shabd-logo

લોકો ને સુધારવાનુ દ્રશ્ટંત

14 June 2023

1 જોયું 1


लोकोने सुधारवाना दृष्टांत विषे. 

⁠એક દેશમાં એક દહાડે એવો વરસાદ વરશો કે, તેના છાંટા જે જે લોકોને ઉડ્યા, તે સગળા દીવાના થઈ ગયા. તેઓ માંહોમાંહી લડવા લાગ્યા, અને માથેથી પાગડીઓ નાખી દીધી. પોતાના શરીરને દુઃખ થાય તેનું પણ તેઓને ભાન રહ્યું નહિ. એ સમે જે લોકો ઘરમાં હતા, તેઓને તે વરસાદના છાંટા ઉડ્યા નહિ, અને તેઓ દીવાના થયા નહિ.

⁠એક હવેલીમાં ૨૫ માણસોની સભા બેઠી હતી. તેમાંના એક બે જણ જરૂખે જઈને શેહેરના ચ‌ઉટા સામી નજર કરીને જુએ છે તો, સઘળા લોકો ઉઘાડે માથે કુદતા અને ચિત્તભ્રમ થયેલા દીઠા. ત્યારે તેણે સઘળા સભાસદોને બોલાવીને લોકોની એવી અવસ્થા દેખાડી.

⁠સભાસદોને દયા આવી, અને વિચાર કર્યો કે, આપણે દેશી ભાઈઓનું જે રીતે આ દુઃખ મટે, અને ભ્રમના ટળે, એવા ઉપાય આપણે ખરા દીલથી કરવા. પછી હવેલીથી હેઠા ઉતરીને, ભમેલા એક માણસને ઘણી શીખામણ, તથા હિંમત દેવા માંડી પણ તેણે કાંઈ વાત માની નહિ; અને ઉલટું એવું કહ્યું કે તમે દીવાના છો.

⁠સભાસદોએ તેને લઈ જઈને એક તળાવમાં ન્હવરાવ્યો. તેથી વરસાદના છાંટાની અસર જતી રહી. એટલે તેને શરીરનું ભાન આવ્યું. પછી તે પણ હુશિયાર થઈને બીજા લોકોની ભ્રમણા મટાડવાના ઉપાય કરવામાં સામેલ થયો, પછી સભાસદોએ એવો ઠરાવ કર્યો કે, આપણી મંડળીના ચાર પાંચ ભાગ થઈને શેહેરના જુદા જુદા ભાગમાં જઈએ. અને જે ઉપાય આપણને જડ્યો છે, તે ઉપાયથી લોકોને સુધારીએ. અને સાંઝ પડતાં આપણે સઘળાએ આ જગ્યામાં એકઠા થવું. એવો ઠરાવ કરીને જુદી જુદી ટુકડીઓ શેહેરમાં જુદે જુદે ઠેકાણે ગઈ, પછી સાંઝ પડતાં તે સ‌ઉ જ્યારે એકઠા થયા, ત્યારે જુએ છે તો કેટલાએક વૃદ્ધ સભાસદો, દશ વીશ માણસોને ડાહ્યા કરીને પોતાની સાથે લાવ્યા. અને કેટલાક તો જુવાન સભાસદો નિરાશ થઈને પાછા આવેલા, વળી તેઓનાં માથાં ફુટેલાં. અને લુગડાં ફાડી નાંખેલાં હતાં. તેઓને વૃદ્ધ સભાસદોએ પુછ્યું કે, તમને આ રીતે કેમ થયું ? તેઓએ જવાબ દીધો કે અમે તો જ્યાં જ્યા ગયા, ત્યાં કોઈ લોકોએ અમારૂં કહ્યું માન્યું નહિ.

⁠અમે કહ્યું કે—તમે સમજતા નથી.

⁠લોકો—તમે સમજતા નથી.

⁠અમે—તમને ભ્રમના થઈ છે.

⁠લોકો—તમને ભ્રમના થઈ છે.

⁠અમે—તમે ઠીક ચાલતા નથી.

⁠લોકો—તમે ઠીક ચાલતા નથી.

⁠પછી છેલ્લી વારે તે લોકો અમારી સાથે દ્વેષ રાખીને લડવા લાગ્યા. અને અમારા સામા પથરા ફેંક્યા, તેથી અમને વાગ્યું. એ લડાઈમાં અમારાં લુગડાં ફાટ્યાં; અને અમે તો કાયર થઈ ગયા. મરો; હવે આપણે તે લોકોનું શું કામ છે ? આપણે જુદો વાસ વસાવીને સુખેથી રહીશું. અને તેઓ સાથે અમારે પકું વેર બંધાયું. માટે હવે એમાંનો કોઈ અમારામાં ભળે એવું જણાતું નથી. પણ તમે આટલા લોકોને શી રીતે સમજાવ્યા ? તે અમને કહો.

