ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાં એમણે ફિનિક્સમાં આશ્રમ સ્થાપ્યો.આશ્રમમાં બાળકોને માટે નિશાળ ખોલવામાં આવી. બાપુ પોતાની રીતે બાળકોને કેળવણી આપવા માગતા હતા. શાળાઓમાં જે રીતે પરીક્ષાઓમાં નંબર આપવામાં આવતા હતા તે એમને પસંદ ન હતું. આશ્રમની શાળામાં બાળકોને ખરી કેળવણી મળે, તેમનું જ્ઞાન વધે અને સારી ટેવો પડે એની ઉપર એમની નજર રહેતી.
પરીક્ષામાં ગુણ આપવાની બાપુની રીત આગવી જ હતી. બધાં બાળકોને એક જ જાતના સવાલ પૂછે. બાળકો પણ એક જ વર્ગનાં હોય. અને તેમ છતાં જેણે વધુ સારા જવાબો લખ્યા હોય એને ઓછા ગુણ મળે. જેણે ઓછા સારા જવાબો લખ્યા હોય એને ણ આપવામાં બાજુનો તેઓ વધુ ગુણ આપે. ગુણ આપવાની બાપુની રીત એમને સમજાતી નહીં. સારા જવાબોન લખનારાં બાળકો પોતાને ઓછા ગુણ મળવાનું કારણ પૂછ્યા લાગ્યાં.બાપુએ એમને સમજાવ્યું : “મારે એ નથી : બતાવવું કે રામથી શ્યામ વધુ હોશિયાર છે. એ ગણતરીએ હું ગુણ આપતો પણ નથી. મારે તો એ જોવું છે કે દરેક બાળક પહેલાં જ્યાં હતો ત્યાંથી ખરેખર કેટલો આગળ વધ્યો છે? એ કેટલું વધારે શીખ્યો છે? હોશિયાર છોકરો ઠોઠ છોકરાની સાથે પોતાને સરખાવ્યા કરે અને ગુમાન કરતો ફરે તો એની બુદ્ધિબુઠ્ઠી થઈ જાય. ઘમંડને લીધે ભણવામાં મહેનત કરવાની જરૂર એને નહીં લાગે. જે વધુ મહેનતથી અને પૂરી ચીવટથી કામ કરે છે તે જ આગળ વધે છે. અને એને હું વધારે ગુણ આપું છું.”
વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી પર બાપુ તા આગળ છે. ત બરોબર નજર રાખતા હતા. એ આગળ વધે છે કે નહીં તેનો પૂરો ખ્યાલ રાખતા. વધુ ગુણ મળવાથી એ ફુલાતો ફરે એમાં એનું શું વળેળામ આ વાત તેના મન પર એ ઠસાવતા. અને જે ઓછો હોશિયાર વિદ્યાર્થી હોય તે એક વખતભલે ઓછા ગુણ લાવ્યો, પણ પછી મહેનત કરીને વધુ ગુણ લાવે તો બાપુ એને વહાલથી શાબાશી આપતા.