એ રાતે અંધારું બહુ જ હતું. મોહન અંધારામાં એકલો જતાં ગભરાય. જમણી તરફથી ભૂત આવશે ને ડાબી તરફથી પ્રેત આવશે એમ એને લાગ્યા કરે. તેમાં આજે તો અંધારી ઘોર રાત હતી.
મોહનને અંધારામાં એકલા જવાનું હતું. જવા કરે છે ત્યાં પગ થંભી ગયા. હૈયું ફડફડ થવા માંડયું. પાસે ઘરની દાઈ રંભા ઊભી હતી.
એણે હસીને પૂછ્યું, “શું થયું મોહન ?” “મને બીક લાગે છે, ભાભાઈ” મોતને કહ્યું.
एकः सते सुकलम રંભા વહાલથી મોહનને માથે હાથ મૂકીને કહેવા લાગી, “ગભરાય છે શા માટે? અંધારું હોય કે ગમે તે હોય, આપણે તો રામનું નામ બોલતાં ચાલ્યા જઈએ. વાળ પણ વાંકો ન થાય. જેને રામનો સંગાથ તેને વળી શો ભય’
રંભાની વાત સાંભળીને મોહન તરત આગળ વધ્યો. એની જીભે રામનું નામ રમતું હતું. એને હવે કશાનો ડર ન હતો.
એ દિવસથી મોહનના મનમાંથી ડર જતો રહ્યો. કદીયે એ પોતાને એકલો ન માનતો. એને વિશ્વાસ હતો કે જ્યાં સુધી એની સાથે રામ છે
ત્યાં સુધી એને કોઈ કાંઈ કરી શકશે નહીં. ત્યારથી રામનામ એનો જીવનમંત્ર બની ગયું. એટલે સુધી કે જિંદગીની છેલ્લી ક્ષણે પણ રામનું નામ એની જીભ પર હતું.