shabd-logo

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023

8 જોયું 8

હું આવ્યો છું બહારવટું શીખવવા

વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં.

એક અંધારી રાતે એ કેડો વિશેષ બિહામણો બન્યો હતો. એક બાબર દેવાની, બીજી નામદારિયાની અને ત્રીજી ડાયાભાઇ ફોજદારની - એવી ત્રણ લૂંટારું ટોળીઓ વાત્રકના અને મહીના કાંઠા ખૂંદી રહી હતી. ડાયો બહારવટિયો પોતાને ‘ડાયોભાઇ ફોજદાર’ કહેવરાવતો. એવી એક રાતનો ઘાટો અંધાર—પડદો પડી ગયા પછી કપડવંજ તાલુકાના ગામ ભરકડાથી નીકળીને એક બ્રાહ્મણ સરસવણી ગામે જતોહતો. પગપાળો, પગરખાં વિનાનો એક પોતડીભર અને એક ટોપીભર. ઉમર હશે ચાલીસેક. આમ તો એને વહાણું વાયાથી રાતે સૂવા - વેળા થતાં લગી મુસાફરી કરવાની રોજિંદી ટેવ હતી, એટલે રોજ માર્ગે મળતા ખેડૂત લોકની પાયલાગણી અને પ્રેમભીની વાણી પોતાનેપરિચિત હતી. પણ સીમમાંથી ભરકડા ગામ ભણી પાછા વળતાં લોકોનું આ રાતનું વર્તન કંઇક વિચિત્ર હતું. કદી ન દીઠેલી તેવી કંઇકઆકળવીકળતા ભરી ઉતાવળ આ રાતે મરદો - ઓરતો તમામના પગમાં આવી હતી. આડે દા'ડે તો મધ્યાહ્નના ધખતા ધોમ ટાણેય જોઆ ‘મહારાજ’ સામા મળે, તો પોતા-માંહ્યલા એકાદ જણની પાઘડી ભોંય પર બિછાવીને તે પર એમને ઊભાડી એનાં ચરણોની રજ લેનારાંઅને નિરાંતે વાતોના ટૌકા કરનારાં આ લોક આજ રાતે કંઇક વિશેષ ઉતાવળમાં કેમ હશે ? ‘પાછા વળો ને !’ એવું કહેવામાં પણ કેમપોતાના સ્વરને તેઓ ધીરો પાડી દેતા હશે ? એમના એ બોલવામાં સચિંતપણાની સાથે પાછું કાંઇક દબાઇ જવા જેવું અને ગળું રૂંધાઇજવા જેવું કેમ હશે? – એવો પ્રશ્ન મુસાફરના મનમાં આછો આછો આવ્યો તો ખરો; પણ આવ્યા ભેળો તરત પસાર થઇ ગયો. હોય; ખેડૂતો છે, ઘેર પહોંચવાની ઉતાવળમાં હશે. ને હું એક વાર ઊપડ્યો તે પાછો ન વળું, એ તો તેમને સર્વને જાણીતી વાત છે.’

પછી તો લોકો મળતાં બંધ પડ્યાં, સીમ છેક ઉજ્જડ બની ગઇ, અને આથમણી વહેતી ઊંડી વાત્રકનાં ચરાં તેમ જ બીજી તરફ ખેતરાં-એબેઉની વચ્ચે ચાલી જતી રસ્તાની નાળ્ય વધુ ને વધુ ઊંડી થતી ગઇ. અંધારું એટલું ઘાટું બન્યું કે મુસાફરને પોતાનો હાથ પણ કળાતો બંધપડ્યો. એકાએક એની છાતી ઉપર કશોક સ્પર્શ થયો, કોઇ જીવતા માણસના હાથ એને પાછા ધકેલતા જણાયા; અને તેણે પૂછ્યું“કોણછો, લ્યા !”

“પાછા વરો!” સામો ફક્ત એટલો જ જવાબ આવ્યો. કાનમાં કહેતો હોય તેવો ધીરો અને ભયભર્યો અવાજ.