⁠વૃદ્ધ સભાસદો—અમે લોકોને સમજાવવા ગયા, ત્યારે તેઓએ કહ્યું કે તમે તમારે માથેથી પાઘડી કાઢી નાખો, તો અમારી મંડળીમાં તમને ગણીશું, નહિ તો ગણીશું નહિ. પછી અમે પાગડીઓ કાઢી નાંખી. વળી તેઓએ કહ્યું કે ખાસડાં કાઢી નાંખો, કેમેકે જુઓ અમારી મંડળીવાળા કોઈ ખાસડાં પહેરતા નથી. માટે તમે પહેરશો તો, અમારી મંડળીમાંથી તમને કાઢી મુકીશું. ત્યારે અમે ખાસડાં પણ કાઢી નાંખ્યાં. વળી કહેતા હતા કે, તમે અંગરખાં કાઢી નાખો; અથવા માફ માગો તો પહેરવા દેઈશું, ત્યારે અમે તેઓને સમજાવતા હતા કે , તમારામાંના કોઈ કોઈ અંગરખાં પએરે છે, માટે અમે પહેર્યાં છે. વળી અમે માફ પણ માગતા હતા ત્યારે તેઓ અમારી વાત સાંભળવા લાગ્યા. તો પણ તેઓને, તમે દીવાના છો, કે તમે નથી સમજતા, એવું અમે કહેતા નહોતા. ઉઘાડે માથે ફરવું, અને ઉઘાડે પગે ચાલવું, તે અમને શરમ જેવું લાગતું હતું ખરૂં. પણ અમે ધાર્યું કે આમ કર્યા વિના આપણે અતડા પડીશું, તો સ્વદેશીઓનું દુઃખ મટાડી શકશું નહિ. અને આપણી વાત તેઓ માનશે નહિ. એ લોકોમાંથી સૈંકડે એક માણસ અમારી વાત સાંભળતો હતો. અને તે સાંભળનારથી સૈંકડે એકે અમારી વાત માની. તો પણ અમને હિંમત છે કે, આ રીતે થોડા થોડા લોકોની ભ્રમના મટાડીશું તો કોઈ વાર આખા શહેરના લોકોની ભ્રમના મટશે ખરી. તે કરતાં તે લોકો થોડા રહેશે, અને આપણી મંડળીમાં ઝાઝા લોકો મળશે, આપણે આપણી મરજી પ્રમાણે પાઘડી બાંધવા ચહાશું તો બાંધી શકશું. કદાપિ આપણી ઉંમરમાં આખું શહેર સુધરેલું આપણે નહિ દેખીએ, તો પણ હિંમત છોડશું નહિ; એવો અમે ઠરાવ કર્યો છે. માટે અમે ધારિયે છૈએ કે પરમેશ્વરની સહાયતાથી અમારો ઉદ્યોગ સુફળ થશે.

⁠પછી તેઓનો ઉદ્યોગ સુફળ થયો. માટે એવી રીતે હલતા મળતા રહીને લોકોને સુધારવા જોઈએ. ક્રૂરચંદ બોલ્યો, કે વારૂ ભઈ, આપણે એ જ રીતે લોકોને સુધારીશું પણ એક સંશય મારા મનમાં છે, તે તમે મટાડો.

⁠સુરચંદ—સો સંશય છે ?

⁠ક્રૂરચંદ—આ પૃથ્વી ઉપર કવિયોએ અનેક પુસ્તકો રચેલાં છે. તેમાં કેટલાએકનાં મત એકબીજાથી વિરૂદ્ધછે. માટે હું કિયા પુસ્તકોનો ભરૂસો રાખું ?

⁠સુરચંદ—ભાઈ ઈશ્વરી ચોપડીનો ભરૂંસો રાખો. તે વિષે વિદ્યાધર અને વિચારધરનો સંવાદ કહું તે સાંભળ. 

