shabd-logo

બળતા દવમાંથી બચવા

8 October 2023

2 જોયું 2

બળતા દવમાંથી બચવા

રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃદ્ધ આદિવાસી (વચ્ચે) : મારે માટે તો બહુ ખોટું થયું, બાપજી ! આ દારૂહતો ત્યારે વરશેદા'ડે પરૂણા પઇતા પચા રૂપિયા થતા'તા, અને આ શાલ એકલા ચામાં હોળ મણ ગોળ થયો.


મહારાજ : સોળ મણ ગોળ થયા પછી પણ પીઓ છો કે ? આદિવાસી : ના, મારાજ; હવે તો થાચ્યો. :


મહારાજ : મહેમાન આવે તો ?


આદિવાસી : પરૂણાને તો પાવો જ પડે તો !


મહારાજ : પાતાં વધે તો શું કરો ?


આદિવાસી : વધે તો પી લઇએ; કંઇ ઢોળી દેવાય, મા'રાજ ?


મહારાજ : સાંભળો; ઘરમાં કોઇ માંદું પડ્યું હોય તો દાકતરને ત્યાંથી દવા લાવીએ છીએ અને તેને પાઇએ છીએ, એ દવા વધે તો આપણેપીએ છીએ ?


આદિવાસી : : ના, હાજો માણહ હું કામ પીએ ?


મહારાજ : તેમ, ઘેર કોઇ મહેમાન આવે તે ચા પીતો હોય તો માંદો છે એમ સમજીને તેને પાવો; પણ આપણે ન પીવો. (સભા સામે જોઇ ) આ ચા આદિવાસી : ન’તા પીતા.


પીવાથી બુદ્ધિ, શક્તિ કાંઇ વધતાં હશે ખરાં? આદિવાસી : ના, ના; વધે શાનાં? ઘટે સે.


મહારાજ : તમારા બાપદાદા ચા પીતા હતા?


મહારાજ : એ તમારા જેટલું કામ કરતા હશે કે ઓછું?


આદિવાસી : અમાર કરતાં બમણું તમણું; ઇમનાં શરીર પણ અમારાં કરતાં હારાં.


મહરાજ : તમે કહો છો ચા પીવાથી બુદ્ધિ નથી વધતી, શક્તિ નથી વધતી, ને કામ ઓછું થાય છે; ત્યારે ચા ન પીઓ તો ન ચાલે ? આદિવાસી : ચા વના તો ચાલે જ તો; રોટલા વના નાં ચાલે .


એક આદિવાસી : હેં ભઇ, જુઓ; આપણા વૈડિયા દારૂ પીતા'તા તાણે ચ્યાર


પૈશામાં ચાલતું; આજે ચાર ‘કોપ’ના ચાર આના થાય સે. વળી ચાર મેમાંન આઇ જ્યા, તો બીજા ચાર આના. આ ચાએ તો ઘર ઘાલ્યું. ચા તો દારૂ કરતાં ય ભૂંડો.


મહારાજ : આ બાજુ બીડીઓ આવી છે કે ?


આદિવાસી : આવી સે—પણ ઓશી. ચલમ વધારે પિવાય.


મહારાજ : બીડી—ચલમ પીવાથી ભૂખ મટતી હશે ?


આદિવાસી : ના ના


મહારાજ : ત્યારે કેમ પીઓ છો ?


જુવાન : અમારા બાપદાદા પીતા'તા એટલે અમે પીએ છીએ.


મહારાજ : તમારી વાત સાચી છે. બાપ ઘરમાં મોઢામાંથી ને નાકમાંથી ધુમાડા કાઢતો હોય ત્યારે છોકરાને પીવાનું મન કેમ ન થાય ? તમારાંછોકરાં પીએ એ સારું કે ન પીએ એ સારું? આદિવાસી : ન પીએ એ હારું.


મહારાજ : આ છોકરાંનાં નસીબ તમારા હાથમાં છે; એટલે એમના ભલા માટે પણ તમે વ્યસન છોડો. વ્યસન એકવાર પેસી ગયાં, તોકાઢવાં મુશ્કેલ. માટે ચેતો. પાણીનો બંધ બાંધેલો હોય તેમાં જરાક સરખું જ કાણું પડ્યું હોય, પણ સમયસર એને પૂરી ન દઇએ તો એમોટું થતું જાય છે--ને


પછી બંધને તોડી નાખે છે અને બધાંને પૂરમાં ખેંચી જાય છે. વ્યસનોનું


પણ એવું છે.