“કોણ પૂંજો?” મુસાફરે, પોતાના પ્રત્યેક પશુનો અવાજ પિછાનનાર માલધારીની રીતે, એ દબાઇ ગયેલ સ્વરને પકડી લીધો. ”હા, ચાલોપાછા.” મુસાફરની છાતીને પાછી ધકેલનારે પોતાના સ્વરને વિશેષ ધીરો પાડ્યો; પણ મુસાફરે તો પોતાના કાયમના એકધારા ઝીણાઅવાજને વધુ હળવો પાડવાની જરૂર જોયા વિના પૂછ્યું: “પણ શું છે, 'cell?"


આગર્ય નકામાં લોકો સે, મહારાજ !” (આગળ નકામાં લોકો હરામખોરો —છે.) - એટલે

“કોણ - બહારવટિયા ?”

“હા, નામદારિયો.”

“ફિકર નહીં, પૂંજા! હું એમની જ શોધમાં છું.” બ્રાહ્મણના મોંમાં ટપ દેતો એ બોલ નીકળી પડ્યો. અહીંથી શરૂ કરીને આ બ્રાહ્મણ મુસાફર, આ ધારાળા ઠાકરડાના ગોર, પોતે જે કંઇ બોલતા ગયા તેમ જ વર્તન કરતા ગયા તેમાં પૂરેપૂરો વિચાર હતો કે કેમ, પરિણામોની ગણતરીઅને ભાન હતાં કે કેમ, તે તો એ મુસાફર જો તમને કોઇને આજે મળશે તો પણ કહી શકશે નહીં. કદાચ એ એમ જ કહેશે કે આ ક્ષણથીએમણે કરેલ વર્તનનો કાબૂ એમના નહીં પણ કોઇક બીજાના હાથમાં હતો. એ બીજું કોણ? તો એનો સંતોષપ્રદ જવાબ એ આજે પણઆપી શકશે નહીં. એણે ફરીથી કહ્યું: “હું એમની જ શોધમાં છું, પૂંજા ! મારે એમને મળવું છે.” “બોલો ના, બાપજી !” હેબતાઇ ગયેલપૂંજાએ અંધારે અંધારે માંડ જીભ ઉપાડી “એ લોકો તમારી ઇજ્જત લેશે.”

“મારી ઇજ્જત! પૂંજા! મારી ઇજ્જત તેઓ ન લઇ શકે તેવી છે. ચાલ, મને તેમનો ભેટો કરાવ.”

“બોલશો ના, બાપજી! હું તમને જવા પણ દઉં નહીં ને સાથે આવું પણ નહીં. એ લોકો તમારા પર કંઇક કરે. તો હું તમને બચાવી શકું નહીં, એટલે મારે મરવું પડે. પાછા હીંડો – કહું છું; એવા એ તમને બાન પકડી રોકી રાખશે.”

“બાન પકડી...!” આ શબ્દોએ મુસાફરના મગજમાં વીજળીનો ઝબકારો કર્યો. અત્યાર સુધી એને એ જ ઓસાણ જ નહોતું ગયું. પણબાન પકડવાની વાતે એને જાગ્રત કર્યો - બાન પકડે છે, બાનને છોડવા બદલ મોટી મોટી રકમો માગે છે અને મુદતસર એ માગ્યાં મૂલ નમળે તો આ લૂંટારા બાનને ઠાર મારે છે ! જાન ગુમાવવાનો તો શો ડર હોય ! પણ- પણ... એકાએક એને યાદ આવ્યું કે પોતાની કનેકોઇક એવી અમૂલ્ય વસ્તુ છે કે જે ડાકુઓના હાથમાં વેડફી દેવાય નહીં. પોતાના પ્રાણ અત્યારે એના પોતાના નહોતા રહ્યા.