17
લેખ
તાર્કિક બોધ
0.0
તે તાર્કિક વાતોથી વાંચનારને બોધ થાય એવી વાતો છે, માટે આ ચોપડીનું નામ तार्किकबोध રાખ્યું છે. તેમાં ૧૫ વિષયો દાખલ કર્યા છે. અને ક્રૂરચંદ, તથા સુરચંદનો સંવાદ લઈને એક જોડી દીધો છે. ⁠તેમાં પહેલા ત્રણ વિષયોમાં માણસ ઉપર દયા રાખીને તેઓને સુધારવા બાબત છે.
1

प्रस्तावना

14 June 2023
5
0
0

प्रस्तावना. ⁠ગુજરાત વર્નાક્યુલર સોસઈટીના સેક્રેટરી મેહેરબાન ટી. બી. કરટીસ સાહેબે મને આજ્ઞા કરી, કે બુદ્ધિપ્રકાશ ચોપાનિયામાંથી સારા સારા વિષયોનો સંગ્રહ કરીને, મળાતા વિષયોની ચાર ચાર આનાની કિંમતની ચાર

2

ક્રુરચંદ અને સુરચંદ નો સંવાદ

14 June 2023
3
0
0

क्रूरचंद, सुरचंद विषे. १. ⁠પંજાબનો રહેવાશી ક્રૂરચંદ, અને ગુજરાતનો સુરચંદ, એ બંને રોજગાર વાસ્તે પરદેશ જતાં રસ્તામાં એકઠા થયા. તેઓ ચાલ્યા જતા હતા તે માર્ગને એક પડખે સુકા તળાવમાં વગર બાંધેલો કૂવો હતો,

3

વિશ્વાનુભવસ્વપ્ન

14 June 2023
1
0
0

विश्वानुभव स्वप्ना विषे. . ⁠એક સમે રાત્રીમાં મને સ્વપ્ન લાગ્યું, કે જાણિયે હું, તથા મહેતાજી દુર્ગારામ મંછારામ, શાસ્ત્રી વ્રજલાલ કાળીદાસ, ભાઈ રણછોડ ઉદેરામ, હરીલાલ દામોદર, અને મનસુખરામ સુરજરામ વગેરે

4

લોકો ને સુધારવાનુ દ્રશ્ટંત

14 June 2023
0
0
0

लोकोने सुधारवाना दृष्टांत विषे.  ⁠એક દેશમાં એક દહાડે એવો વરસાદ વરશો કે, તેના છાંટા જે જે લોકોને ઉડ્યા, તે સગળા દીવાના થઈ ગયા. તેઓ માંહોમાંહી લડવા લાગ્યા, અને માથેથી પાગડીઓ નાખી દીધી. પોતાના શરીરને

5

ઇશ્વર ની ચોપડી

14 June 2023
0
0
0

વિદ્યાધર અને વિચારધરનો સંવાદ. ⁠વિચારધર—આવો પ્યારા મિત્ર, તમે ઘણે દિવસે આજ મારા ઉપર કૃપા કરીને મારે ઘેર પધાર્યા. ⁠વિદ્યાધર—ભાઈ મારા મનનો એક સંશય મટાડવા સારૂ આજ તો હું આવ્યો છું. તે સંશય એ કે, મેં ઘ

6

લખેલી વાત માનવા

14 June 2023
1
0
0

लखेली वात मानवा विषे.  ⁠જેમ બાળકને કોઈ કહેશે કે, આપણા ગામને પાદર સિંગડાવાળા ઘોડા આવ્યા છે, તો તે બાળક બિચારો તરત સાચું માનશે. તેમ જ કોઈ પુસ્તકમાં ગમે તેમ લખ્યું હોય, તે ભોળા લોક બિચારા તરત ભરૂંસા

7

શાસ્ત્રિ ઓ ની સભા !

14 June 2023
0
0
0

शास्त्रीओनी सभा विषे.  ⁠જેમ આ વખતમાં કોઈ ગૃહસ્થ પરગામ જાય છે, ત્યારે ત્યાંની નિશાળમાં પરીક્ષા લઈને, ઈનામ વહેંચે છે. તેમ જ જુનો ચાલ એવો છે કે, કોઈ સારા ગૃહસ્થને ઘેર જ્યારે સારું ટાણું હોય, ત્યારે શા

8

લાલ અને કીકાના સ્વપ્ન

14 June 2023
0
0
0

लाल अने कीकाना स्वप्ना विषे.  ⁠લાલો અને કીકો એવા નામના બે નિશાળિયા, એક સમે પોતાના સગામાં લગ્ન હતાં તેથી આખી રાતનો ઉજાગરો કરીને બીજે દિવસે નિશાળે ગયા. ત્યાં ભણતાં ભણતાં ઉંઘનાં અતિશે ઝોકાં આવવા લાગ્ય

