shabd-logo

જી’બા

8 October 2023

2 જોયું 2

જી’બા


જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળી કઢતી હતી; તો પછીમાથુર પણ શું પોતાને નહીં પારખી કાઢતો હોય ?


જીવી તો પાછી ઝટ પરખાય તેવી હતી: ગોરી, કદાવર અને નમણી: મહી માતાનું જ ભરપૂર પ્રવાહી રૂપ. મહી નદીથી જીવીનુંમહિયર વટાદરા જોકે ત્રણેક ગાઉ છેટું હતું: તો પણ જીવી કાંઠાની જ કહેવાયને ! કાંઠાની તો ખરી, પણ પાછી પાટણવાડિયાનીપુત્રી, પાટણવાડિયો એટલે તો ઠાકરડામાં પણ સૌથી મજબૂત કોમ. બેશક, પાટણવાડિયા કહેવાય તો પરદેશી ! કાંઠાનાબારૈયાઓ એને પોતાનાથી ઊતરતા ગણે. જીવી, એ રીતે, ઊતરતી જાતમાં જન્મેલી ગણાય.


ત્રણ વર્ષની હતી તે દિવસે જીવીને મથુર જોડે પરણાવેલી.... સોળ- સત્તરની થઇ છ, તો પણ જીવી વટાદરામાં, બાપને જ ઘેર રહેછે. સામે જ સાસર-ગામ બનેજડાનાં ખોરડાં વરતાય છે, અને બેઉ ગામના સીમાડા અડકીને ઊભેલ છે. એ બાજુથી જીવી સીમમાંકામે આવે છે, તો પણ જીવી સાસરે જતી નથી.


“તેં જીવી !”


ભારો બાંધતી જીવીએ ચમકીને ઊંચું જોયું; બોલનારને ઓળખીને કહ્યું: “આવો, લખા પટેલ !” આવકારો તો આપ્યો, પણ જીવીચોમેર ચકળવકળ જોવા લાગી : સુભાગ્યે સીમનાં લોકો છેટેરાં હતાં.


“જીવી !” લખા પટેલ નામે ઓળખાતા સામા ગામ બનેજડાના પાટીદાર યુવાન લક્ષ્મીદાસે કંઇક દીન અને નમ્ર અવાજે પૂછ્યું, “તુંમ સાસરે આવતી નથી ?”


જરી વાર તો જીવી અકળાઇ પડીલખો પટેલ પણ મૂંઝાતો હતો પણ


એણે હામ ભીડીને કહ્યું : “મને પૂછવા જ ખાસ મોકલ્યો છે.”


“કુંણે—તમારા ભાઇબંધે ? ”


સામો પ્રશ્ન કરતાં કરતાં જીવીનું મોં કાનના મૂળ સુધી લાલચોળ થઇ ગયું. લખા પટેલે ડોકી હલાવીને હા પાડી, અને બનેજડાનીસામી સીમ તરફ દૃષ્ટિ ચીંધાડી. મથુર ત્યાં નીચો વળીને દાતરડી ચલાવી રહેલો દેખાયો. આ બાજુ જોતો નહોતો - જાણીબૂઝીને જકદાચ.


“મૂવું” જીવી જવાબ ગળી ગઇ, “નથી આવવું... ” કહેતી જીવી ઘાસના ,, ભારા ઉપર પગ મૂકીને આ સંકડામણ ભરી સ્થિતિનેટાળવા મથતી હતી.


“પણ કારણ તો કંઇ કહીશ ને, જીવી ? તારાં માવતર ના પાડે છે ?”


“લો, જુઓ તો ! માવતર કેવા સારુ ના પાડે, લખા પટેલ ! એ બાપડાં તો રોજ ‘જા-જા’ કરે છે.”


“તો શું તારે નથી આવવું? કારણ તો કહીશ ને?... મથુરનાં માવતર ગમતાં નથી ?”


