shabd-logo

પ્રસ્તાવના

16 June 2023

8 જોયું 8

ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના સેક્રેટરી મહેરબાન એમ. એચ. સ્કોટ સાહેબની તરફથી સને ૧૮૬૯ના જુલાઈના બુદ્ધિપ્રકાશમાં, ગુજરાત શાળાપત્રમાં, મુંબાઇના રાસ્ત ગોફ્તારમાં, સન્ડે રિવ્યુમાં, ડાંડીઆમાં, સુરતના ગુજરાત મિત્રમાં અને અમદાવદના વર્તમાન પત્રોમા એક જાહેર ખબર છપાઈ કે, -

"કોઈએક પ્રકારની વિદ્યા, ધન, ગુણ પોતામાં ન છતાં તે મારામાં છે એવો ઢોંગ કરે, તે મિથ્યાભિમાની કહેવાય. તે મિથ્યાભિમાન વિષે હાસ્ય રસમાં નાટકરૂપી નિબંધ, "બુદ્ધિપ્રકાશ" જેવડાં ૫૦ પૃષ્ઠનો પાંચ મહિનાની મુદતમાં લખી મોકલશે, તેમાં સૌથી સરસ નિબંધ લખનારને કચ્છ માંડવીના ઠક્કર ગોવિંદજી ધરમશી તરફનું રૂ. ૧૦૦) નું ઇનામ આપવામાં આવશે." તે જાહેરખબર ઉપરથી આ નાટક મેં રચીને મોકલ્યું.

વાર્તારૂપે કે સંવાદરૂપે નિબંધ લખેલો હોય, તે કરતાં નાટકરૂપી નિબંધથી, તથા તેજ નાટક કરી દેખાડવાથી માનસના મનમાં વધારે અસર થાય છે; જેમકે ચહેરાપત્રક ઉપરથી કોઇ માણસની આકૃતિનું જેટલું જ્ઞાન થાય છે તે કરતાં ફોટોગ્રાફી છબી જોવાથી તેના ચહેરાનું વધારે જ્ઞાન થાય છે; તેમજ નાટક છે - તે ફોટોગ્રાફી-છબી જેવું છે.

મિથ્યાભિમાનીના અવગુણ દેખાડવામાં હાસ્યરસ જ જોઈએ, માટે નિબંધ રચાવનાર ગૃહસ્થે યોગ્ય રસ પસંદ કર્યો છે. મેં સાંભળ્યું છે કે તે ગ્રહસ્થ કચ્છના મોટા સંઘ સાથે ગોકુળ, મથુરા, કાશી વગેરેની જાત્રા કરવા ગયા હતા. તે સંઘમાં તથા તીર્થક્ષેત્રોમાં ધન, વિદ્યા અને ધર્મના મિથ્યાભિમાનીઓ તેમના જોવામાં ઘણા આવ્યા, તેથી વળતાં તેમણે ધાર્યુંકે અમદાવાદમાં જઇને મિથ્યાભિમાનીઓને શિખામણ લાગે એવું મશ્કરીભરેલું નાટક સારા વિદ્વાન પાસે ઈનામ આપીને રચાવું, કે જેથી લોકોનું ભલું થાય.

પછી તેમણે અમદાવાદમાં આવીને એક વિદ્વાનને કહ્યું કે તમેજ સૌથી સરસ પુસ્તક રચી શકશો એવી મારી ખાત્રી છે, માટે આ ઈનામ લઇને રચી આપો. પછી તે વિદ્વાને તેમને સલાહ આપી કે સોસાઈટીની મારફતે જાહેરખબર છપાવશો તો મુંબાઇ, સુરત વગેરે હરકોઇ ઠેકાણેથી સરસ નાટક લખાઇ આવશે. આ ઉપરથી તેમણે તેમ કર્યું.

આપણા દેશના ભવાયા લોકો નાટક કરે છે તેમાં બિભત્સ શબ્દો બોલે છે, તેથી તે સારાં માણસોને જોવા લાયક નથી, માટે સુધરેલાં નાટકનાં પુસ્તકોની ગુજરાતી ભાષામાં ઘણી જરૂર છે.

