Research On The Moon: ભારતના ચંદ્રયાન-1 ચંદ્ર મિશનના રિમોટ સેન્સિંગ ડેટાનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકોએ એવી ભાળ મેળવી છે કે પૃથ્વીથી ઉચ્ચ ઊર્જા ધરાવતા ઈલેક્ટ્રોન ચંદ્ર પર પાણીની રચના કરી રહ્યા છે. અમેરિકાની મનોઆમાં યુનિવર્સિટી ઓફ હવાઈ (UH)ના સંશોધનકર્તાના નેતૃત્વમાં બનેલી ટીમને જાણવા મળ્યું છે કે પૃથ્વીની પ્લાઝ્મા શીટમાં આ ઈલેક્ટ્રોન ચંદ્રમાની સપાટી પર વેધરિંગ પ્રોસેસિંગ-ખડકો તથા ખનિજોને તૂટવા અથવા વિખંડીત થવામાં મોટું યોગદાન આપી રહ્યા છે.
નેચર એસ્ટ્રોનોમી જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઈલેક્ટ્રોન્સે ચંદ્રના ભાગ પર પાણીની રચનામાં સહાયતા કરી હશે. તેમણે કહ્યું કે નવા સંશોધન ચંદ્રમાના સ્થાયી સ્વરૂપથી છાયાંકિત વિસ્તારોમાં અગાઉથી શોધવામાં આવેલ પાણીના બરફના સર્જનને સમજાવવામાં મદદરૂપ બની શકે છે.
ચંદ્રયાન-1એ ચંદ્રમા પર પાણીના અણુઓને લગતા સંસોધનમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વર્ષ 2008માં લોંચ કરવામાં આવેલા મિશન ચંદ્રયાન કાર્યક્રમ અંતર્ગત ચંદ્રને લગતા સંશોધન કરવા માટેનો પ્રથમ ચંદ્રયાન કાર્યક્રમ હતો. સૌર હવા કે જે પ્રોટોન જેવા ઉચ્ચ ઊર્જાના કણોથી બનેલી હોય છે તે ચંદ્રની સપાટી પર બોમ્બાર્ડ કરે છે અને એવું માનવામાં આવે છે કે ચંદ્ર પર પાણી બનાવવા માટેની આ પ્રાથમિક પદ્ધતિ પૈકીની એક પદ્ધતિ છે.
લીના વડપણ હેઠળ એવુ માલુમ પડ્યું કે પૃથ્વીના પ્લાઝ્મા શીટમાં ઉચ્ચ ઈલેક્ટ્રોન-મેગ્નેટોસ્ફીયરની અંદર ફસાયેલા ચાર્જ કર્ણોનું એક ક્ષેત્ર ગ્રહના ચુંબકીય વિસ્તાર દ્વારા નિયંત્રિત પૃથીની ચોતરફ અને અંતરિક્ષનો એક ભાગ-ચંદ્રમા પર અપક્ષય પ્રક્રિયામાં યોગદાન આપે છે, જે ચંદ્રની સપાટી પર પાણીના નિર્માણમાં મદદરૂપ બને છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મેગ્નોટોસ્ફીયર પૃથ્વીને અંતરિક્ષના વાતાવરણ તથા સૂર્યમાંથી આવતા હાનિકારક કિરણોથી બચાવે છે. સૌર હવા મેગ્નેટોસ્ફીયરને ધક્કો મારે છે અને તેને નવો આકાર આપે છે. આ મેગ્નેટોટેલની અંદર પ્લાઝ્મા શીટ ઉચ્ચ ઊર્જાવાળા ઈલેક્ટ્રોન તથા આયનથી ભરપૂર એક વિસ્તાર છે, જ પૃથ્વી અને સૌર હવાથી પ્રાપ્ત કરી શકાય છે.