પોતાની જિંદગીને એણે એક બીજે ઠેકાણે હોડમાં મૂકી દીધી હતી; ત્યારે નહીં, પણ ત્યારથી જ બે મહિના પછી એ પ્રાણનો ભોગ બીજેઠેકાણે ચડાવવા માટે કોલ -દસ્તાવેજ થઇ ચૂક્યા હતા. માથું તો બારડોલીના મેદાનને અર્પણ બની ગયું હતું. 1922ની એ સાલ હતી. મહાત્મા ગાંધીએ બ્રિટિશ સરકારને બે માસની મહેતલ આપી હતી. હિંદને બે મહિનામાં જો સરકાર સ્વરાજ્ય નહીં આપે, તો ગાંધી બળવોપોકારવાના હતા. ગુજરાત એ બળવાનો પહેલો બલિ બનવાનું હતું; દેશવ્યાપી લડતમાં પહેલાં તોરણ બારડોલીને બારણે બંધાવાનાં હતાંઅને ત્યાં સરકારની બંદૂકોની ધાણી ફૂટવાની હતી, એ વિશે તો કશો શક નહોતો. એ બંદૂકોની ગોળીઓ ખાવા માટે બે હજારઉમેદવારોએ પોતાનાં નામ નોંધાવ્યાં હતાં, તેમાં બે નામો જરા વધુ લાડીલાં હતાં: એક મોહનલાલ કામેશ્વર પંડ્યાનું ને બીજું આપણાબ્રાહ્મણ મુસાફરનું માથું તો ત્યાં જમા થઇ ગયું હતું. તે ઉપરાંત મૃત્યુનો એ મોકો કેટલો મંગળ, કેટલા થનગનાટ કરાવનારો, કેટલો અપૂર્વલહાવ લેવાને હિલોળે ચડાવનારો હતો !

સપાટાબંધ આ મુસાફરની કલ્પનામાં એક દૃશ્ય અંકાયું: પાંચ જ દહાડા પર મહીકાંઠાના ખાનપુર ગામમાં ‘બારડોલી સંગ્રામ'નો સંદેશસંભળાવતી જાહેર સભા મળી હતી. સભા પૂરી થઇ. ગામનો યુવાન મુખી પરશોતમ, સરકારી નોકર, આ બ્રાહ્મણની પાસે આવ્યો; એમનેપોતાને ઘેર લઇ ગયો. ઘેર જઇને જુએ તો એણે પોતાના બે નાના દીકરાનાં નામ શોકતઅલી - મહમદઅલી પાડેલાં - એક જાડિયો ને એકપાતળો હતો તેથી જ તો ! આ બ્રાહ્મણે કહ્યું કે, “પરશોતમ! ત્યારે હવે નોકરી છોડો ને!” મુખી કહે કે, “એ તો મારું શું ગજું!” પણ રાત પૂરીથઇ; સવારે એણે મહેમાનને જમાડીને કહ્યું: “આંહીં બેસો. બૈરી સાથે બેસીને આખી રાત સંતલસ કરેલ છે ને તે પછી આ રાજીનામું લખેલછે. તે વાંચો.” બ્રાહ્મણ વાંચતા ગયા તેમ તેમ તો ઊછળતા ગયા. રાજીનામું અતિ કડક હતું. એણે મુખી સામે જોયુંમુખી એ કહેવા માંડ્યું“રાજીનામું હમણાં ને હમણાં સરકારમાં મોકલું છું, પણ એક શરતે કે બારડોલીમાં જ્યારે ગોળીઓ ચાલે ત્યારે પહેલી ગોળી મને ખાવાદેવી, ને હું ‘જય ભારતમાતા!“ કહી પડું તે પછી જ બીજાનો વારો ગોળી ખાવાનો આવે, તે પૂર્વે નહીં. છે આ શરત કબૂલ” એ પ્રસંગ યાદઆવ્યોદિલ બોલ્યું, આવા રોમાંચક અને રાષ્ટ્રમંગલ મૃત્યુપર્વને મેં અર્પણ કરેલી જિંદગી અહીં ડાકુઓના હાથમાં રોળાયે શો લાભ ! ચાલને જીવ, પાછો! ફરી જા પાછો... ચાલ પાછો... ચાલ પાછો - એ જ ક્ષણે એક બીજું દૃશ્ય બ્રાહ્મણની નજર સામે ઊભું થયું, ત્રણ જદિવસ પરની રાતે વાસણા ગામના ચોકમાં બનેલો એ પ્રસંગ હતો. સેંકડો માણસોની ઠઠ હતી. ડાકુઓના રંજાડ વિશેની એ સભા હતી. પોતે લોકોને બહારવટિયાની સામે પ્રાણ પાથરવા હાકલ્યા હતા. અને તે વખતે મહેમદાવાદ તાલુકાનો એક પાટીદાર ત્યાં પોતાની કથનીકહેવા હાજર હતો. એણે કહેલી કથની આ હતી –

