shabd-logo

26 September 2023

1 જોયું 1

બાપુને મળવા ઘણાં બાળકો આવતાં. એક દિવસ એક નાનકડા બાળકને બાપુનાં કપડાં જોઈને બહુ દુ:ખ થયું. આવા મોટાબાપુ અને શરીર ઉપર પહેરણ સરખું પણ નહીં. એનાથી "सकलम પૂછયા વગર રહેવાયું નહીં, “બાપુજી, તમે

પહેરણ કેમ પહેરતા નથી ?” બાપુએ બાળકને વહાલથી કહ્યું, “મારીપાસે પૈસા કયાં છે? હું તો બહુ ગરીબ માણસ છું. પહેરણને માટે પૈસા કયાંથી લાવું ?” બાળકનું દિલ પીગળી ગયું. એણે કહ્યું, “મારી માને સીવતાં આવડે છે. જુઓને, મારાં આ બધાં કપડાં એણે જ સીવ્યાં છે. હું મારીમાને કહીશ. એ તમને પહેરણ સીવી આપશે. પછી તો પહેરશોને ?’ બાપુએ પૂછ્યું, “તારી મા કેટલાં પહેરણ સીવી આપશે ?” બાળકે કહ્યું, “તમારે કેટલાં જોઈએ ? એક,બે, ત્રણ. . .? જેટલાં માગશો એટલાં સીવી આપશે.”

બાપુ વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, “હું કાંઈ એકલો ઓછો છું? મારા એકલાથી પહેરણ શી રીતે પહેરાય ?’’

બાળકે પૂછ્યું, “પણ કેટલાં પહેરણથી તમારું કામ ચાલે? હું મા પાસેથી એટલાં પહેરણ સિવડાવી લાવીશ. કહોને બાપુ, તમને કેટલાં પહેરણ જોઈએ ?”

બાપુએ બાળકને સમજાવ્યો, “મારે તો ચાળીસ કરોડ ભાઈભાંડુ છે. જ્યાં સુધી એ બધાંનાં શરીર પર કપડાં નહીં હોય ત્યાં સુધી હું શી રીતે પહેરવાનો? બોલ, તારી માતા બધાંને માટે સીવી આપતા લીમ બાળકના મોં તરફ જોઈ રહ્યા. બાળક વિચામાં सकलम પડી ગયો. ચાળીસ કરોડ ભાઈભાંડુ! બાપુ કહે છે એ બરોબર છે. જ્યાં સુધી એ સૌનાં શરીર પર પહેરણ ન હોય ત્યાં સુધી એ પોતે શી રીતેપહેરે? બાપુ સૌથી મોટા છે, સૌના બાપુ છે. ભોળા બાળકની સમજમાં આવ્યું કે આખો દેશ એ બાપુનો પરિવાર છે. દરેક દેશવાસી એમનો ભાંડુ છે. એ સૌના સાથી, સૌના દોસ્ત છે. એક પહેરણથી ઓછું જ એમનું કામ ચાલવાનું હતું !

9
લેખ
બાપુ ની વાતો
0.0
મહાત્મા ગાંધી, જેમણે લોકશાહી, અહિંસા, સંઘર્ષ, અને આત્મનિર્ભરતાના મૂળ મૂળભૂત અંશો પર આધાર રાખ્યા, તે એક મહાન ભારતીય નેતા હતા. ગાંધીજીની માટે સતત આદર, અને એ તેમ જ મહાન વ્યક્તિત્વ હતું, તેમ જ એ આધ્યાત્મિક અને સામાજિક પ્રવૃત્તિઓના સંકલ્પના અને કાર્યક્રમોના માર્ગદર્શનના માર્ગો દ્વારા બેહાલ કર્યું. ગાંધીજીનો જીવન એટલે સંઘર્ષ, વચ્ચાળ, અને સમર્થનનો પરિચય. તેમ જ એ મહાન જીવન, જેનું આદર અને આદર બધા વયોમાનમાં છે, માટે પ્રેરણા અને માર્ગદર્શન છે. ગાંધીજી મોહનદાસ કરમચંદ ગાંધી હતા, પરંતુ તે બીજો નામ "મહાત્મા" વ્યાપક પ્રયોગ કરેલ થયેલ જે પરિણામે તેના વ્યક્તિત્વ, આદર, અને આદરનું ચિહ્ન બન્યું. ગાંધીજીનું એક મુખ્ય સ્તંભ અહિંસા અને શાંતિ હતું. તે માટે સતત સંઘર્ષ અને અહિંસાની અમૂર્ત સ્વરૂપે જાણીતી હતી. ગાંધીજીની જીવનગાથામાં, તેમ જ તેમ મુખ્ય અંશો, એટલે સ્વતંત્રતા, સમાજની નીતિ, વ્યક્તિગત એવું બન્યું હતું કે તે બેની મિત્રતા, સર્વસમાનતા, સહીષ્ણુતા, અને આપકેદારીની ભાવનાઓને પ્રોત્સાહિત કરતું હતું. તેમ જ તેમ મહાન એ વ્યક્તિત્વ હતું જે આત્મ-નિયંત્રણ
1