સંસ્કૃત તથા વ્રજ ભાષાના સાહિત્યના ગ્રન્થોમં નાટકનાં દશ રૂપક કહ્યાં છે :-

श्लोक

૧.....૨..........૩...૪..........૫
नाटकं सप्रकरणं , भाण: प्रहसनं डिम:
૬.......૭....૮...૯...૧૦
व्यायोगसमवाकारौ वीथ्यंकेहामृगा दश ॥१॥

અર્થ-નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોગ, સમવાકાર, વીથી, અંક અને ઇહામૃગ એ દશ. તેમાંનું આ નાટકનું રૂપક प्रहसन છે. કહ્યું છે કે, 'प्रहसने कल्प्यमितिवृत्तं, पाषंड-प्रभुतयो नायका हास्यरस, प्रधानं।'

અર્થ- પ્રહસનમાં કલ્પિત વાર્તા, પાખંડી વગેરે પાત્રો અને હાસ્યરસ મુખ્ય હોય.

હવે હાસ્યરસનું લક્ષણ લખું છું. સ્થાયીભાવ, વિભાવ, અનુભાવ અને સાત્વિકભાવ, એ ચાર વાનાં હોય ત્યારેજ હરેક રસ સંપૂર્ણ થાય છે. જેમ દંપત્તિની રતિ , તે શૃંગારરસનો સ્થાયીભાવ છે, તેમ હસવા લાયક પ્રકૃતિ તે હાસ્ય રસનો સ્થાયીભાવ છે; અને હસવા જેવી સ્વનિષ્ઠ કે પરનિષ્ઠ એટલે પોતાનામાં કે બીજામાં, ચંચળતા, નિર્લજ્જતા, વિકૃતવેષ વિકૃતવાણી, મિથ્યા પ્રલપન, વ્યંગદર્શન, મૂઢતા, દૂષણકથન તથા છળકરણ એટલાં વાનાં હાસ્યરસના વિભાવ છે. રસની ઉત્પત્તિનાં કારણો તે વિભાવ કહેવાય.

ઓઠ, નાક કે કપાળ ચળે, અથવા દ્રષ્ટિ કે માથું ઊંચુ નીચું થાય તે હાસ્ય રસના અનુભાવ છે, અને

श्लोक

स्तंभ: प्रलयरोमांचौ, स्वेदो वैवर्ण्यवेपथू:।
अश्रुवैस्वयमित्यष्टौ सात्त्विका: परिकीर्तिता: ॥२॥

અર્થ- અક્કડ થઇ જાય, લીન થઇ જાય, રૂંવાટા ઉભાં થાય, પરસેવો વળે, ડોળા ફરી જાય, ધ્રૂજ છૂટે, આંસૂ પડે અને સ્વરભંગ થાય એ આઠ સાત્વિક ભાવ કહેવાય.

હાસ્યરસ ચાર પ્રકારનો છે. નેત્ર કપોળ વિકસે અને લગાર દાંત દેખાય તે" हसितं" નામે હાસ્ય; અને તે ઉત્તમ છે.

નેત્ર કપોળ સંકોચાય , મધુર શબ્દ થાય અને બધા દાંત દેખાય તે "विहसित " નામે હાસ્ય છે.

ઊંચે સ્વરે ખડખડ હસે, ડોક વાંકી થઇ જાય, કેડ લચકાય અને હથ સંકોચાય, તે "अतिहसितं "

હસીને બોલે, પડી જાય, આંસુ આવે, માથું ધુણે, તાળી દે, તે "उपहसितं " એ છેલ્લા બે પ્રકર અધમ છે. વળી ઉત્તમ મધ્યમ, અને અધમ જાતનાં માણસોના ઉપર લખેલા દરેકને ચચ્ચાર ભેદ ગણતાં હાસ્યના બાર ભેદ થાય છે.

હાસ્યમાં બીભત્સનો ભાવ મિશ્રિત હોય તે " हास्यारसाभास" કહેવાય. એ સર્વે પ્રકારના ભેદ આ નાટકમાં છે. જે બીભત્સક્રિયા કરીને, કે બીભત્સ બોલીને, એટલે ગાળ દઇને, ટુંકારા કરીને લોકોને હસાવે, તે વખાણવા યોગ્ય હાસ્યરસ નહિ, પણ હાસ્યરસાભાસ કહેવાય; અને હાસ્યરસના વખતની દ્રષ્ટિનું નામ હ્રષ્ટા છે.

