બળતા દવમાંથી બચવા
રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃદ્ધ આદિવાસી (વચ્ચે) : મારે માટે તો બહુ ખોટું થયું, બાપજી ! આ દારૂહતો ત્યારે વરશેદા'ડે પરૂણા પઇતા પચા રૂપિયા થતા'તા, અને આ શાલ એકલા ચામાં હોળ મણ ગોળ થયો.
મહારાજ : સોળ મણ ગોળ થયા પછી પણ પીઓ છો કે ? આદિવાસી : ના, મારાજ; હવે તો થાચ્યો. :
મહારાજ : મહેમાન આવે તો ?
આદિવાસી : પરૂણાને તો પાવો જ પડે તો !
મહારાજ : પાતાં વધે તો શું કરો ?
આદિવાસી : વધે તો પી લઇએ; કંઇ ઢોળી દેવાય, મા'રાજ ?
મહારાજ : સાંભળો; ઘરમાં કોઇ માંદું પડ્યું હોય તો દાકતરને ત્યાંથી દવા લાવીએ છીએ અને તેને પાઇએ છીએ, એ દવા વધે તો આપણેપીએ છીએ ?
આદિવાસી : : ના, હાજો માણહ હું કામ પીએ ?
મહારાજ : તેમ, ઘેર કોઇ મહેમાન આવે તે ચા પીતો હોય તો માંદો છે એમ સમજીને તેને પાવો; પણ આપણે ન પીવો. (સભા સામે જોઇ ) આ ચા આદિવાસી : ન’તા પીતા.
પીવાથી બુદ્ધિ, શક્તિ કાંઇ વધતાં હશે ખરાં? આદિવાસી : ના, ના; વધે શાનાં? ઘટે સે.
મહારાજ : તમારા બાપદાદા ચા પીતા હતા?
મહારાજ : એ તમારા જેટલું કામ કરતા હશે કે ઓછું?
આદિવાસી : અમાર કરતાં બમણું તમણું; ઇમનાં શરીર પણ અમારાં કરતાં હારાં.
મહરાજ : તમે કહો છો ચા પીવાથી બુદ્ધિ નથી વધતી, શક્તિ નથી વધતી, ને કામ ઓછું થાય છે; ત્યારે ચા ન પીઓ તો ન ચાલે ? આદિવાસી : ચા વના તો ચાલે જ તો; રોટલા વના નાં ચાલે .
એક આદિવાસી : હેં ભઇ, જુઓ; આપણા વૈડિયા દારૂ પીતા'તા તાણે ચ્યાર
પૈશામાં ચાલતું; આજે ચાર ‘કોપ’ના ચાર આના થાય સે. વળી ચાર મેમાંન આઇ જ્યા, તો બીજા ચાર આના. આ ચાએ તો ઘર ઘાલ્યું. ચા તો દારૂ કરતાં ય ભૂંડો.
મહારાજ : આ બાજુ બીડીઓ આવી છે કે ?
આદિવાસી : આવી સે—પણ ઓશી. ચલમ વધારે પિવાય.
મહારાજ : બીડી—ચલમ પીવાથી ભૂખ મટતી હશે ?
આદિવાસી : ના ના
મહારાજ : ત્યારે કેમ પીઓ છો ?
જુવાન : અમારા બાપદાદા પીતા'તા એટલે અમે પીએ છીએ.
મહારાજ : તમારી વાત સાચી છે. બાપ ઘરમાં મોઢામાંથી ને નાકમાંથી ધુમાડા કાઢતો હોય ત્યારે છોકરાને પીવાનું મન કેમ ન થાય ? તમારાંછોકરાં પીએ એ સારું કે ન પીએ એ સારું? આદિવાસી : ન પીએ એ હારું.
મહારાજ : આ છોકરાંનાં નસીબ તમારા હાથમાં છે; એટલે એમના ભલા માટે પણ તમે વ્યસન છોડો. વ્યસન એકવાર પેસી ગયાં, તોકાઢવાં મુશ્કેલ. માટે ચેતો. પાણીનો બંધ બાંધેલો હોય તેમાં જરાક સરખું જ કાણું પડ્યું હોય, પણ સમયસર એને પૂરી ન દઇએ તો એમોટું થતું જાય છે--ને
પછી બંધને તોડી નાખે છે અને બધાંને પૂરમાં ખેંચી જાય છે. વ્યસનોનું
પણ એવું છે.
આદિવાસી : મા'રાજ ! આ ચા, બીડી, દારૂ.... બધું ખબર હોય તો ભગવાને પેદા શું કામ કર્યું હશે ?
મહારાજ : ભગવાને તો અમૃત કર્યું છે, ને ઝેર પણ કર્યું છે. પણ આપણે આપણા ભલાનું હોય તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઇએ. આદિવાસી : ત્યારે, બાપજી, આ સરકારે દારૂ કાઢ્યો ઇમ ચા-બીડી કાઢે તો ?
મહારાજ : ભાઇ, વ્યસન કોઇનાં કાઢ્યાં જતાં નથી. એની તો એક જ દવા છે, ને તે સાચી સમજ. વ્યસન માત્ર ખરાબ છે. દુ:ખ દાયી છેએવું જેને ચોક્કસ જ્ઞાન થયું, અને તેના ફંદામાં ન પડવાનો જેણે મન સાથે પાકો નિશ્ચય કર્યો, તે બચી જાય છે. નદી કાંઠોકાંઠ ભરેલી હોય, પણ જેને તરતાં આવડતું હોય તેને બીક હોય કે ? આદિવાસી : વાત હાવ હાચી છે. તરતાં આવડે તે ઊગરી જાય.
મહારાજ : વ્યસનોનો દવ બળતો આવી રહ્યો છે. તેમાં કોઇ બચતું નથી.
ભણેલાં ને અભણ, સાધુ-સંન્યાસીઓ ને દેશના નેતાઓ-બધાં એમાં ઝડપાઇ ગયાં છે. આપણે બચવું હોય તો વચ્ચે એક વીજ-ખાઇખોદી દ્યો; એટલે દવ આગળ વધતો અટકી જશે. તમે તમારા ને તમારાં છોકરાંના ભલા
માટે ચા-બીડી –ચલમ છોડી દો.
એક ડોસો : હાંભળ્યું, માલા ! આ સુધારો કરવા આયા સે બાપજી. કાંક સોડો !
માલો : વાત તો હાચી સે; પણ...પેલો રૂડિયો કે'તો'તો કે આ બીડી ચલમ પીએ તો આપણને ને બળદયાંને બે ઘડી વિશરામ મળે, એટલેપીએ શીએ.
મહારાજ : પણ, પૈસા ખરચીને વિશરામ લઇએ તો જ વિશરામ લીધો કહેવાય? એમનેમ બે ઘડી બેસવું હોય તો ન બેસાય ? માલો : ઇમેય બેહાય તો ખરું.