આદિવાસી : મા'રાજ ! આ ચા, બીડી, દારૂ.... બધું ખબર હોય તો ભગવાને પેદા શું કામ કર્યું હશે ?


મહારાજ : ભગવાને તો અમૃત કર્યું છે, ને ઝેર પણ કર્યું છે. પણ આપણે આપણા ભલાનું હોય તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઇએ. આદિવાસી : ત્યારે, બાપજી, આ સરકારે દારૂ કાઢ્યો ઇમ ચા-બીડી કાઢે તો ?


મહારાજ : ભાઇ, વ્યસન કોઇનાં કાઢ્યાં જતાં નથી. એની તો એક જ દવા છે, ને તે સાચી સમજ. વ્યસન માત્ર ખરાબ છે. દુ:ખ દાયી છેએવું જેને ચોક્કસ જ્ઞાન થયું, અને તેના ફંદામાં ન પડવાનો જેણે મન સાથે પાકો નિશ્ચય કર્યો, તે બચી જાય છે. નદી કાંઠોકાંઠ ભરેલી હોય, પણ જેને તરતાં આવડતું હોય તેને બીક હોય કે ? આદિવાસી : વાત હાવ હાચી છે. તરતાં આવડે તે ઊગરી જાય.


મહારાજ : વ્યસનોનો દવ બળતો આવી રહ્યો છે. તેમાં કોઇ બચતું નથી.


ભણેલાં ને અભણ, સાધુ-સંન્યાસીઓ ને દેશના નેતાઓ-બધાં એમાં ઝડપાઇ ગયાં છે. આપણે બચવું હોય તો વચ્ચે એક વીજ-ખાઇખોદી દ્યો; એટલે દવ આગળ વધતો અટકી જશે. તમે તમારા ને તમારાં છોકરાંના ભલા


માટે ચા-બીડી –ચલમ છોડી દો.


એક ડોસો : હાંભળ્યું, માલા ! આ સુધારો કરવા આયા સે બાપજી. કાંક સોડો !


માલો : વાત તો હાચી સે; પણ...પેલો રૂડિયો કે'તો'તો કે આ બીડી ચલમ પીએ તો આપણને ને બળદયાંને બે ઘડી વિશરામ મળે, એટલેપીએ શીએ.


મહારાજ : પણ, પૈસા ખરચીને વિશરામ લઇએ તો જ વિશરામ લીધો કહેવાય? એમનેમ બે ઘડી બેસવું હોય તો ન બેસાય ? માલો : ઇમેય બેહાય તો ખરું.



14
લેખ
માણસાઈ ના દીવા
0.0
આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨] આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨] "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨] આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.
1

લેખકનાં નિવેદનોમાંથી

6 October 2023
0
0
0

લેખકનાં નિવેદનોમાંથી મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમૂ નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીન

2

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023
0
0
0

હું આવ્યો છું બહારવટું શીખવવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ

3

હાજરી

7 October 2023
0
0
0

હાજરી રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસ

4

હરાયું ઢોર

7 October 2023
0
0
0

હરાયું ઢોર મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડ

5

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023
1
0
0

કોણ ચોર! કોણ શાહુકાર ! “મહારાજ !” “હો ” “કશું જાણ્યું ?” “શું?” “કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ ગાંધી ! એ નાના ગાંધી

6

શનિયાનો છોકરો

7 October 2023
0
0
0

શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલ

7

જી’બા

8 October 2023
1
0
0

જી’બા જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળ

8

બાબર દેવા

8 October 2023
0
0
0

બાબર દેવા એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જ

9

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023
0
0
0

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :

10

મહારાજ - વાણી

8 October 2023
0
0
0

મહારાજ - વાણી [રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક] માધીનો છોકરો અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાં

11

પગારવધારો

8 October 2023
0
0
0

પગારવધારો એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે, “પેટનું પૂરું ન થતું હોય,

12

હોકો પીએ એટલામાં !

8 October 2023
0
0
0

હોકો પીએ એટલામાં ! 1930ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઇઓ મળવા આવેલા. ધરાઇને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક

13

બળતા દવમાંથી બચવા

8 October 2023
0
0
0

બળતા દવમાંથી બચવા રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃ

14

તો લગ્ન કેમ કર્યું?

8 October 2023
1
0
0

- તો લગ્ન કેમ કર્યું? ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી.

---

એક પુસ્તક વાંચો