આ અષ્ટાંકી નાટકમાં મુખ્ય તો મિથ્યાદ્રષ્ટિ અભિમાનનો ચિતાર આપેલો છે; પણ તેમાં મિથ્યા ધનાભિમાન, લેખકગુણાભિમાન, ધર્માભિમાન, વિદ્યાભિમાન, યૌવનાભિમાન, કુલાભિમાન, રૂપાભિમાન અને મિથ્યાજ્ઞાનાભિમાન આદિકના દાખલા પણ આપેલા છે.

મારા લખવામાં ભૂલ આવે જ નહિ, એવું મિથ્યાભિમાન હું રાખતો નથી, માટે ભૂલચૂકની વિદ્વાનો પાસે માફી માંગું છું.

હાસ્યરસના નાટકમાં પાત્રો એવાં જોઈએ કે પોતપોતાના ગુણને મળતો પોશાક, તેની વાણી અને વાક્ય બોલતાં અંગના ચાળા પણ તેવાજ કરી જાણે , કે જેથી જોનારાઓને હાસ્યરસ ઉઅપજે, અને પોતે તો દાંત દેખાડે નહિ. જ્યાં પાત્રોને હસવાનું લખ્યું હોય ત્યાં જ હસે.

રસગ્રંથમાં હાસ્યરસનો રંગ શ્વેત, અને દેવ, કુબેરભંડારી લખ્યો છે. મિથ્યાભિમાન મોટો દુર્ગુણ છે, તેનો નાશ કરવા સારુ જે ગૃહસ્થે આ પુસ્તક રચાવ્યું, તેનો ઉપકાર સર્વે લોકોએ માનવો જોઇએ. હરેક માણસ સર્વે પ્રકારનું જ્ઞાન મેળવી શકે નહિ, એવો ઇશ્વરી નિયમ છતાં, કેટલાક લોકો સુંઠનો ગાંગડો મળવાથી ગાંધી થઈ બેસે છે, તે મિથ્યાભિમાની કહેવાય. સોનીથી દરજીનું કામ થઈ શકે નહિ, અને સોયનું કામ તરવારથી થઇ શકે નહિ. તેમજ મોટા વિદ્વાનોએ સર્વે કળા જાણવાનું અભિમાન રાખવું નહિ; કેમકે જેનું કામ જેથી થાય. કહ્યું છે કે -

*शैल्छंद [૧]
सदा सोयनुं सोयथी काम थाय
+कृपाणे[૨] कहो के करी शुं शकाय?
करी शुं शके आंखनुं काम कान?
धरे मानवी मूर्ख मिथ्याभिमान

જેમ નાટકમાં કહેલો જીવરામભટ્ટ અનુષ્ટાન કરવાને બહાને રોજ રાતે ઘરમાં પેસીને સૂઈ રહે છે, તેવી જ રીતે આ વખતના મિથ્યાધર્માભિમાનીઓ ઊપરથી લોકોને ધર્મનો ઢોંગ બતાવે છે, અંદરખાને પોલેપોલું રાખે છે. આજના પંડિતો વિષે કહ્યું છે કે -अत: शात्का वहि: शैवा: सभामध्येतु वैष्णवा:।

અર્થ- છાને ખૂણે વામ માર્ગ પાળે, લોકો દેખતાં શિવની પૂજા કરે, અને સભામાં ભાગવતની કથા વાંચવા જાય ત્યાં વૈષ્ણવનો વેશ રાખે છે; ને વાદ વદવામાં જીવરામ ભટ્ટના જેવા વાચાળ હોય છે. તેમજ મિથ્યાધનાભિમાનીઓ, મિથ્યાવિદ્યાભિમાનીઓ પણ જીવરામ ભટ્ટની પેઠે ખાલી ઢોંગ કરીને લોકોને જણાવે છે કે, અમે ધનવાન છીએ, અમે વિદ્વાન છીએ. પણ તે સર્વેએ સમજવું કે છેલ્લીવારે જીવરામભટ્ટની ફજેતી થઇ, તેવીજ ફજેતી હરેક પ્રકારના મિથ્યાભિમાનીની થયા વિના રહેતી નથી. માટે આગાળથી જ સમજીને મિથ્યાભિમાન રાખવું નહિ. સુપાત્ર માણસ જેમ જેમ ગુણ મેળવતો જાય , તેમ તેમ નમ્રતા વધારે રાખતો જાય, અને હલકા માણસો જ છકી જાય છે.