“બહારવટિયા અમારા ઘર પર આવ્યા. મારી કને બે-જોટાળી બંદૂક હતી, તો પણ હું નાઠોપાછળથી સુવાવડમાં પડેલી મારી બૈરીને તેમ જઆંધળી, બુટ્ટી માંને બહારવટિયા માર મારી ગયા છે તેવા મને ખબર પડ્યા છે.” ભરી સભામાં આવું વર્ણન કરનાર એ ભીરુ પાટીદારનેઆ બ્રાહ્મણે તે જ વખતે કહ્યું હતું કે, “વાહ વા ! ત્યારે હવે તો તમને મરકી, કોગળિયું કે કુદરતી મોત કદી નહીં જ આવે, ખરુંને ! શરમનથી આવતી? – કે તમારે કારણે સુવાવડમાં પડેલી તમારી સ્ત્રીને અને નવ મહિના જેણે ભાર વેઠ્યોતે માને તમે ડાકુઓને હાથે પિટાતીમૂકીને નાસી છૂટ્યા, બે- જોટાળી બંદૂક રાખતા હોવા છતાં!” એમ કહીને આ લોકોને બહારવટિયાનો મરણાંત સુધીનો સામનો કરવાપડકાર્યા હતા.

એટલે આજે જો હું પોતેજ પાછો ફરું તો! તો લોકો શું કહેશે! એ પાટીદાર શું કહેશે! બારડોલીની બે મહિના પછી આવનારી લડતની વાતોકોણ સમજશે! એ ઝપાટાબંધ આવેલ બે વિચારોનો નિકાલ પણ એક સપાટે આણી મૂકી એણે કહ્યું “પૂંજા, તું છો ના આવે, પણ મનેબતાવ, ક્યાં છે એ લોકો?”

ઘડીભરની ચૂપકીદી. પૂંજાના કોઠામાં એક મોટો નિ:શ્વાસ પડ્યો, તે મુસાફરને સંભળાયો. અને પછી પૂંજો ફક્ત એટલું જ બોલી શક્યો, “ત્યારે શું તમે નક્કી ત્યાં જવાના !”

“હા, પૂંજા; કહે મને – ક્યાં છે એ લોકો ?”

“જુઓ, આ બાજુના જ ખેતરમાં પડ્યા છે.” પૂંજાએ ઉગમણી દિશાએ ઊંચી જમીન પરનું ખેતર ચીંધાડીને લાચાર અવાજે ઉમેર્યું: “પણજોજો હો, બાપજી ! આ મેં તમને કહ્યાની વાત કોઇને કહેશો નહીં. નહીં તો બહારવટિયા જાણશે તો એવા એ મને પીંજી નાખશે ને પોલીસજાણશે તો એવા એ મારું લોહી પીશે.”

“વારુ; જા તું તારે.”

અંધારામાં પૂંજો જાણે ઓગળી ગયો, અને મુસાફર એ કેડાની ઊંડી નાળ્યમાં આગળ વધ્યો. થોડે છેટે જતાં એણે નાળ્યને કાંઠે એકખેતરમાં ઝાંપલીની પાછળથી એક પડછંદ આદમી ચૂપચાપ ઊભો થયો. હાથમાં બંદૂક હતી. તારોડિયાને અજવાળે સ્પષ્ટ વરતાયો.

