ચરખાસંઘ માટે પૈસા ઉઘરાવવા ગાંધીજી એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર યાત્રા કરી રહ્યા હતા.ઓરિસ્સામાં એમનું ભ્રમણ ચાલતું હતું. એક સભામાં એમણે ભાષણ કર્યું. ભાષણ પૂરું થયું ત્યાં એક અત્યંત ઘરડી બાઈઊઠીને એમની પાસે આવી. એના વાળ સફેદ પૂણી જેવા હતા. કમ્મર વાંકી વળી ગઈ હતી. ડોસીની દશા ચીંથરેહાલ હતી. સ્વયંસેવકોએ એને ગાંધીજી પાસે જતાં રોકી, પણ ઝઘડીને એ બાપુ પાસે આવી પહોંચી.
“આપનાં દર્શન કરવાં છે,” કહીને એ ગાંધીજીને પગે લાગી. પછી એણે એની ઓટીમાંથી એક અધેલો કાઢીને ગાંધીજીના પગ આગળ મૂકયો. પછી શાંતિથી એ ચાલી ગઈ.
ગાંધીજીએ અધેલો ઉઠાવીને પોતાની ઓટીમાં ખોસી દીધો.
ચરખાસંઘનો બધો હિસાબ શેઠજમનાલાલ બજાજ રાખતા હતા. તેઓ પાસે જ બેઠા હતા. તેમણે અધેલાની ઉઘરાણી કરી, “લાવો, જમા કરી દઈએ.”
પણ બાપુ આપે તો ને? જમનાલાલજીએ હસીને “ચરખાસંઘના હજારો રૂપિયાના ચેક હોલાત છું. આ અધેલા અંગે આપને મારી ઉપર વિશ્વાસ નથી બેસતો ?” एकः सूत सकलम
ગાંધીજીએ કહ્યું, “આ અધેલો તો હજારો રૂપિયાથી વધારે છે. માણસ પાસે લાખો હોયઅને એમાંથી હજાર - બે હજાર આપી દે એમાં મોટી વાત નથી. પણ એ ઘરડી, ગરીબ, ચીંથરેહાલ બાઈની તો કદાચ આ અધેલો જ કુલ પૂંજી હશે. એણે તો પોતાનું સર્વસ્વ આપી દીધું. કેટલો ઉદાર જીવ હશે એ !તેથી તેનો આ અધેલો તો મારે મન કરોડો કરતાં વધારે છે.”