ઠકકર ગોવિંદજી ધર્મશીનો પત્ર

કચ્છ - માંડવી. તા. ૮ મી. નવેમ્બર સને ૧૮૭૦. મુવકર, મહેરબાન એમ. એચ. સ્કોટ સાહેબ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સેક્રેટરી, અમદાવાદ.

આપનો કાગળ ચાલતા માસની તા ૨ જીનો લખેલો આવ્યો. તેની પહોંચ કબૂલ કરતાં જણાવવાની રજા લઉં છું કે મારા તરફ પાંચ નિબંધ આવ્યા, તેમાંથી "ભૂંગળ વિનાની ભવાઈ" એ નિશાનીવાળું નાટક મને પસંદ પડ્યું, તે આપને લખી જહેર કર્યું. તેમાં જુજ પાનાં વાંચતાંજ મને એમ જણાયું કે આ કોઇ વિદ્વાનનું લખાણ છે અને જેમ જેમ આગળ વાંચતો ગયો, તેમ તેમ મારા વિચારોને મજબુતી મળતી ગઇ. તેમાં જ્યારે પાને ૪૪ મે' જરાવસ્થા વિષે દ્વિઅર્થી છપય વાંચ્યો ત્યારે નિશ્ચય થયો કે આ રચના કોઇ તેજસ્વી કવિના મગજમાંથી ચમકી નીકળી છે, કેમકે થોડાં વર્ષો ઉઅપ્ર અહીંના માસ્તર ચતુર્ભુજ શિવજીએ મને સરસ કવિતા રચના વિષે એક પોતાનું જોડેલ કવિત વંચાવ્યું હતું, તે એ કે,કવિત-મનહર

कવિ કૈયે તેજ જેના કથાનને છબિ જાણે,
રविના પ્રકાશ પેર હણે અંધકારને;
નીરदથી નીર ઝરે, વીર હાથ તીર ખરે,
ભેદે દિल ભૂમિ એવા શોધે શબ્દસારને;
સ્વદેશનું पરમેશ પાસે હિત માગે સદા,
વાણી છે શિક્ષિत અને પ્યારી નર નારને;
ગાયે અહોનિશ राમ, સત્ય જે સુંદરશ્યામ,
ચતુર કરે પ્રણાम કાવ્ય સરનારને.

(એની પહેલી લીટીનો પહેલો, બીજીનો બીજો, એમ ચઢતો અક્ષર લેતાં કવિ દલપતરામનું નામ નીકળે છે.) એ મુજબ આ આખા નિબંધમાં આદ્યંત એ પ્રકારની જ છુટક કવિતા મારા જોવામાં આવતાં મને તે નાટક દુરસ્ત લાગ્યું.

વિશેષ સોસાઇટીએ પણ મારું પસંદ કરેલ નાટક બહાલ કર્યું અને વળી કવીશ્વર દલપતરામની કલમથી લખાયેલ છે, એવું આપે જણાવ્યું; તો હવે તે રસયુક્ત હોય તેમાં હું કાંઇ આશ્ચર્ય સમજતો નથી. એ નાટકનો પ્રથમ છપાવ્યાનો હક્ક મેં આગળ લખ્યો છે તેમ તેના રચનારને જ આપશો, અને રૂ. ૧૦૦) તેની હકદારીથી ઈનામ આપી બીજા રૂ. ૫૦)ની હુંડી મેં આ સાથે બીડી છે, તેમાં લખ્યા રૂપિયા કવીશ્વર દલપતરામને શાલના કરીને આપશો, તથા જ્કણાવશો કે, નાની રકમ ઉપર જરા પણ નજર ન પહોંચાડતા એ નાટકના ગુણોથી મારા મોહની નિશાની તરીકે અંગીકાર કરશો. તે સારા કાગળ તથા સફાઇથી તરત છપાવવા વાજબી ભાસે તો તજવીજ કરાવશો, અને તે છપાઇ બહાર પડે ત્યારે મારે માટે નકલ ૫૦ મોકલશો. તેની કિંમત હું આપીશ, એજ વિનંતી. 

