shabd-logo
Shabd Book - Shabd.in

એવર ગ્રીન રહેવાની કળા – લેખક: અવંતિકા ગુણવંત

Name pintu bhuriya

0 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
મફત

આદરણીય સ્નેહી વાચક મિત્રો, સતત લખાતાં મારાં લખાણોમાં હું માણસ અને જીવન વિશે લખું છું. માણસ અને માણસનું જીવન મારા પ્રિય વિષયો છે. આ પુસ્તકમાં મેં જીવનના ત્રીજા અને ચોથા તબક્કા વિશે લખ્યું છે. ‘ મિત્રો, તમે બોલી ઊઠશો કે જીવનનો ત્રીજો અને ચોથો તબક્કો એટલે નિવૃતિકાળ – વૃદ્ધત્વ.આ તબક્કે વ્યક્તિ પરવશ અને લાચાર હોય છે. તમારી વાત સારી છે, થોડા દસકાઓ પહેલાં આ તબક્કો લાચારીનો હતો પણ અત્યારે એવું નથી. દાક્તરી વિજ્ઞાને પ્રગતિ કરી છે તેથી વૃદ્ધાવસ્થાની પરવશતા ખાસ રહી નથી. દાંત નથી તો ચોકઠું વાપરો, ચલાતું નથી તો વોકર અને વ્હીલચેર વાપરો, કાને ઓછું સંભળાતું હોય, માથે વાળ આછા થઈ ગયા હોય, આંખે ઓછું દેખાતું હોય તો ય આધુનિક વિજ્ઞાન પાસે આ બધી તકલીફોના ઉપાયો છે. માટે વૃદ્ધત્વ-નિવૃત્તિકાળ એ તો જીવનનો અંત નહીં પણ નવજીવનનો આરંભ છે.આપણે જાણીએ છીએ કે વૃદ્ધાવસ્થા કુદરતનો અફર નિયમ છે, વૃદ્ધાવસ્થા એક શારીરિક પરિવર્તન છે, ઉંમર થાય એટલે વૃદ્ધાવસ્થાનાં લક્ષણો દેખાય જ દેખાય. માણસે વૃદ્ધ થવું કે યુવાન રહેવું એ એણે પોતે નક્કી કરવાનું છે. મનુષ્યની કર્મેન્દ્રિયો છેક સુધી એટલે કે સો વર્ષ સુધી બરાબર કામ આપે એવી સક્ષમ હોય છે. આપણને મળેલી કુદરતની એ અદ્દભુત ભેટ છે. માણસ જો આપણા પ્રાચીન ઋષિમુનિઓએ પ્રબોધેલી જીવનશૈલી સ્વીકારે તો સો વર્ષ સુધી સક્રિય રહી શકે છેઅને નિવૃત્તિકાળ એટલે કે વૃદ્ધાવસ્થા સૌદર્ય, માધુર્ય અને ગૌરવથી છલકાતી ઓજસ્વી, સમૃદ્ધ અને દેદીપ્યમાન રહેશે,તો પછી નિવૃત્તિકાળ એટલે કે વૃદ્ધાવસ્થાથી ડરવાનું શું કામ? આપણા શરીરમાં જે પરિવર્તન આવે એને સહર્ષ સ્વીકારીને હળવા શું કામ ન રહીએ? હા, દરેક અવસ્થાની જેમ વૃદ્ધાવસ્થાના ઘણા પ્રોબ્લેમ્સ હોય છે પણ આપણે આપણી ક્ષમતાઅને સમય મુજબ જિદગીનું આયોજન કરતા રહીએ તો પ્રોબ્લેમ્સ ઓછા ઉદ્દભવે. આપણે ધારીએ તો વૃદ્ધત્વને એટલે કે નિવૃત્તિકાળને અમૃતમય બનાવી શકીએ.સવાલ જીવનદષ્ટિનો છે, જીવનદર્શનનો છે. જીવન જીવવાની એક કળા છે. 

evr griin rhevaanii kllaa lekhk avntikaa gunnvnt

0.0(0)

ભાગો

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો