરજ તો ખરી.

⁠ક્રૂરચંદ—એનું નામ શું ?

⁠સુરચંદ—નામ તો હું જાણતો નથી.


⁠ક્રૂરચંદ—ત્યારે તમે તેને ક્યારે મળ્યા હતા ?

⁠સુરચંદ—હું એને આજ જ મળ્યો છું. તે પહેલાં કોઈ દિવસ મળ્યો નથી.

⁠ક્રૂરચંદ—તો તેની પાસે પટો, કે મહોર છાપ વગેરે ગાંઈ જણાતું નહોતું, અને તમે શાથી જાણ્યું કે તે રાજાનું માણસ છે ?

⁠સુરચંદ—એના દરેસ તથા આકાર ઉપરથી. કેમકે અમારા રાજાના માનીતા નોકરો એવા આકારના છે. અને તેઓનો દરેસ સૂત્રનો કે ઉનનો હોય છે.

⁠ક્રૂરચંદ—એવાં કેટલાં માણસો રાજાનાં છે ?

⁠સુરચંદ—વસ્તીનો હિસાબ ગણતાં રાજાનાં બહુ માનીતાં છેક થોડાં હોય છે, તે તમે જાણતા જ હશો.

⁠ક્રૂરચંદ—વસ્તીના લાખમે હિસ્સે રાજાનાં એવાં માનીતાં હશે ?

⁠સુરચંદ—ના ભાઈ, આવાં માનીતાં તો કરોડના કે અબજના હિસ્સાથી પણ છેક થોડા જ છે.

⁠ક્રૂરચંદ—તે રાજાનું નામ શું ?

⁠સુરચંદ—તમે કદાપિ જાણતા નહિ હો પણ તે રાજા તમને ઓળખે છે. અને આજે જે બનાવ બન્યો તે વાત બધી, એ રાજાની આગળ જાહેર થશે.

⁠એવું સાંભળીને ક્રૂરચંદના મનમાં ધાશકો પડ્યો. અને ઘણા ભયથી તેનું શરીર થર થર ધ્રુજવા લાગ્યું. અને ધાર્યું કે, કોઈ વખતે મારે તે રાજાના ગામમાં જવું પડશે, અને જો રાજા મને ઓલેખતો હશે. તો આ વાતથી મારા ઉપર ઘણો ઘુસે થશે. કેમકે તેના નોકરને કુવામાંથી કાઢવાની મેં પ્રથમ ના પાડી હતી.

⁠ક્રૂરચંદ—ભાઈ મહેરબાની કરીને મને કહો, કે તે કયા રાજાનું માણસ છે ?


⁠સુરચંદ—સર્વ જગતનો રાજા જે પરમેશ્વર છે, તેના રાજ્યમાં અસંખ્યાત પ્રાણીઓ છે. કે જેની ગણતી કોઈનાથીથઈ શકે નહિ. પણ તે રાજાના સઉથી વધારે માનીતાં તો માણસો છે ! તે આ દુનિયામાં આશરે એક જ અબજ છે. અને હું એ રાજાનો ઓશીઆળો છું, માટે મારે આટલી મહેનત કરવી પડી. કેમેકે આ વાત એ રાજાની અજાણી રહેવાની નથી. માટે તે મહેનતનો બદલો આપણને જરૂર મળશે. એવું સાંભળીને ક્રૂરચંદનું મન નરમ થયું. અને સમજ્યો કે કોઈ રાજાના કે શેઠના માણસને ઉગાર્યાથી તેનો ધણી ખુશી થઈને ઇનામ આપે છે. તો સર્વે મણસો ઉપર પરમેશ્વરની વધારે મેહેરબાની છે, માટે તેનો બચાવ અથવા ઉપકાર કરવાથી પરમેશ્વર તે બદલો આપ્યા વિના કેમ રહેશે ?


દોહરો



માણસ ઉપર મન થકી, કરો કૃપા ધરિ કામ;
તો થાશે ત્રિભુવન ધણી, રાજી દલપતરામ. ૧

પ⁠છી ક્રૂરચંદ અને સુરચંદ આગળ ચાલ્યા; ત્યાં સુરચંદે પૂછ્યું કે ભાઈ; મેં સાંભળ્યું છે કે અનંતકોટિ બ્રહ્માંડ છે. તો બ્રહ્માંડ શેને કહેવાય ? અને અનંતકોટિ બ્રહ્માંડો ક્યાં હશે ? તે મેહેરબાની કરીને મને સમજાવો.

⁠સુરચંદ—બ્રહ્મ અને અંડ, એ બે શબ્દો મળી બ્રહ્માંડ શબ્દ થયો છે. બ્રહ્મનો મૂળ ધાતુ બૃહત. એટલે મોટું ઇંડું. અથવા બ્રહ્મ એટલે ઈશ્વર એટલો તેનો અર્થ છે અને તેનો ભાવાર્થ એ છે કે પૃથ્વી ઇંડાને આકારે છે, માટે પૃથ્વીના ગોળાનું નામ જ બ્રહ્માંડ છે. અને તેના ઉપર ચૌદલોક કલ્પેલા જણાય છે. અને રાત્રીયે આકાશમાં કરોડો તારા દેખાય છે, એ જ અનંતકોટિ બ્રહ્માંડ છે. તે વિષે એક વાત કહું તે સાંભળ.
 