22
લેખ
મિથ્યાભિમાન
4.0
મિથ્યાભિમાન એ ભારતીય લેખક દલપતરામનું ૧૮૭૧નું ગુજરાતી નાટક છે. ગુજરાતી સાહિત્યમાં એક સીમાચિહ્ન ગણાતું આ નાટક ગુજરાતી નાટકના ઇતિહાસમાં હાસ્ય નાટકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ નાટક જીવરામ ભટ્ટની વાર્તા કહે છે, જે રતાંધળાપણા (નાઇટ બ્લાઇન્ડનેસ)થી પીડાય છે પરંતુ લોકો તેની આ નબળાઈ વિશે જાણે તે ઇચ્છતો નથી. જ્યારે જીવરામ ભટ્ટ તેના સસરાના ઘરે જાય છે, ત્યારે પોતાની વિકલાંગતા છુપાવવાનો નિરર્થક પ્રયાસ તેની મુશ્કેલી અને મૂંઝવણનું કારણ બને છે.
1

પ્રસ્તાવના

16 June 2023
0
0
0

ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના સેક્રેટરી મહેરબાન એમ. એચ. સ્કોટ સાહેબની તરફથી સને ૧૮૬૯ના જુલાઈના બુદ્ધિપ્રકાશમાં, ગુજરાત શાળાપત્રમાં, મુંબાઇના રાસ્ત ગોફ્તારમાં, સન્ડે રિવ્યુમાં, ડાંડીઆમાં, સુરતના ગુજરાત

2

રંગભૂમી ની વ્યવસ્થા

16 June 2023
0
0
0

મુંબાઈ જેવા શહેરોમાં નાટકનો ખેલ કરવાની નાટકશાળા હોય, તેમાં તો સર્વે પ્રકારની સગવડ હોય છે;પણ જ્યાં નાટકશાળા ન હોય ત્યાં આ નીચે લખ્યાં પ્રમાણે રંગભૂમિની ગોઠવણ કરવી. સાહેબ લોકોને ત્યાં લાકડાના ચોકઠાં સા

3

પૂર્વ રંગ

16 June 2023
0
0
0

(એટલે પાત્ર આવ્યા પહેલાં ગાનારા ગાય છે તે.) --<૦>-- રાગ બિહાગ. "બાનાની પત રાખ, પ્રભુ તારા બાનાની પત રાખ-" એ રાગનું પદ છે. મેલ મિથ્યા અભિમાન, મનવા મેલ મિથ્યા અભિમાન; મન મિથ્યા અભિમાન ધરે

4

રંગલા નો પ્રવેશ

16 June 2023
0
0
0

સૂત્રધાર (આવીને)—ગૃહસ્થો, આ ઠેકાણે આજ મિથ્યાભિમાન વિષે હાસ્યરસમાં સુંદર નાટક થવાનું છે. તેમાં કશું વિઘ્ન નડે નહિ એટલા સારૂ વિઘ્નહર્તા દેવના સ્મરણ રૂપી મંગળાચરણ હું કરૂં છું, તે સહુ સાવધાન થઇને સાં

5

જીવરામ ભટ્ નો પ્રવેશ

16 June 2023
0
0
0

પ્રવેશ ૨ જો(જીવરામભટ્ટ આવે છે.) (ગાનારા નીચે મુજબ ગાય છે)"જીવરામભટ્ટ આવ્યા, જોજો ભાઇ જીવરામભટ્ટ આવ્યા,"લાકડિ કર લાવ્યા, જોજો ભાઇ જીવરામભટ્ટ આવ્યા." રંગલો—તાથેઇ, તાતાથેઇ ભલા. જીવ૦—(ઉભા રહે છે.) ર

6

બે ભરવાડો નો પ્રવેશ

16 June 2023
0
0
0

પ્રવેશ —— ૩ જો બીજલ રાયકો— (પડદામાંથી નીકળીને ખભે ડાંગ લઇને ચાલ્યો ચાલ્યો આવે છે; અને જેમ ભેંસોના ટોળાને બોલાવતો હોય તેમ લાંબો હાથ કરીને બુમો પાડે છે.) આહે ! ! !ઉ ઉ ઉ ! ! ! ( $ કાળો કાંબળો ઓઢેલો, મા

7

રંગનાથ ભટ સહ કુટુબ

16 June 2023
0
0
0

૧. રંગલો. ૨. રઘનાથભટ્ટ— જીવરામભટ્ટનો સસરો. ૩. દેવબાઇ— જીવરામભટ્ટની સાસુ. ૪. સોમનાથ— જીવરામભટ્ટનો સાળો, ઉમ્મર વર્ષ ૧૭ નો. ૫. જમના— જીવરામભટ્ટની વહુ ઉમ્મર ૨૦ ની. ૬. ગંગા— જમનાની બહેનપણી. ૭. પાંચો—