“એ શા સારુ ના ગમે ?” જીવીએ ઊડ ઊડ થતું ઓઢણું મોંમાં દાંત વચ્ચે પકડ્યું.


“તોશું મારો ભાઇ બંધ નથી ગમતો ?”


“એવું તે કાંઇ હોય?”


“તો શું કારણ છે?”


“હેં લખા પટેલ!” જીવીએ કાંઇક હિંમતમાં આવીને કહ્યું “તમારા ભાઇબંધને બીજે પરણાવી આલો ને!”


“એ તો એનાં માબાપે બહુ બહુ મનાવ્યો, પણ એવો એ જ ના કહે છે તો! નીકર તો પાંચ વાર ના પરણાવ્યો હોય આજ લગીમાં!”


“શા સારુ ન પાડે છે?”


“દે જાણે ! કહે છે કે,જીવી વન્યા કોઇને ન પરણું.”


“તો શું જન્મારો કાઢશે?”


“કાઢેય ખરો!... એ તો ઠીક, પણ તારાં માવતર ચ્યમ લખણું કરાવી લઇને

તને બીજે નથી દઇ દેતાં”


“જાવ ને, મારા ભાઇ!” જીવી બહુ શરમાઇ ગઇ.”એ તો ઘણું કહે; પણ મારે કંઇ બીજે જવું નથી!”


“પછી તારું પેટ તો કંઇક દે, જીવી! તને શો વાંધો છે? તું જેમ કહે તેમ એવો એ કરી આપવા તૈયાર છે. તું ફક્ત તારા દલની વાતકરી દે.”


“બીજું તો, બળ્યું,કશુંય નથી, લખા પટેલ; પણ –”


“પણ શું?”


“એ ચોરીઓ કરે—”“ચોરીઓ ! પાટણવાડિયા તો ચોરીઓ કરે; એમાં તને શો વાંધો ? ચોરીઓ ના કરે તો ખાય શું!”


વાત સાચી હતી કે મહીકાંઠો એ તો ચોરિયાટાં ગામડાંથી જ વસેલો હતો. ઠાકરડાનાં ગામો ચોરી માટે ભયંકર નામ કાઢી બેઠાંહતાં. એમાં પણ પાટણવાડિયો તો શિરટોચ ગણાય. પાટણવાડિયાના ઘેર કોઇ માણસ મહેમાન પણ ન થાય.ચોરીની ન તો એનેએબ હોય, કે ન બીક હોય. સ્ત્રી કહે ને પુરુષ ચોરે; મરદ ચોરી લાવે ને ઓરત સંતાડે ચોરી એમનો ધંધો કહો તો ધંધો, ને કસબકહો તો કસબ.


સારી વાર વિચાર કરીને જીવીએ સ્પષ્ટતા કરી: “મારાથી એ કેમ જોવાય?


એ પકડાય, પોલીસ અમારે ઘેર આવે, લબાચા ગૂંથે, એને બાંધીને મારતા મારતા લઇ જાય... એવું એ મારાથી ના જોવાય - મારેનથી આવવું સાસરે.” ચોરી કરવી એ પાપ કે અનીતિ છે એવી કંઇ પાટણવાડિયાની પુત્રી જીવીને ખબર નહોતી. પાપ અનેપુણ્યના ભેદ એનાથી અળગા ને અજાણ્ય હતા. ચોરીમાં પાવરધા પુરુષની તો પાટણવાડિયા કોમમાં ઊંચી આબરૂ ગણાય છે, તેની પણ એને જાણ હતી. ચોરીનો કરનારો તો ભડવીર ગણાય ! પણ જીવી આટલું જ જોવા તૈયાર નહોતી. મથુર ચોરી કરે, એચોરી પક્ડાય, પોલીસ એને ઘેર આવે, ઝડતી લે, મધરાતે ઝાલી મુશ્કેટાટ બાંધે, અને મારતા મારતા લઇ જાય... એ જીવીથી જોયુંજાય નહીં.