9

વંશપાલ અને યમરાજ

14 June 2023
0
0
0

वंशपाळ अने यमराज विषे ⁠આ વિષયમાં જે નામો આવશે, તેના અર્થ નીચે પ્રમાણે સમજવા. ⁠યમરાજ, એટલે મૃત્યુ. ⁠યમના દૂત, એટલે તરેહ તરેહના રોગ. ⁠વરૂણદેવ, એટલે જળ ઇત્યાદિ. ⁠વંશપાળ નામે એક વાણીઓ હતો, તેની સ્ત

10

વંશપાલ અને યમરાજ

14 June 2023
0
0
0

वंशपाळ अने यमराज विषे ⁠આ વિષયમાં જે નામો આવશે, તેના અર્થ નીચે પ્રમાણે સમજવા. ⁠યમરાજ, એટલે મૃત્યુ. ⁠યમના દૂત, એટલે તરેહ તરેહના રોગ. ⁠વરૂણદેવ, એટલે જળ ઇત્યાદિ. ⁠વંશપાળ નામે એક વાણીઓ હતો, તેની સ્ત

11

બાળક ના અભ્યાસ ની ચાલતી રીત

14 June 2023
0
0
0

बाळकना अभ्यासनी चालती रीत व ⁠ગુજરાતમાં બાલકને ભાષાનું જ્ઞાન, તથા વિચારશક્તિ ઉઘડવા વાસ્તે જુના વિદ્વાનોએ કેટલીએક યુક્તિઓ ચલાવેલી દેખાય છે. તે યુક્તિયો જેટલામાં ગુજરાતી ભાષા બોલાય છે. તેટલા આખા ગુજરા

12

અદબ !

14 June 2023
0
0
0

अदब विशे.  ⁠હરેક માણસની મર્યાદામાં રાખવી, તે અદબ કહેવાય છે. પોતાનાથી મોટું માણસ અથવા અધિકારવાળું માણસ હોય, તેને તેના અધિકાર પ્રમાણે માન આપવું એટલે, તે આવે ત્યારે સામાં ઉભા થઈને, સલામ કરીને તેનું

13

ઠગ સાચા ની વાત

14 June 2023
0
0
0

ठग साचा विषे. ⁠દીલ્લીમાં એક બુઢો કાયસ્થ હતો, તેની પાસે નાણું પુષ્કળ હતું. પણ તેને કાંઈ પ્રજા ન હોતી. અને તેની સ્ત્રી મરી ગઈ. ત્યારે પ્રજા વાસ્તે તેણે વૃદ્ધાવસ્થામાં ફરીથી લગ્ન કર્યું. તે સ્ત્રીને

14

જૂના તથા હાલના નઠારા ચાલ

14 June 2023
0
0
0

जुना तथा हालना नठारा चाल विषे.  ગયાં થોડાં વર્ષ ઉપરના જંગલી ચાલ નીચે મુજબ. ⁠૧. રાજાના ઘરને જ મેડી હતી, પણ ર‌ઇયતના ઘરમાં મેડી ચણવા દેતા નહિ. કદાપિ મેડી કરે તો તેની બારીઓ તે ઘરની પડશાળમાં મુકે. કે ત

15

દેશી રાજાઓ !

14 June 2023
0
0
0

देशी राजाओ विषे. ⁠અશલના દેશી રાજાઓ "ધનુર્વિદ્યા" એટલે યુદ્ધ કરવા વગેરેની વિદ્યા. અથવા "કવાયદ" પોતે શિખતા હતા. પોતાની અક્કલથી ઇનસાફ કરતા હતા. વિદ્વાનોની પરીક્ષા લઈ શકતા હતા. ઝાઝો પારકો ભરૂંસો રાખત

16

રુધિર પ્રવાહ !

14 June 2023
0
0
0

रुधिर प्रवाह विषे. ⁠એક સમે ચોમાસાનો દહાડો છે, અને ચારે તરફ વાદળાંથી આકાશ છવાઈ ગયો. આકાશમાં કાટકા થઈને વીજળીના ઝબકારા ઉપરા ઉપરી થવા લાગ્યા, કે જે દેખાવ જોઈને કાચી છાતીના લોકોની છાતીઓ થડક થડક થવા લ

17

મોટી ઘોડા-ગાડી

14 June 2023
0
0
0

મનહરછંદ. સાધવા હરેક કામ સાધનનો શોધ કરો, સાધનથી ગરીબ જીતે મોટા મહીશને; સાધન વિનાનો શૂરો કહો તે શું કરી શકે. સાધનથી એકલો પૂરો પડે પચીશને; એક ઘોડો એક જ પુરુષને ઉપાડી શકે. વીશ ઘોડા હોય તો વાહન થાય

---

એક પુસ્તક વાંચો