8

રંગલો-રઘનાથભટ્ટ

16 June 2023
0
0
0

રંગલો૦—(આવીને આડું અવળું ચારે તરફ જોઈને) આટલામાં બ્રાહ્મણનો વાસ ક્યાં હશે ? અરે જીવ આ તુળસી ક્યારો તો દેખાય છે. અને વેગળી શિવની દહેરી પણ છે. शार्दूलविक्रीडित वृत्त क्यारो तो तुलसी तणो तगतगे, टुंके प

9

ભરવાડ અને રઘનાથભટ્ટ

16 June 2023
0
0
0

(પડદા પાછળથી) એ કમાડ ઉધેડો.(ઉભો રાખેલો પડદો, તેના લાકડાને પાછળથી કોઇ ઠોકે છે.)દેવબા૦—એ ખડકીનાં બારણાં કોણ ઠોકે છે? રઘના૦—ગોવાળ વાળુ લેવા આવ્યો હશે. દેવબા૦—(બારણાં ઉઘડવા જતી હોય તેમ પડદા પાસે જઇ જુએ

10

ગંગા અને જમના

16 June 2023
0
0
0

(ગંગા આવે છે) દેવબા૦—અરે જમના, તારી બેનપણી ગંગા આવી. જમના૦—આવ બ્હેન ગંગા, કેમ તું હમણાં જણાતી નથી ? ગંગા૦—મારે પણ સાસરેથી આણું આવવાનું છે, માટે તૈયારી કરવામાં રોકાઇ રહું છું, તેથી તારી પાસે અવાતું

11

રઘનાથ અને સોમનાથ જીવરામ ભટ્ટને ખોળે છે

16 June 2023
0
0
0

પાત્રો ૧ રઘનાથભટ્ટ, ૨ સોમનાથ, ૩ રંગલો , ૪ જીવરામભટ્ટ.પ્રવેશ ૧ લોસ્થળ — ગામનું પાદર.પડદો ઉઘડ્યો—(ત્યાં ત્રણ જણ ઉભા છે, અને જીવરામભટ્ટ એક કોરાણે ખાડમાં સૂતેલો છે.)સોમના૦—બાપા, અજવાળી રાત કેવી સારી શોભે

12

જીવરામભટ્ટ ને રઘનાથનું કુટુંબ

16 June 2023
0
0
0

સ્થળ – રઘનાથ ભટ્ટનું ઘર<———૦———>પ્રવેશ ૧ લો(પડદો ઉઘડ્યો ત્યાં ઉપર લખેલાં પાત્રો છે, ગંગા સિવાય.) સોમના૦—જીવરામભટ્ટ, આ શેતરંજી ઉપર તમારું આસન રાખો. અને આ તમારાં લૂગડાં સંભાળીને મૂકો. (તે મૂકે છે) દેવ

13

ભોજન પ્રસંગ

16 June 2023
0
0
0

भोजन प्रसंग દેવબા૦ – ઊઠો, હવે નહાઇ લો. કંસાર, દાળ, ભાત તૈયાર છે, અને રસોઇ ઠરી જાય છે. જીવ૦ – અમે સોમનાથભટ્ટને કહેલું છે, કે અમારે તમારા ઘરનું અન્ન ખાવું નથી. સોમના૦ – લો, એ તો જાણ્યું જાણ્યું ! હવે

14

ગંગા ને જીવરામભટ્ટ

16 June 2023
0
0
0

(જમનાની બહેનપણી ગંગા આવે છે.) ગંગા૦— જીવરામભટ્ટ આવ્યા છે કે શું ? રંગલો૦— (લટકું કરીને) હા ! ! જીવરામભટ્ટ આવ્યા છે. જીવ૦— આવો. કોણા એ ? ગંગા૦— એ તો હું ગંગા. જીવ૦— હા. ખરાં, ખરાં. આવે, સુખશાતામાં

15

વાઘજી અને કુતુબમિયાં

16 June 2023
0
0
0

ફારસ એટલે ઉપનાટક. પાત્ર — ૧. કુતુબમિયાં. ૨. વાઘજી રજપૂત.(પડદો ઉઘડ્યો.)કુતુબખાં—(ખભે બતક લઇને હસવા જેવી ચાલ ચાલતાં કેડે હાથ દઇને આવે છે.) ગાનારા—"મિયાં આવ્યારે, બડે મિયાં આવ્યારે." (૪ વાર) રંગલો—એસા