મથુરનો ભાઇબંધ લખો પટેલ પાછો ગયો, અને વળતા દિવસે પાછો સીમે આવી જીવીને એકલીને મળ્યો કહ્યું કે “જીવી ! મથુરચોરી ના કરવા


કબૂલ થાય છે: પછી તો આવીશ ને તું?”


“ના, ઇમના બાપના ઘરમાં તો નંઇ !”


“ચ્યમ વાર ?”


“એના કાકા વગેરે જાણીતા છે: ચોરી કર્યા વન્યા રે’ નંઇ ! ચોરિયાટો માલ સંઘરે, ઘેર સિપાઇ આવે, ઇમને એ મારે, બાંધે, ઘરગૂંથે... મારાથી એ ના જોવાય.”


“ત્યારે ”


“એ જુદા રહે.”


“સારું, જુદો રહેશે.”


“ના, એમ નંઇ: એ પાટણવાડિયાના વાસમાંથી જ બેંકરીને કોઇક પાટીદાર


અથવા વાણિયા-બામણના પાડોશમાં ઘર લે.”


“કબૂલ છે, જીવી ! હું મારી પાડોશમાં જ મથુરને ઘર અલાવું.”


“તો અલાવો, હું પરભારી એ નવે ઘેર જ આવું: નહીં તો ના આવું. કે'જો

એમને કે બાપાના ઘેરથી કશુંય ના લાવે, બધું જ હું લાવીશ.”


પછી એક દિવસ બાપાના ગાડામાં બેસીને જીવી બનેજડામાં આવી. બારોબાર એ પાટીદાર-લત્તાવાળે ભાડાને પતિ-ઘેર આવીઊતરી પડી. એ ગાડાને કાઠે એક ભેંશ બાંધી હતી, તે છોડીને ફળીમાં બાંધી. બાપે જોડે બંધાવેલ આઠ મણ દાણા ગાડામાંથીઉતારીને ઘરના એક ખૂણામાં મૂકી દીધા. એ દાણા પોતે ખાધામાં વાપર્યા નહીં. વળતા જ દિવસની વહેલી પરોઢથી.... “ઊઠો, સીમની વેરા થઇ ગઇ...” એવો ટહુકો કરતી મથુરને પથારી છોડાવતી, વહેલી જાગીને પોતે કરેલા રોટલા લઇ મથુરની જોડે જીવીસીમમાં જાય, બેઉ જણાં મજૂરી કરે; બપોરે મથુરને ભાવથી ભાત ખવરાવેને પોતે ખાય; પાછાં કામ ખેંચે; સાંજે પતિને સાથે જ લઇઘેર પાછી ફરે... ઘડી પણ ગીલો ન મૂકે. ઘેર આવી, પાણી ગરમ કરી મથુરના પગ ઝારે, જમાડે અને પથારીમાં બેસારી “સુવોતમ-તારે નિરાંતે...” એમ કહેતી જીવી ગામમાં જાય, વળતા દહાડાની સાંથ (ખેતરની મજૂરી) શોધી લાવે - પણ વર વહુની બંનેનીજોડે મજૂરી જ્યાં મળે ત્યાં જ જવાનું: જુદાં તો પડવાનું જ નહીં. ખેતરની મજૂરી કરતાં કરતાં બાપે આપેલ ભેંસનું વલોણું કરે, અનેએનું ઘી વેચી નાણાં કમાય.


પણ મથુરને તો મા બાળકની જેમ લગીરે રેઢો ન મેલે: રખે મથુર ચોરીમાં મન ખેંચાડી બેસે ! ચોરી પકડાય ! ઘેર પોલીસ આવે ! લબાચા ગૂંથે ! મથુરને મારઝૂડ કરે ! એ બધું શે દીઠું જાય મૂવું !