ખડ ખડ ખડ ખડ ખડ, મુસાફર આ બંકિયાને જોતાંની વાર ખડખડાટ હસી પડ્યો, અને એણે પૂછ્યું: “કેમ? તમે એકલા કેમ છો? બીજાબધા કંઇ (sui) &?"

આ ખડ-ખડ હાસ્ય અને તેની પછી તરત આવેલો આ વિચિત્ર પ્રશ્ન એ બંદૂકદારને હેબતાવવા બસ હતો. જવાબ એણે વાળ્યો નહીં, એટલે મુસાફરે ઝાંપલી ખોલીને અંદર જઇ ખેતરમાં ચાલવા માંડ્યુંબંદૂકદાર ચૂપચાપ એની પાછળ ચાલ્યો

થોડે છેટે ગયો હશે ત્યાં તો મુસાફરે બીજા બે બંદૂકદારોને પોતાની સામે ખડા થયેલા દીઠા. તેઓ પણ મૂંગા હતા

“તમે બેજ કેમ? બીજાઓ ક્યાં છે?” મુસાફરના મોંમાંથી આપોઆપ એ નો એ જ સવાલ સરી પડ્યો. જવાબ કોઇએ વાળ્યો નહીં. પાછોમુસાફર આગળ વધ્યો. એટલે એ બન્નેમાંથી અક્કેક બંદૂકદારે મુસાફરની ડાબી ને જમણી બાજુએ ચાલવા માંડ્યું. ત્રીજો બંદૂકદાર તોએની પાછળ જ ચાલતો હતો. એવામાં એકાએક સામેથી અવાજ છૂટ્યો

“ખબરદાર ! ત્યાં જ ઊભો રે'જે; નીકર ઠાર થશે.”

તરત મુસાફર થંભી ગયો. બોલનારને એણે થોડે દૂર દીઠો - ઘોડે બેઠેલો.

“કુણ સે તું?” ઘોડાની પીઠ પરથી સવાલ આવ્યો.

“બહારવટિયો છું.” મુસાફરે જવાબ વાળ્યો.

“અંઇ ચ્યમ આયો સે ?”

“થોડીક વાતો કરવા. તમારા સર્વ જણને મળી લેવા. ક્યાં છે એ બધા” જવાબમાં ઘોડેસવાર કંઇ બોલ્યો નહીં. પણ આઠ-દસ નવામાણસો આવીને સામે ખડા થઇ ગયા. થોડી વારની ચૂપકીદી પછી મુસાફરે કહ્યું :

“છેટે કેમ ઊભા છો ? પાસે આવો, બેસો.”

આજ્ઞાનું પાલન થતું હોય તેમ એ આઠ-દસ જણા મુસાફરની સામે ભોંય

પર બેસી ગયા.

ફરી પાછો દૂરથી ઘોડેસવારે પ્રશ્ન કર્યો : “કુણ સે તું?”

“કહ્યું નહીં કે હું બહારવટિયો છું !”

“કોની ટોરીનો ?”

“ગાંધી મહાત્માની ટોળીનો.”

સામે કોઇ પ્રશ્ન આવ્યો નહીં. ટોળીવાળાનું નામ સાંભળતાં ડાકુઓ મૂંગા બન્યાઅને મુસાફરની જીભ એની મેળે જ આગળ ચાલી : “હુંગાંધી મહાત્માની ટોળીનો છું. ને તમને સાચા બહારવટાની રીત શીખવવા આવ્યો છું. કહેવા આવ્યો છું કે એમણે અંગ્રેજ સરકારની સામેબહારવટું માંડ્યું છે. આપણાં બધાં દુ:ખોનું મૂળ આ પરદેશી સરકાર છે. સાચું બહારવટું એમની સામે કરવાનું છે. તમારાં નાનાંબહારવટાંથી કશો દા'ડો વળે તેમ નથી. આજથી બે મહિને બારડોલીમાં સરકાર ગોળીઓ ચલાવશે. તમારે સાચું બહારવટું કરવું હોય તોચાલો ગાંધી મહાત્મા કને.” મુસાફર બોલી રહ્યો ત્યાં સુધી બારમાંથી કોઇએ શબ્દ સરખો યે ઉચ્ચાર્યો નહીં. પછી ઘોડેસવારે પ્રશ્ન મૂક્યો :

“ગાંધી માન્ધ્યાએ લોકોનું શું સારું કર્યું છે ?”