17
લેખ
તાર્કિક બોધ
0.0
તે તાર્કિક વાતોથી વાંચનારને બોધ થાય એવી વાતો છે, માટે આ ચોપડીનું નામ तार्किकबोध રાખ્યું છે. તેમાં ૧૫ વિષયો દાખલ કર્યા છે. અને ક્રૂરચંદ, તથા સુરચંદનો સંવાદ લઈને એક જોડી દીધો છે. ⁠તેમાં પહેલા ત્રણ વિષયોમાં માણસ ઉપર દયા રાખીને તેઓને સુધારવા બાબત છે.
1

प्रस्तावना

14 June 2023
5
0
0

प्रस्तावना. ⁠ગુજરાત વર્નાક્યુલર સોસઈટીના સેક્રેટરી મેહેરબાન ટી. બી. કરટીસ સાહેબે મને આજ્ઞા કરી, કે બુદ્ધિપ્રકાશ ચોપાનિયામાંથી સારા સારા વિષયોનો સંગ્રહ કરીને, મળાતા વિષયોની ચાર ચાર આનાની કિંમતની ચાર

2

ક્રુરચંદ અને સુરચંદ નો સંવાદ

14 June 2023
3
0
0

क्रूरचंद, सुरचंद विषे. १. ⁠પંજાબનો રહેવાશી ક્રૂરચંદ, અને ગુજરાતનો સુરચંદ, એ બંને રોજગાર વાસ્તે પરદેશ જતાં રસ્તામાં એકઠા થયા. તેઓ ચાલ્યા જતા હતા તે માર્ગને એક પડખે સુકા તળાવમાં વગર બાંધેલો કૂવો હતો,

3

વિશ્વાનુભવસ્વપ્ન

14 June 2023
1
0
0

विश्वानुभव स्वप्ना विषे. . ⁠એક સમે રાત્રીમાં મને સ્વપ્ન લાગ્યું, કે જાણિયે હું, તથા મહેતાજી દુર્ગારામ મંછારામ, શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ, ભાઈ રણછોડ ઉદેરામ, હરીલાલ દામોદર, અને મનસુખરામ સુરજરામ વગેરે

4

લોકો ને સુધારવાનુ દ્રશ્ટંત

14 June 2023
0
0
0

लोकोने सुधारवाना दृष्टांत विषे.  ⁠એક દેશમાં એક દહાડે એવો વરસાદ વરશો કે, તેના છાંટા જે જે લોકોને ઉડ્યા, તે સગળા દીવાના થઈ ગયા. તેઓ માંહોમાંહી લડવા લાગ્યા, અને માથેથી પાગડીઓ નાખી દીધી. પોતાના શરીરને

5

ઇશ્વર ની ચોપડી

14 June 2023
0
0
0

વિદ્યાધર અને વિચારધરનો સંવાદ. ⁠વિચારધર—આવો પ્યારા મિત્ર, તમે ઘણે દિવસે આજ મારા ઉપર કૃપા કરીને મારે ઘેર પધાર્યા. ⁠વિદ્યાધર—ભાઈ મારા મનનો એક સંશય મટાડવા સારૂ આજ તો હું આવ્યો છું. તે સંશય એ કે, મેં ઘ

6

લખેલી વાત માનવા

14 June 2023
1
0
0

लखेली वात मानवा विषे.  ⁠જેમ બાળકને કોઈ કહેશે કે, આપણા ગામને પાદર સિંગડાવાળા ઘોડા આવ્યા છે, તો તે બાળક બિચારો તરત સાચું માનશે. તેમ જ કોઈ પુસ્તકમાં ગમે તેમ લખ્યું હોય, તે ભોળા લોક બિચારા તરત ભરૂંસા

7

શાસ્ત્રિ ઓ ની સભા !

14 June 2023
0
0
0

शास्त्रीओनी सभा विषे.  ⁠જેમ આ વખતમાં કોઈ ગૃહસ્થ પરગામ જાય છે, ત્યારે ત્યાંની નિશાળમાં પરીક્ષા લઈને, ઈનામ વહેંચે છે. તેમ જ જુનો ચાલ એવો છે કે, કોઈ સારા ગૃહસ્થને ઘેર જ્યારે સારું ટાણું હોય, ત્યારે શા

8

લાલ અને કીકાના સ્વપ્ન

14 June 2023
0
0
0

लाल अने कीकाना स्वप्ना विषे.  ⁠લાલો અને કીકો એવા નામના બે નિશાળિયા, એક સમે પોતાના સગામાં લગ્ન હતાં તેથી આખી રાતનો ઉજાગરો કરીને બીજે દિવસે નિશાળે ગયા. ત્યાં ભણતાં ભણતાં ઉંઘનાં અતિશે ઝોકાં આવવા લાગ્ય