મોસમ પૂરી થઇ. સીમની મજૂરી બંધ પડી. હવે શું કરવું ! સાસરિયાનું કે પિયરિયાનું તો કંઇ સ્વીકારવું જ નથી, એક દાણાનો કણસુદ્ધાં ઘરમાં આણવો નથી. એ કણ ખાધેય ક્દાપિ બુદ્ધિમાં ચોરી પેસે તો શું થાય ? ઘેર પોલીસ આવે, ઘર ગૂંથાય, મથુરનેમારતા મારતા... જેઠ મહિનો આવ્યો. જીવીએ પોતાની પાસેની બચત ગણી જોઇ. એમાંથી એક જ બળદ લેવાય તેમ હતું. એક તોએક ! બળદ લીધો. અને પછી પોતે ગામમાં તપાસ કરી રાત્રીએ મથુરને જણાવ્યું, “… ખેડુ સાથે આપણે સૂંઢેલ કરી છે: એકબળદ એનો, ને એક આપણો; ગાડું એનું. અને આપણા તરફથી તમે પોતે; માંડો ખેતરની ખેડ કરવા.”

મથુર કંઇ બહુ વિચાર કરી શકે તેવો નહોતો. એને વિચાર કરવાની જરૂર પણ નહોતી રહી. પથારીમાં પડ્યો પડ્યો એ તમાકુ પીતોરહ્યો. મથુરે ને જીવીએ મળી એ મોસમમાં ખેતર ખેડી, વાવેતર કરી પોતાના હિસ્સાનો ઠીક ઠીક દાણો મેળવી લીધો. અને વિશેષજે બચત રહી તેમાંથી બીજો બળદ તેમ જ ગાડું પણ ઘરનું વસાવી દીધું


મોસમ ખલાસ થઇ. મથુર, બળદો અને ગાડું નવરાં પડ્યાં. પણ એ નવરાશ જીવીને તો ચટકા ભરવા લાગી. એની નજર ચોમેરફરી વળી, અને નવરાશ વેળાનું સરસ કામ સૂઝી ગયું. પેટલાદ ત્યાંથી સાત ગાઉ પણ મથુરને એકલો પેટલાદ મોકલવામાં કેવુંકજોખમ કહેવાય, એ


થાય. ગામનું હટાણું પેટલાદ રહ્યું, એટલે વેપારીઓનાં ભાડાં મળી શકે. જીવીએ વિચારી જોયું. મથુર પર આટલા દહાડા પછીઠીક ઠીક વિશ્વાસ બેઠો હતો. જીવીએ નક્કી કરેલ મર્યાદાને મથુરે મૂંગે મોંએ અને આનંદભેર પાળી બતાવી હતી.


જોઉં તો ખરી ! પારખું તો લઉં! એકલો મેલી તો જોવા દે, જીવ ! એમ પૂરી રાખ્યું શો દા'ડો વળશે! એને દાસ બનાવવામાં જીવતરક્યા રસથી જિવાશે?’વિચારીને જીવીએ તે જ રાતે ગામના એક વેપારીનું ભાડું બાંધ્યું,

અને આવીને મથુરને જાણ કરી. એ તો જીવી કહે તેમ કરવામાં ઊંડો આત્માનંદ અનુભવી રહ્યો હતો.


“પણ પેટલાદ જઇ કશું જ બજારુ ખાવાપીવાનું નહીં, હાં કે !” જીવીએ


શિખામણ ગાંઠે બંધાવી. અને રાત જાગી ઢેબરા તળ્યાં.


વહેલી પરોઢે જીવીએ મથુરને જગાડ્યો, રોટલા ખવરાવ્યા, ને ઢેબરાં કરી રાખેલ તેનું ભાતું ભેળું બંધાવ્યું“ને લો, આચલમ-સૂકાની પડતલી લેતા જાઓ ત્યાં કનેથી કશું જ ખરીદતા નહીં.”


