shabd-logo

શનિયાનો છોકરો

7 October 2023

2 જોયું 2

શનિયાનો છોકરો

મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલો નાનો બાળક ગાભા પર પડ્યોછે કોઇ એની કને આવી શકતું નથી, બદબો અસહ્ય બની ગઇ છે.

“શનિયા !” મહારાજે છોકરાના બાપને કહ્યું, “હીંડ, આને આણંદ દવાખાને લઇ જઇએ.”

“હું ચ્યમ કરીને હીંડું, બાપજી ?”

“ચ્યમ વળી શું?” “ઘરમાં ખાટલો માંદો છે, મહારાજ !” (એટલે કે વહુને સુવાવડ આવેલ છે.) અર્થ એ થયો કે શનિયો એકલોબીજાં છોકરાંને અને બૈરીને બચાવવા માટે મજૂરી કર્યા કરે અને આ છોકરાંનું રોગે ગંધાઇ ગયેલ હાડપિંજર ધીરે ધીરે ખતમ થઇછેલ્લા શ્વાસ છોડી દે, એટલે છુટકારો થાય.

“વારુ” મહારાજે કહ્યું” તને દાણા અલાવી દઉં તો તું આવે?”

“તો આવું.” અધમણ ભાત ખરીદીને મહારાજે શનિયાના ઘરમાં નખાવ્યા અને પછી છોકરાના રસી-વહેતા શરીરને ઝોળીમાંઉપાડી મહારાજે ટ્રેનના એક ડબ્બામાં ચડાવ્યું. બીજા મુસાફરો ત્યાંથી ખસી ગયાં. બદબો જીવતી નરકનો ખ્યાલ કરાવતી હતી. ચાલતી ગાડીએ છોકરાને માખીઓ ઉડાડતા મહારાજ એકલા જ સંભાળે છે; બાપનું ધ્યાન દીકરામાં નથી. રાસ ગામને પાધરે જરેલવે દોડે છે, સ્ટેશન છે, પણ અવતાર ધરીને શનિયો કોઇ દિન આગગાડીમાં બેઠો નથી. આજે એને પહેલો જ પ્રસંગ છે. એનોઆનંદ ઉછાળા મારે છે. બારીમાંથી એ ઝાડવાંને પાછી દોટ કઢતાં જોઇ નાના બાળક જેવો બની દાંત કાઢી રહ્યો છે. એક વાર તોમહારાજે “અલ્યા શનિયા, તું આને માખો ઉડાડ!” એમ કહી ઠપકો પણ આપ્યો. પણ શનિયો તે વેળા બાપ નહોતો, કુટુંબની રોટીરળનાર નહોતો: બાળક બની ગયોહતો. પહેલે ને પ્રથમ વાર એણે જીવનના રોજિંદા, એકસૂરીલા, નિષ્પ્રાણ સંગ્રામ વચ્ચે એક રોમાંચ અનુભવ્યો હતો.

આણંદ ઊતર્યા. છોકરાને ઉપાડ્યો: ઝોળીના આગલા બે છેડા શનિયા પાસે ઉપડાવ્યા. પાછલા મહારાજે ઉપાડ્યા. શનિયો ભારઊંચકી શકતો નહોતો. મહારાજે એને કાળજીથી ઊંચકવા કહ્યું. શનિયાએ જવાબ વાળ્યો :

“આ મૂઆનામાં ભાર બૌ છે તો !”

શનિયાના મોંમાંથી ટપકેલો આ વીશેક વર્ષ પૂર્વેનો બોલ આજે મહારાજની છાતીએ ચોંટી રહ્યો છે. ગંધાઇ ગયેલું નાના બાળકનુંહાડપિંજર—એમાં તો શો ભાર હોય ! સાચી વાત એ હતી કે શનિયા ખેડુના શરીરમાં કંઇ પોષણ નહોતું. ‘મૂઆનામાં ભાર બૌ છેતો !' પકડાવ્યું. - એ વાક્ય મહારાજને મૌન

આણંદની ઇસ્પિતાલે કહેવામાં આવ્યું કે રોજનો રૂપિયો પડશે; એટલે મહારાજે છોકરાને પાછો ઝોળીમાં ઉપાડી સ્ટેશન ભેળોકર્યો. બેઠા બેઠા પોતે પછેડી વતી માખીઓ ઉડાડી રહ્યા છે, શનિયો બાજુમાં કશી સમજણ વગર ચૂપચાપ બેઠો છે. એવામાંગાડી આવી. મહારાજે ઝોળી ઉપાડીને ગાડીમાં નાખી.

શનિયાનો છોકરામાં કશો રસ રહ્યો નહોતો. એ તો સાથે જતો હતો, કારણ કે મહારાજને ના કહી શકાય નહીં. તે ગાડીની બારીમાંથી ઝાડવાંની દોટાદોટના જલસા ચોરીછૂપીથી જોતો રહ્યો; દીકરાને માખીઓઉડાડવાનો કંઇક કંઇક દેખાવ કરતો ગયો. ગાડીનો વેગ એને ગમ્મત આપતો હતો - અંદર મૃત:પ્રાય પુત્ર ભલેને પડ્યો ! રેલનાંપૈડાં પર વિહરવાની મોજ પણ વિરલ હતી. નિત્યનું નિશ્ચેતન જીવન જાણે કે ઝંઝાવાત પર ઘોડેસવારી કરી રહ્યું છે. શનિયો મનમાંમનમાં થનગને છે.