9

વંશપાલ અને યમરાજ

14 June 2023
0
0
0

वंशपाळ अने यमराज विषे ⁠આ વિષયમાં જે નામો આવશે, તેના અર્થ નીચે પ્રમાણે સમજવા. ⁠યમરાજ, એટલે મૃત્યુ. ⁠યમના દૂત, એટલે તરેહ તરેહના રોગ. ⁠વરૂણદેવ, એટલે જળ ઇત્યાદિ. ⁠વંશપાળ નામે એક વાણીઓ હતો, તેની સ્ત

10

વંશપાલ અને યમરાજ

14 June 2023
0
0
0

वंशपाळ अने यमराज विषे ⁠આ વિષયમાં જે નામો આવશે, તેના અર્થ નીચે પ્રમાણે સમજવા. ⁠યમરાજ, એટલે મૃત્યુ. ⁠યમના દૂત, એટલે તરેહ તરેહના રોગ. ⁠વરૂણદેવ, એટલે જળ ઇત્યાદિ. ⁠વંશપાળ નામે એક વાણીઓ હતો, તેની સ્ત

11

બાળક ના અભ્યાસ ની ચાલતી રીત

14 June 2023
0
0
0

बाळकना अभ्यासनी चालती रीत व ⁠ગુજરાતમાં બાલકને ભાષાનું જ્ઞાન, તથા વિચારશક્તિ ઉઘડવા વાસ્તે જુના વિદ્વાનોએ કેટલીએક યુક્તિઓ ચલાવેલી દેખાય છે. તે યુક્તિયો જેટલામાં ગુજરાતી ભાષા બોલાય છે. તેટલા આખા ગુજરા

12

અદબ !

14 June 2023
0
0
0

अदब विशे.  ⁠હરેક માણસની મર્યાદામાં રાખવી, તે અદબ કહેવાય છે. પોતાનાથી મોટું માણસ અથવા અધિકારવાળું માણસ હોય, તેને તેના અધિકાર પ્રમાણે માન આપવું એટલે, તે આવે ત્યારે સામાં ઉભા થઈને, સલામ કરીને તેનું

13

ઠગ સાચા ની વાત

14 June 2023
0
0
0

ठग साचा विषे. ⁠દીલ્લીમાં એક બુઢો કાયસ્થ હતો, તેની પાસે નાણું પુષ્કળ હતું. પણ તેને કાંઈ પ્રજા ન હોતી. અને તેની સ્ત્રી મરી ગઈ. ત્યારે પ્રજા વાસ્તે તેણે વૃદ્ધાવસ્થામાં ફરીથી લગ્ન કર્યું. તે સ્ત્રીને

14

જૂના તથા હાલના નઠારા ચાલ

14 June 2023
0
0
0

जुना तथा हालना नठारा चाल विषे.  ગયાં થોડાં વર્ષ ઉપરના જંગલી ચાલ નીચે મુજબ. ⁠૧. રાજાના ઘરને જ મેડી હતી, પણ ર‌ઇયતના ઘરમાં મેડી ચણવા દેતા નહિ. કદાપિ મેડી કરે તો તેની બારીઓ તે ઘરની પડશાળમાં મુકે. કે ત

15

દેશી રાજાઓ !

14 June 2023
0
0
0

देशी राजाओ विषे. ⁠અશલના દેશી રાજાઓ "ધનુર્વિદ્યા" એટલે યુદ્ધ કરવા વગેરેની વિદ્યા. અથવા "કવાયદ" પોતે શિખતા હતા. પોતાની અક્કલથી ઇનસાફ કરતા હતા. વિદ્વાનોની પરીક્ષા લઈ શકતા હતા. ઝાઝો પારકો ભરૂંસો રાખત

16

રુધિર પ્રવાહ !

14 June 2023
0
0
0

रुधिर प्रवाह विषे. ⁠એક સમે ચોમાસાનો દહાડો છે, અને ચારે તરફ વાદળાંથી આકાશ છવાઈ ગયો. આકાશમાં કાટકા થઈને વીજળીના ઝબકારા ઉપરા ઉપરી થવા લાગ્યા, કે જે દેખાવ જોઈને કાચી છાતીના લોકોની છાતીઓ થડક થડક થવા લ

17

મોટી ઘોડા-ગાડી

14 June 2023
0
0
0

મનહરછંદ. સાધવા હરેક કામ સાધનનો શોધ કરો, સાધનથી ગરીબ જીતે મોટા મહીશને; સાધન વિનાનો શૂરો કહો તે શું કરી શકે. સાધનથી એકલો પૂરો પડે પચીશને; એક ઘોડો એક જ પુરુષને ઉપાડી શકે. વીશ ઘોડા હોય તો વાહન થાય

---

એક પુસ્તક વાંચો