બ્જોયું નહીં અમદાવાદમાં? મુસાફરને હોઠે એક એવી હકીકત હાજર થઇ કે જે ડાકુઓ સમજી શકે, “મિલના શેઠિયા મજૂરોની રોજીવધારતા નહોતા. તે માટે ગાંધી માત્મ્યાએ લાંઘણો ખેંચી; અંતે વધારો અપાવ્યું જ રહ્યા.”

આ વખતે સામે ભોંય પર બેઠેલાની ચૂપકીદી તૂટી, અને તે માંહેલા એકે સામો પ્રશ્ન પૂછ્યો, “એમાં ગાંધી માન્ધ્યાએ લોકોનું શું ભલું કર્યું? વિશેષ બૂરું કર્યું. શેઠિયા તો કાપડ પર એટલા ભાવ ચડાવશે; આપણને કાપડ વિશેષ મોંઘું મળશે.”

ઘડીભર તો મુસાફર ગમ ખાઇ ગયો. ડાકુના મોંમાંથી અણકલ્પી ચોટદાર દલીલ આવી હતી. પછી લોકસમૂહની આંતરવેદના સમજનારામુસાફરની જીભે જવાબ આવ્યો, “શેઠિયાના હાથમાં ન પડવું પડે તે માટે તો ગાંધી માત્માએ રેંટિયો બતાવ્યો છે. છો ને શેઠિયા કાપડ મોંઘુંકરે. આપણે રેંટિયે કાંતીને પહેરી શકીએ.”

“નહીં રે નહીં, મહારાજ !” ટોળીમાંનો બીજો એક બોલ્યો (‘મહારાજ એવો શબ્દ ઉચ્ચારતાં તો મુસાફરે જાણી લીધું કે પોતે ઓળખાયેલછે) “નહીં, મહારાજ! એમ શું લોકો ગાંધી માત્મ્યાનો રેંટિયો કાંતવાના? - એ તો કાંતશે અમારી બંદૂકો દેખશે ત્યારે!”

“તમે ચાલો ગાંધી માઢ્યા કને. હું તમને તેડી જવા આવ્યો છું. એ તમને બધી વાત સમજાવશેચાલો, તમને મારામાં વિશ્વાસ ન હોય, તોતમારામાંથી એક જણ ચાલો. જો હું દગો રમું, તો તમે બાકી રહેલા મારા પર વેર લેજો.”

“ગાંધી માત્મ્યા આપણા મલકમાં આવે ત્યારે વાત, મહારાજ ! ત્યારે અમે મળીશું, હમણાં નહીં.” ઘોડેસવારે જવાબ દીધો, “અમે ક્યાંગરીબોને પીડીએ છીએ? તમે જ બતાવો : પૈસાવાળા અથવા ગરીબોને પીડનારા સિવાયના કોઇને પણ અમે માર્યો-લૂંટ્યો છે?”

“તમને શી ખબર ?” મુસાફરે કહ્યું, “તમારા આવવાન ખબર થાય કે તમામ લોકો ફફડી ઊઠે છે, નાસે છે, છુપાય છે; ખેડધંધો કરીશકતા નથી. અને તેમને સરકારી પોલીસ રંજાડે છે, એ તો જુદું, તમારા ત્રાસની તમને ખબર નથી.”

“પેટ માટે કરવું જ પડે તો !” એક ડાકુએ કહ્યું

“પેટ માટે? પેટ તો તમારું પ્રત્યેક મહિને પોણો મણ દાણો માગે છે. પણ તમારે હજારોની લૂંટો કરવી પડે છે, કારણ કે તમારે તમારાઆશરાવાળાઓને દેવું પડે છે; સિપાઇઓને પણ દેતા હશો. તમારે ફક્ત પેટ ભરીને બેસવું પાલવે નહીં.”