કહી ફરી પાછી ગાંઠ વળાવી. પોતે જ બળદ જોતરી દીધા, ને મથુર ગાડે ચડી ચાલી નીકળ્યો ત્યારે પોતે ભાગોળ સુધી વળાવવાગઇ. ભલામણ કરી કે, “સાચવીને વેળાસર આવજો.” સાંજે પાછી પોતે ભાગોળે જઇને ઊભી રહી. ગાડું પેટલાદથી પાછું આવીપહોંચ્યું, અને મથુરને સાજો નરવો નિહાળી જીવીએ શ્વાસ હેઠો મૂક્યો.


“હવે તમે-તમારે જઇ પહોંચો ઘેર, ને ગરમ પાણી તૈયાર મેલ્યું છે તે નાહી લો. ત્યાં હું ગાડું લઇને આ આવી સમજો !”


એ રીતે મથુરને ઘેર મોક્લી, પોતે વેપારીની વખારમાં તમામ ભાર ઠાલવી, ગાડું હાંકીને પોતાને ફળિયે આવી; બળદોને બાંધી દઇ, ચાર નીરી અને નાહી ઊઠેલા મથુરને નિરાંતે જમાડી પથારીમાં ઊંઘાડી દીધો.


પેટલાદનાં ભાડાં તો જીવીને વારંવાર મળતાં થયાં. દરેક વેપારીને જીવીનું ગાડું ભાડે લઇ વું ગમતું હતું. ગાડું ભાડે મોકલવામાંજીવીએ જે ક્રમ પહેલી જ ખેપમાં ધારણ કર્યો હતો,તે જ ક્રમ વર્ષો સુધી ચાલુ રહ્યો: મથુરને વહેલો સુવાડવો, વહેલો જગાડવો, પેટપૂરણ જમાડવો, ભેળાં ઢેબરાં બંધાવવાં, ચલમનો સૂકો-ગડાકુ પણ સાથે આપવાં, ભાગોળ સુધી વળાવવા જવું... સાંજેભાગોળે જઇ વાટ જોવી. થાક્યા પતિને ઝટ ઘેર પહોંચાડી દઇ વેપારીને વખારે માલ પોતે જ ઉતારવો. અને પછી ખાલી ગાડું હાંકીઘેર લાવવું; બળદને બાંધી નીરણપૂળો કરવો; મથુરને ગરમ પાણીએ નવરાવવો, જમાડવો અને ચોખ્ખીફૂલ પથારીએ નિરાંતેઊંઘાડવો.


ચોરી, લૂંટો અને ખૂનોના બદલામાં કંઇક પાટણવડિયા અને પાટીદારો જાનથી ગયા હતા, જેલમાં ઓરાયા હતા, ધનોત-પનોત થઇગયા હતા; કંઇક પાટણવાડિયાઓને ઘેર રુદન અને અશ્રુધારા ચાલતી હતી. તે વખતે બનેજડા ગામમાં એક મથુરને આંગણેજીવીએ આઠ ભેંસો કરી હતી, અને ચરોતરની સોના સમી ત્રીસ વીઘાં જમીન વસાવી લીધી હતી. જીવીને ઉંબરે કદી પણ પીળોડગલો ડોકાયો નહોતો. જીવીના વર મથુરને કોઇ પોલીસે કદી બાંધ્યો, માર્યો કે થાણે ઉપાડ્યો નહોતો. જીવીનો મથુર રાતે ઊનેપાણીએ નાહી, રોટલા જમી, ચોખ્ખી પથારી પર બેઠો બેઠો મોજ કરતો હતો. અને જીવીએ મથુરને ચાર બાળકોની પ્રભુ—ભેટઆપી હતીજીવી આઘેડ થઇ ગઇ હતી. જીવીને ગામલોકો –પાટણવાડિયા, પાટીદારો તેમ જ લુહાણા; તમામ –જી બા’ કહીબોલાવતાં; અને તેઓ કહેતાં કે, “જી’બાને અમે દહાડે કદી ગામમાં દીઠાં નથી; દન ઊગ્યા પૂર્વેથીતે દન આથમ્યા લગી જી’બાસીમમાં હોય છે.”