એક

25 September 2023
0
0
0

એ રાતે અંધારું બહુ જ હતું. મોહન અંધારામાં એકલો જતાં ગભરાય. જમણી તરફથી ભૂત આવશે ને ડાબી તરફથી પ્રેત આવશે એમ એને લાગ્યા કરે. તેમાં આજે તો અંધારી ઘોર રાત હતી. મોહનને અંધારામાં એકલા જવાનું હતું. જવા ક

2

બે

25 September 2023
0
0
0

મોહન સ્વભાવથી બહુ જ શરમાળ હતો. જેવો નિશાળ છુટવાનો ઘંટ વાગે કે તરત દફતર સમેટીને ઘર તરફ ભાગે. બીજા છોકરાઓ આખે રસ્તે દોસ્તદારો સાથે ગપ્પાં મારતા ચાલે. કોઈ રમવા માટે રસ્તે રોકાય, કોઈ કાંઈ ખાવાપીવા. પણ મોહ

3

ત્રણ

25 September 2023
0
0
0

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાં એમણે ફિનિક્સમાં આશ્રમ સ્થાપ્યો.આશ્રમમાં બાળકોને માટે નિશાળ ખોલવામાં આવી. બાપુ પોતાની રીતે બાળકોને કેળવણી આપવા માગતા હતા. શાળાઓમાં જે રીતે પરીક્ષાઓમાં નંબર આપ

4

ચાર

26 September 2023
0
0
0

ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જોહાનિ- સબર્ગમાં વકીલાત કરતા હતા ત્યારની વાત છે. ઘરથી ઑફિસ ત્રણ માઈલ દૂર હતી. ગાંધીજીના સૌથી મોટા દીકરા મણિલાલ ત્યારે તેર વર્ષના હતા. એક વાર ગાંધીજીના સાથી શ્રી પોલાકે મણિલાલ

5

પાંચ

26 September 2023
0
0
0

મુંબઈમાં કોંગ્રેસનું સંમેલન મળી રહ્યું હતું. ગાંધીજી તાજા જ આફ્રિકાથી પાછા આવ્યા હતા. કાકાસાહેબ કાલેલકર ગાંધીજીને ઉભારે જઈ એમને કામમાં મદદ કરતા. એક દિવસ ગાંધીજી ટેબલની આસપાસ કશુંક શોધી રહ્યા હતા.

6

26 September 2023
0
0
0

બાપુને મળવા ઘણાં બાળકો આવતાં. એક દિવસ એક નાનકડા બાળકને બાપુનાં કપડાં જોઈને બહુ દુ:ખ થયું. આવા મોટાબાપુ અને શરીર ઉપર પહેરણ સરખું પણ નહીં. એનાથી "सकलम પૂછયા વગર રહેવાયું નહીં, “બાપુજી, તમે પહેરણ કેમ

7

સાત

26 September 2023
0
0
0

એક દિવસ યરવડા જેલમાં એ વાતની બાપુએ વાતમાં સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું, “સંઘર્યો સાપ પણ કામનો.” પોતાની વાતના ટેકામાં એમણે એક વાર્તા કહી. એક ડોસીને ત્યાં સાપ નીકળ્યો. ડોસીએ બુમરાણ મચાવી મૂકી. આવેશી

8

આઠ

26 September 2023
0
0
0

ચરખાસંઘ માટે પૈસા ઉઘરાવવા ગાંધીજી એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર યાત્રા કરી રહ્યા હતા.ઓરિસ્સામાં એમનું ભ્રમણ ચાલતું હતું. એક સભામાં એમણે ભાષણ કર્યું. ભાષણ પૂરું થયું ત્યાં એક અત્યંત ઘરડી બાઈઊઠ

9

નવ

26 September 2023
0
0
0

નોઆખાલીની વાત છે. હિંદુ અને મુસલમાનો વચ્ચે હુલ્લડો થયાં હતાં. તે પછી લોકોનાં હૈયાંમાં આગ સળગી રહી હતી. તેને બુઝાવવા ગાંધીજી પગપાળા યાત્રા કરી રહ્યા હતા. સવારે એક ગામથી નીકળતા અને સાત વાગતાં તો બીજે ગા

---

એક પુસ્તક વાંચો