ડાકુઓ પાસે આનો જવાબ નહોતો. તેઓ મૂંગા રહ્યા. થોડી વાર રહીને એક આદમીએ મુસાફરને પૂછ્યું (અવાજ પરથી એ જુવાન જણાતોહતો) “સીસાપેનનો કકડો હશે તમારી કને ?”

“હા.”

“કાગર?”

“છે.”

“તો આલશો ? તમારા ગામના બામણ સોમા માથુર પર અમારે ચિઠ્ઠી લખવી છે.”

“શું?”

“ કે રૂપિયા પાંચસે પોગાડી જાય; નહીંતર ઠાર માર્યો જાણે. એ ચિઠ્ઠી સોમા

માથુરને આલી આવજો.”

અત્યાર સુધીના વાર્તાલાપમાં એકધારો મીઠો અને સુરીલો, કોઇ કુલીન વહુઆરુના કંઠ સમો ધીરો ચાલ્યો આવતો મુસાફરનો અવાજ આવખતે સહેજ ઊંચો થયો. એણે કહ્યું, “એવી ચિઠ્ઠીઓ લખવાને માટે મારાં સીસાપેન - કાગળ નથી; અને એવી ચિઠ્ઠીઓ પહોંચાડવા માટેહું આવ્યો નથી. હું તો મારા ગામ જઇને ગામલોકોને તૈયાર કરવાનો કે, ખબરદાર બનો. બહારવટિયાઓ આવે છે, તેમની સામે આપણેલડવાનું છે. તેઓ ગામ પર હાથ નાખે તે પૂર્વે આપણે મરવાનું છે.”

“માર હારા ભાન વન્યાના !” બીજાઓ પેલાને એકી સાથે ઠપકો આપી ઊઠ્યા, “મૂંગો મરી રે'ને, મહારાજને તે આવું કહેવાતું હશે! હારોમૂર્ષો નઇ તો”પછી એક જણે મુસાફર તરફ ફરીને કહ્યું, “એ તો હારો હેવાન છે. મનમાં કંઇ લાવશો ના, હો મહારાજ ! અને તમે હવે જવુંહોય તો જાઓ, મહારાજ.

14
લેખ
માણસાઈ ના દીવા
0.0
આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨] આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨] "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨] આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.
1

લેખકનાં નિવેદનોમાંથી

6 October 2023
0
0
0

લેખકનાં નિવેદનોમાંથી મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમૂ નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીન

2

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023
0
0
0

હું આવ્યો છું બહારવટું શીખવવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ

3

હાજરી

7 October 2023
0
0
0

હાજરી રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસ

4

હરાયું ઢોર

7 October 2023
0
0
0

હરાયું ઢોર મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડ

5

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023
1
0
0

કોણ ચોર! કોણ શાહુકાર ! “મહારાજ !” “હો ” “કશું જાણ્યું ?” “શું?” “કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ ગાંધી ! એ નાના ગાંધી

6

શનિયાનો છોકરો

7 October 2023
0
0
0

શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલ

7

જી’બા

8 October 2023
1
0
0

જી’બા જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળ

8

બાબર દેવા

8 October 2023
0
0
0

બાબર દેવા એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જ

9

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023
0
0
0

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :

10

મહારાજ - વાણી

8 October 2023
0
0
0

મહારાજ - વાણી [રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક] માધીનો છોકરો અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાં

11

પગારવધારો

8 October 2023
0
0
0

પગારવધારો એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે, “પેટનું પૂરું ન થતું હોય,

12

હોકો પીએ એટલામાં !

8 October 2023
0
0
0

હોકો પીએ એટલામાં ! 1930ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઇઓ મળવા આવેલા. ધરાઇને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક

13

બળતા દવમાંથી બચવા

8 October 2023
0
0
0

બળતા દવમાંથી બચવા રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃ

14

તો લગ્ન કેમ કર્યું?

8 October 2023
1
0
0

- તો લગ્ન કેમ કર્યું? ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી.

---

એક પુસ્તક વાંચો