***


એકવાર ગુજરાતમાં રેલ-સંકટ અવ્યું હતું. કાંઠાનાં ગામડામાં ઘરો પડી ગયાં હતાં. લોકોને ખાવા મૂઠી ધાન નહોતું. તે દિવસોમાંજીવીને આંગણે રવિશંકર મહારાજ આવી ઊભા રહ્યા. જીવી મહારાજને પગે લાગી. એ કહેવાતા હતા ‘વટાદરાવાળા મહારાજ' જીવીના મહિયરના ગામ વટાદરાને ‘મહારાજ’ પર અતિ પ્રીત હતી.


”અરે જી'બા ! ઘૂમટો ઢાંકીને પગે લાગી છેટે ઊભી રહેલ આધેડ વયની જીવીને રવિશંકર મહારાજે કહ્યું, “તું તો મારી બૂનકહેવાય. તું હજુય મારી લાજ કાઢીશ?”


“તમો તો, દાદા, માવતર છો,” જીવીએ કહ્યું, “પણ લાજ રાખી તે રાખી; હવે વળી જતે જનમારે ક્યાં છોડું !” કદાવર, ગોરી અનેઆઘેડ જીવી જ લજ્જા પાળતી, તે વડે એ મૂર્તિમંત મહી માતાનો ભાસ કરાવતી.


“જી’બા !” દાદાએ કહ્યું: “દાણા આલીશ ?”


“અરે મહારાજ, દાણા ક્યાં છે ? મારી કને તે કેટલાક હોય !”


એમ કહેતી જી’બાએ મહારાજને પુષ્કળ અનાજ ઘરમાંથી કાઢી આપી કટોકટીને ટાણે લોકોને બચાવવામાં મૂંગી મદદ કરી


***


એક દિવસ મથુરનો દેહ પડ્યો, જીવી પોતાના ભીતરમાં કેટલું રડી હશે, કેટ કેટલું સંભારીને આંસુડે ગળી હશે, તે તો કોઇને ખબરનથી. પણ આટલું જાણ્યું છે લોકોએ કે જીવીએ મથુર પાછળ કંઇક પુણ્ય કરવાની ઇચ્છા ધરાવી; અને, ઝાઝી કશી ગતાગમ નહોવાથી, એણે ગામલોકોને ભેળાં કરી સલાહ લીધી.


“જી બા!” ગામલોકોએ સાદો, પોતાને જાણીતો હતો તે, માર્ગ બતાવ્યો, “પરબડીમાં આલ્ય ને !” ગામનાં પંખીડાંની પરબડીપાછળ (ચકલાની ચણમાં) જી’બાએ પોતાની સૌથી સારી ચાર વીઘાં જમીન અર્પણ કરી. આજે એ જીવી - જી’બા - જીવે છે. પંચાવનેક વર્ષની વય છે. ગૌરવરણાં, રૂપાળાં, કદાવર અને લજ્જાળુ જી'બા હજુય મોટેરાઓની લાજ ઢાંકે છે.

