ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં જોહાનિ- સબર્ગમાં વકીલાત કરતા હતા ત્યારની વાત છે. ઘરથી ઑફિસ ત્રણ માઈલ દૂર હતી. ગાંધીજીના સૌથી મોટા દીકરા મણિલાલ ત્યારે તેર વર્ષના હતા. એક વાર ગાંધીજીના સાથી શ્રી પોલાકે મણિલાલને ઑફિસથી એક પુસ્તક લઈ આવવાનું કહેલું. મિણલાલ ભૂલી ગયો. રાતે શ્રી પોલાકે પુસ્તક માગ્યું ત્યારે મણિલાલને યાદ આવ્યું. વાત ગાંધીજી સુધી પહોંચી. ગાંધીજીએ સુધી સતીનાંધીજએ ત મણિલાલને બોલાવી બહુ વહાલથી પણ દઢતાથી કહ્યું, “બેટા, હું જાણું છું? રાત અંધારી છે અને રસ્તો સૂમસામ છે. આવતાંજતાં છ માઈલ થાય. પણ તેં પોલાક સાહેબનું પુસ્તકલાવવા કબૂલ્યું હતું એટલે અત્યારે જ જઈને લઈ આવ.”
બાપુનો આદેશ સાંભળીને ઘરનાં સૌ વિમાસણમાં પડી ગયાં. આ તે કેવી કઠોર સજા ! કર્યાં નાનકડો છોકરો ને કયાં અંધારી રાત અને વિકટ રસ્તો? છોકરો ભૂલી ગયો તે એમાં શું થઈ ગયું ? પુસ્તક કાલે લઈ અવાશે. આ વિચાર સૌના મનમાં જાગ્યા પણ બોલવાની કોઈની હિંમત ન ચાલી. સૌ જા ણતાં હતાં કે બાપુ જે વાત એક વાર ઉચ્ચારે છે તે વર્લેપ બની જાય છે. કલ્યાણભાઈએ ચુપકીદી તોડવાની હિંમત
કરી. એમણે કહ્યું, “હું પુસ્તક લઈ આવું.” બાપુએ ધીમેથી પણ પહેલાની જેમ d દઢતાથી કહ્યું, “લાવવા કબૂલ્યું. તો હતું મણિલાલે.”
કલ્યાણજીએ કહ્યું, “ભલે, તો મણિલાલ જાય. પણ એની સાથે મને જવા દો.”બાપુ માની ગયા.
મણિલાલ કલ્યાણજીની સાથે ગયો અને પુસ્તક લાવીને શ્રી પોલાકને આપ્યું. બાપુ પુષ્પથીયે કોમળ અને વથીયે કઠોર હતા. મિણલાલે જે કામ કરવાનું કબૂલ્યું હતું તે એમણે તેની પાસે પાર પડાવ્યું.