16

સંખ્યાદિ પૃચ્છા

16 June 2023
0
0
0

संख्यादि पृच्छा૧ . રંગલો ૨. ગંગાબાઇ ૩. જીવરામભટ્ટ, ૪. રઘનાથભટ્ટ , ૫. સોમનાથ, ૬. દેવબાઇ, ૭-૮ પોલિસના બે સિપાઈઓ.---<)(+૦+)(>---સ્થળ – રઘનાથભટ્ટનું ઘરપદદો ઉઘડ્યો. (ત્યાં રઘનાથભટ્ટ સહકુટુંબ, ગંગાબાઈ તથા

17

"चौर्यप्रसंग"- જીવરામભટ્ટને ચોર લઈ જાય છે બનાવે છે

16 June 2023
0
0
0

चौर्य प्रसंग જીવ૦—( જાગીને ) અરે પ્રભુ ! લઘુશંકા કરવા ખાળે જવાની જરૂર છે. હવે ખાળ શી રીતે જડશે? કદાપિ ખાળે જઈ પહોંચીએ, પણ પાછા આવતાં આ ખાટલો નહિ જડે, અને કોઈક બીજાની પથારીએ જઈ ચડીએ, તો મોટી ફજેતી થાય

18

ફોજદારી ઈન્સાફ

16 June 2023
0
0
0

પાત્ર—૧ ફોજદાર. ૨ શિરસ્તેદાર. ૩—૪ પોલિસના સિપાઇઓ. ૫.રઘનાથભટ્ટ. ૬ સોમનાથ. ૭ જીવરામભટ્ટ. ૮ રંગલો.સ્થળ—ફોજદારની કચેરી.(પડદો ઉપડ્યો—ત્યાં ગાદી તકિયા ઉપર ફોજદાર અને શિરસ્તેદાર બેઠા છે, આગળ દફ્તરો પડ્યાં

19

જીવરામભટ્ટનો મંદવાડ

16 June 2023
0
0
0

પાત્ર—૧ રંગલો. ૨ રઘનાથભટ્ટ. ૩ સોમનાથ. ૪ દેવબાઇ. ૫ જીવરામભટ્ટ. ૬ વૈદ્ય. <——૦——> સ્થળ—રઘનાથભટ્ટનું ઘર પ્રવેશ ૧ લો.(પડદો ઉપડ્યો, ત્યાં ખાટાલામાં જીવરામભટ્ટ સૂતા છે, અને પાસે રઘનાથભટ્ટ, દેવબાઇ, સોમનાથ

20

વૈદ્ય આવે છે

16 June 2023
0
0
0

(સોમનાથ વૈદ્યને તેડી લાવે છે.) રઘના૦—આવો વૈદ્યરાજ ! વૈદ્યને બેસવાને પાટલો લાવો, પાટલો. રંગલો૦—(બે પાટલા લઇને)લોને, કહો તો આ એક પાટલો વૈદ્યને બેસવા, અને આ બીજો વૈદ્યના માથા પર મૂકું. વૈદ્ય૦—(નાડ તથા

21

મિથ્યાભિમાનીને જીવરામભટ્ટની શિખામણ

16 June 2023
0
0
0

दोहरो. माणसने अभिमानथी, मळे न कदिये मान;उलटुं अपमान ज मळे, नकी ठरे नादान. ७१ अभिमाने दुख ऊपजे, अभिमाने जश जाय;मिथ्या अभिमाने करी, जिवनुं जोखम थाय. ७२ अरे वृथा अभिमानमां, कशो मळे नहि माल;मुज जेव

22

નાટક સમાપ્તિ અને આશિર્વાદ

16 June 2023
0
0
0

नाटक समाप्ति विषे સૂત્રધાર-અરે સભાસદો!મિથ્યાભિમાનથી કોઇ વખત કેવું સંકટ આવી પડે છે તે વાત સારી પેઠે આપના ધ્યાનમાં ઉતરી હશે. માટે હવે એ વિષે વધારે કહેવાનું કાંઇ બાકી રહ્યું નથી. હવે જે ગૃહસ્થે પરોપકાર

---

એક પુસ્તક વાંચો