વડોદરાની મોટી ઇસ્પિતાલે છોકરાને તપાસીને દાકતરે મહારાજને કહ્યું: “આજની એક રાત કાઢે તો જ ઉગાર છે. જો કે કાઢવાસંભવ નથી: ઝેર લોહીમાં પ્રસરી ગયું છે.” શનિયાને તો કશી જ ખબર નહોતી ખબરની દરકાર પણ નહોતી. એને કંઇગમ-સમજણ નહોતી. એને તો કોઇ કોઇ વાર ‘ઘેર માંદો ખાટલો' (સુવાવડી બૈરી) અને અધમણ ભાત પર છોડેલાં છોકરાં યાદઆવતાં.

છોકરાએ રાત ખેંચી કાઢી. દાકતર કહે: “હવે ભો નથી.” એટલે મહારાજે કહ્યું: “શનિયા ! તું-તારે હવે જા. તારે ખેડકામ ખોટીથાય છે.જા; હું અહીં છુંછોકરાને લઇને આવીશ.”


શનિયો ઊભો થયો. મહારાજ એને રેલમાં બેસારવા સાથે ચાલ્યા. એ તો છોકરાને કશું કહ્યા વિના એની સામું પણ સરખી રીતેજોયા વિના,

દવાખાનાની ઓરડીમાં બહાર નીકળ્યા મંડ્યો. પણ બારણાની બહાર જઇને એકાએક એ ઊભો રહ્યો.. પાછો ફરીને છોકરાનાખાટલા સામે જોઇ રહ્યો.

”કેમ,’લ્યા!” મહારાજે પૂછ્યું:”કેમ ઊભો ?”

શનિયો લજ્જા પામતો પામતો હસ્યો, અને પછી માંડમાંડ બોલ્યો, “જતાં દિલે થતું નથી.”

“શાથી,’લ્યા ?”

“આ છોકરો છે ના, દાદા, તે એવો એ મારાં સરવે છોકરાંથી વધુ ડાહ્યો છે.”

“શાથી ?”

“એ તો એમ, દાદા, કે ઘરમાં જે દાડે દાણા નો’ય તે દા'ડે બાકીનાં બધાં છોકરાં રડારોળ કરી મૂકે; પણ આવો આ ભૂખ્યો નેભૂખ્યો છાનોમનો પડ્યો રહે - ચૂં કે ચાં ન કરી, હો દાદા! ખાવા ન હોય ત્યારે રડે-કરે નહીં. તેથી કરીને આવો આ મને વધુ ડાહ્યોલગે છે. તેથી કરીને જતાંજીવ મૂઓ ચાલતો નથી !”

એટલું કહીને ફરી વાર મોં મલકાવીને લજવાતો શનિયો ઊભો થઇ રહ્યો.પણ પછી પોતે કંઇક અનુચિત બાબત કહી નાખી હોયએમ માનીને સ્ટેશન ભણી વળ્યો. વીસેક દિવસે છોકરાને સાજોનરવો લઇને મહારાજ પાછા વળ્યા. રસ્તામાં એણે કહ્યું, “અલ્યા, તું મારી જોડે રહીશ? હું તને પેટ

ભરીને ખવરાવીશ-પિવરાવીશ, ભણાવીશ.”

છોકરાએ હા પાડી.
ગામની બજાર આવી, એટલે છોકરો મહારાજ કનેથી દોટ કાઢીને બાપાને બાઝી પડ્યો. ને ઘેર ચાલ્યો ગયો. એને પેટ ભરીનેખાવા-પીવા ને ભણવા કરતાં ગરીબ બાપને ઘેર અન્ન ન હોય તે દિવસે ‘ડાહ્યો’ બની રહેવાનું, ખાવાનો કજિયો ન કરવાનું, વિશેષપસંદ પડ્યું હશે.

મહારાજ કહે, “શનિયા, તારો છોકરો તું મને આલી દે ને ! હું એની સાર- સંભાળ રાખીશ.”

“એવો એ નહીં આવે, દાદા !... એ કરતાં એને કોઇક પાટીદારને ત્યાં ચાકરીએ રાખી દો ને ! એ રળતો થઇ જશે.” કંગાલિયતનીએ કથા મહારાજને પચાવવી પડી

14
લેખ
માણસાઈ ના દીવા
0.0
આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨] આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨] "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨] આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.
1

લેખકનાં નિવેદનોમાંથી

6 October 2023
0
0
0

લેખકનાં નિવેદનોમાંથી મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમૂ નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીન

2

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023
0
0
0

હું આવ્યો છું બહારવટું શીખવવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ

3

હાજરી

7 October 2023
0
0
0

હાજરી રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસ

4

હરાયું ઢોર

7 October 2023
0
0
0

હરાયું ઢોર મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડ

5

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023
1
0
0

કોણ ચોર! કોણ શાહુકાર ! “મહારાજ !” “હો ” “કશું જાણ્યું ?” “શું?” “કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ ગાંધી ! એ નાના ગાંધી

6

શનિયાનો છોકરો

7 October 2023
0
0
0

શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલ

7

જી’બા

8 October 2023
1
0
0

જી’બા જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળ

8

બાબર દેવા

8 October 2023
0
0
0

બાબર દેવા એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જ

9

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023
0
0
0

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :

10

મહારાજ - વાણી

8 October 2023
0
0
0

મહારાજ - વાણી [રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક] માધીનો છોકરો અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાં

11

પગારવધારો

8 October 2023
0
0
0

પગારવધારો એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે, “પેટનું પૂરું ન થતું હોય,

12

હોકો પીએ એટલામાં !

8 October 2023
0
0
0

હોકો પીએ એટલામાં ! 1930ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઇઓ મળવા આવેલા. ધરાઇને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક

13

બળતા દવમાંથી બચવા

8 October 2023
0
0
0

બળતા દવમાંથી બચવા રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃ

14

તો લગ્ન કેમ કર્યું?

8 October 2023
1
0
0

- તો લગ્ન કેમ કર્યું? ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી.

---

એક પુસ્તક વાંચો