14
લેખ
માણસાઈ ના દીવા
0.0
આ નવલકથા ગુજરાતના લોકસેવક રવિશંકર વ્યાસના કાર્યો અને તેમને મુખે સાંભળાયેલ વાતોનો સંચય છે. દસ્તાવેજી મુલ્ય જાળવવા વાર્તાની ભાષા રવિશંકર મહારાજના લઢણવાળી જ રાખવામાં આવી છે. ખેડા જિલ્લાના બારૈયા-પાટણવાડિયા કોમના બહારવટિયા લૂંટારુઓના જીવન પર આધારિત નવલિકાઓ આ પુસ્તકનો મુખ્ય વિષય છે.[૨] આ પુસ્તક નવલિકા સ્વરૂપે કુલ ૧૭ વાર્તાઓ ધરાવે છે. મહીકાંઠા વિસ્તારના ધારાળા, બારૈયા, પાટણવાડિયા વગેરે ગુનેગાર ગણાતી કોમોના જીવનમાં રહેલી માણસાઈની મહત્તાને આ વાર્તાઓમાં દર્શાવવામાં આવી છે. અમુક વાર્તાઓ આ પ્રમાણે છે "હું આવ્યો છું બહાવટું શીખવવા" - નામની કથામાં રવિશંકર મહારાજ આ લોકો વચ્ચે રહી તેમને ચોરી અને દારૂની લત છોડાવતા અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગાંધીજીની ઢબે બહારવટું શીખવવા મથે છે. "હાજરી" નામના પ્રકરણમાં અંગ્રેજ સરકારના શાસન હેઠળ આ લોકોને થાણામાં "હાજરી" નોંધાવી પડતી. રવિશંકર મહારાજ આ ધારો કઢાવવા મથે છે અને કઢાવીને જ જંપે છે. "મારાં સ્વજનો" નામની વાતમાં રવિશંકર એક નિર્દોષ માણસને ફાંસીએ ચઢતો બચાવે છે.[૨] "પાંચ દીવસની જંગમ વિદ્યાપીઠ" એ શીર્ષક હેઠળ, લેખકે રવિશંકર મહારાજ સાથે રહી ૫ દિવસ સુધી કરેલા પ્રવાસ અને પાત્રોની મુલાકાતોનું વર્ણન આ પુસ્તકમાં જુદા ખંડમાં કર્યું છે.[૨] આ પુસ્તકમાં આઝાદીના સમયના ચરોતર ક્ષેત્રના ગ્રામજીવનનું દર્શન થાય છે.
1

લેખકનાં નિવેદનોમાંથી

6 October 2023
0
0
0

લેખકનાં નિવેદનોમાંથી મહારાજ રવિશંકર ગુજરાતના અનન્ય લોકસેવક છે. હું લોકજીવન અને લોકહ્રદયનો નમૂ નિરીક્ષક છું. અમારો સમાગમ ફકત એકાદ વર્ષ પર થઇ શક્યો. ગયે વર્ષે એ સાબરમતી જેલમાં કેદી હતા, ને એમને માંદગીન

2

માણસાઈ ના દીવા (સંક્ષેપ) - ઝવેરચંદ મેઘાણી

7 October 2023
0
0
0

હું આવ્યો છું બહારવટું શીખવવા વાત્રક નદીનાં ચરાંને કાંઠે કાંઠે ચાલ્યો જતો એ રસ્તો આડે દિવસે પણ રાતનાં ગામતરાં માટે બીકાળો ગણાય. ડાહ્યું માણસ એ કેડેરાતવરત નીકળવાની મૂર્ખાઇ કરે નહીં. એક અંધારી રાતે એ

3

હાજરી

7 October 2023
0
0
0

હાજરી રાતના નવેક વાગ્યાના સુમારે ઢોલ પિટાયો. થોડીવારમાં તો સરકારી ચોરાની સામે ટોળાબંધ ગામલોકો આવી ભોંય પર બેસવા લાગ્યાં. એક બાજુ સ્ત્રીઓ બેઠી: બીજી બાજુ મરદો બેઠા. સરકારી ચોરાના ઓટા ઉપર ફાનસ

4

હરાયું ઢોર

7 October 2023
0
0
0

હરાયું ઢોર મહિનાઓ વીત્યા છે. બ્રાહ્મણે કેવળ એક જ કામ કર્યું છે. દન ઊગ્યાથી દન આથમતાં સુધી ગામડે ગામડે એણે આંટા માર્યા છે; એમને ફળિયે જઇ જઇ બૈરાંછોકરાંના કુશળ ખબર પૂછ્યા છે. મધ્યાન્હ જ્યાં થાય તે ગામડ

5

કોણ ચોર! કોણ શાહુકાર !

