नाटक समाप्ति विषे
સૂત્રધાર-અરે સભાસદો!મિથ્યાભિમાનથી કોઇ વખત કેવું સંકટ આવી પડે છે તે વાત સારી પેઠે આપના ધ્યાનમાં ઉતરી હશે. માટે હવે એ વિષે વધારે કહેવાનું કાંઇ બાકી રહ્યું નથી. હવે જે ગૃહસ્થે પરોપકાર વાસ્તે આ નાટકનું પુસ્તક ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની મારફતે, ઇનામ આપીને રચાવેલું છે, તે ગૃહસ્થનું *પવિત્ર નામ આ ઠેકાણે આપણે સંભારવું જોઇએ.
शार्दूलविक्रीडित वृत.
भाळ्या भाविक भाटिया जन भला,कोडे बेसे कच्छमां,त्यां गोविंदजि धर्मशी [૧]गुण-निधि,छे मांडवी स्वच्छमां;जेणे नाटकनी रसीक रचना,रुडी रचावी नवी;तेनुं तेम सभासदो सकळनुं.कल्याणवांचे कवि. ८३
સમાપન વર્ષ -
दोहरो.शास्त्र भूजा ने भक्ति, भू,संवंतनी शरुवात;[૨]पुस्तक आ पूरुं कर्युं, प्रबोधिनी [૩]दिन प्रातः ८४
પછી સર્વ સભાસદોએ સાબાશ! સાબાશ કહીને હર્ષની તાળીઓ બજાવી[ને સભા બરખાસ્ત થઇ.]
સમાપ્ત