7 October 2023
1
0
0

કોણ ચોર! કોણ શાહુકાર ! “મહારાજ !” “હો ” “કશું જાણ્યું ?” “શું?” “કણભા ગામે ચોરી થઇ; લવાણાના ઘીના ડબા ગયા.” પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાંવાર જ એક જણે આવીને આ સમાચારઆપ્યા. હા, ‘ઓ ગાંધી ! એ નાના ગાંધી

6

શનિયાનો છોકરો

7 October 2023
0
0
0

શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહાજનને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાંસૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઇ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઇ જુએ તો સડી ગયેલ

7

જી’બા

8 October 2023
1
0
0

જી’બા જીવી કંઇ હવે બાળક નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામાગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છેડેથી કળ

8

બાબર દેવા

8 October 2023
0
0
0

બાબર દેવા એ જુવાનને લોકો ‘ભગત’ કહી બોલાવતા. ‘ભગત’ ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઇ મળવું. ભજનો થતાં હોય ત્યાં‘ભગત’ અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે ‘ભગત’ને મળવા માટે ભજનમંડળીએ નહીં પણ જ

9

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ

8 October 2023
0
0
0

પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ગુજરાત યુનિવર્સિટીના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લીપદવી આપતાં પહેલાં એક શરત મૂકજો :

10

મહારાજ - વાણી

8 October 2023
0
0
0

મહારાજ - વાણી [રવિશંકર મહારાજે કથેલા કેટલાક પ્રસંગો અન્ય પ્રકાશનોમાંથી આ પુસ્તિકામાં ઉમેરેલ છે. - સંપાદક] માધીનો છોકરો અમારા આશ્રમમાં એક ઠાકરડાનો છોકરો આવેલો. બહુ નાનો હતો. અમે તેને કાં

11

પગારવધારો

8 October 2023
0
0
0

પગારવધારો એ વખતે હું બોચાસણ વલ્લભ વિદ્યાલયમાં રહેતો હતો. ત્યાં શિક્ષકોનો તાલીમવર્ગ ચાલતો હતો. રોજ સવારે તેનો એક વર્ગ હું લેતો હતો. વર્ગમાં જાઉં ત્યારે શિક્ષકો રોદણાં રડે, “પેટનું પૂરું ન થતું હોય,

12

હોકો પીએ એટલામાં !

8 October 2023
0
0
0

હોકો પીએ એટલામાં ! 1930ના સત્યાગ્રહ વખતે હું જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે મહીસાગરના કાંઠા વિભાગનાં ગામડાંના ઠાકરડા ભાઇઓ મળવા આવેલા. ધરાઇને વાતો કરી. પછી હરખભેર એમણે કહ્યું, “મહારાજ, આપણે ત્યાં એક

13

બળતા દવમાંથી બચવા

8 October 2023
0
0
0

બળતા દવમાંથી બચવા રવિશંકર મહારાજ : અહીં કોઇ દારૂ પીએ ખરું? આદિવાસી : ના, મા’રાજ; હવે તો કોઇ નથી પીતું. મહારાજ : ત્યારે સરકારે દારૂ ખૂંચવીલીધો એ સારું થયું, ખરું ને ? આદિવાસી : બહુ હારું કર્યું. એક વૃ

14

તો લગ્ન કેમ કર્યું?

8 October 2023
1
0
0

- તો લગ્ન કેમ કર્યું? ભાલ-નળકાંઠાના ગમમાં એક ઓડને ત્યાં જવાનું થયેલું. તેની સ્ત્રી બહુ સુશીલ, પવિત્ર ને પ્રેમાળ. એણે પ્રેમપૂર્વક સત્કાર કર્યો. થોડી વારપછી, જ્યાં બેઠી હતી ત્યાંથી કંઇક લેવા એ ખસી.

---

એક પુસ્તક વાંચો